શોધખોળ કરો

Surat Gas Leak: સુરતમાં કેમિકલ લીક થવાને કારણે મોટી દુર્ઘટના, 6ના મોત, 7 વેંટીલેટર પર

રાતની શિફ્ટમાં કામ કરતા સમયે આસપાસ ચ્હા નાસ્તો કરવા નિકળેલા કામદારો આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે.

ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓના આંખ મિચામણા વચ્ચે મોડી રાતે સુરતમાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ. સચિન જીઆઈડીસી વિસ્તારની ખાડીમાં ઝેરીલુ કેમિકલ અંધારી રાતે ઠલવાતા ગેસ ગળતર થયું. જેના કારણે 25 કામદારોના શ્વાસ રૂંધાયા. આ પૈકી છના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સાત લોકો વેંટીલેટર પર તો 15 લોકો ઓક્સિજન પર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

રાતે અઢી વાગ્યાની આસપાસ વડોદરા પાસિંગનું GJ 06 ZZ 6221નું ટેંકર ખાડીમાં કેમિકલ ઠાલવી રહ્યુ હતુ. એબીપી અસ્મિતાની ચકાસણીમાં આ ટેંકર ગુરવિંદરસિંહ નામના વ્યક્તિના નામથી વડોદરા આરટીઓમાં રજિસ્ટર થયું છે. દુર્ઘટના સર્જાતા આ વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી.

રાતની શિફ્ટમાં કામ કરતા સમયે આસપાસ ચ્હા નાસ્તો કરવા નિકળેલા કામદારો આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. વહેલી સવારે પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સાથે જ સઅપરાધ માનવવધનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. જો કે આ ટેંકર ક્યાંથી આવ્યુ હતુ અને કોણે મોકલ્યુ હતુ. તેની જાણકારી હજુ સુધી પોલીસ આપી શકી નથી.

દુર્ઘટનાને લઈને સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્વિટરના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યુ. તો મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે આ દુર્ઘટના માટે શોક વ્યક્ત કર્યો છે.

જો કે આ દુર્ઘટના પુણતઃરીતે માનવસર્જીત છે. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં રાત્રીના અંધારામાં કેમિકલ માફિયાઓ ખાડીઓમાં કેમિકલ ઠાલવતા હોવાની અનેક ફરિયાદોની વચ્ચે પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નઘરોળ તંત્રએ ક્યારેય નક્કર કાર્રવાઈ કરી નથી.

કારણ કે આ પ્રકારની દુર્ઘટનાએ બને છે ત્યારે થોડા દિવસ માટે તપાસની વાર્તાઓ થાય છે. અને ત્યાર બાદ હપ્તાખોર અધિકારીઓ લીપાપોતી કરીને સમગ્રકાંડ પર પડદો પાડી દે છે. ત્યારે સવાલ એ છે કે માફિયાઓ સામે જ કેમ. જે તે વિસ્તારના પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સામે કાર્રવાઈ કેમ નહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget