શોધખોળ કરો

Surat Gas Leak: સુરતમાં કેમિકલ લીક થવાને કારણે મોટી દુર્ઘટના, 6ના મોત, 7 વેંટીલેટર પર

રાતની શિફ્ટમાં કામ કરતા સમયે આસપાસ ચ્હા નાસ્તો કરવા નિકળેલા કામદારો આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે.

ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓના આંખ મિચામણા વચ્ચે મોડી રાતે સુરતમાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ. સચિન જીઆઈડીસી વિસ્તારની ખાડીમાં ઝેરીલુ કેમિકલ અંધારી રાતે ઠલવાતા ગેસ ગળતર થયું. જેના કારણે 25 કામદારોના શ્વાસ રૂંધાયા. આ પૈકી છના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સાત લોકો વેંટીલેટર પર તો 15 લોકો ઓક્સિજન પર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

રાતે અઢી વાગ્યાની આસપાસ વડોદરા પાસિંગનું GJ 06 ZZ 6221નું ટેંકર ખાડીમાં કેમિકલ ઠાલવી રહ્યુ હતુ. એબીપી અસ્મિતાની ચકાસણીમાં આ ટેંકર ગુરવિંદરસિંહ નામના વ્યક્તિના નામથી વડોદરા આરટીઓમાં રજિસ્ટર થયું છે. દુર્ઘટના સર્જાતા આ વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી.

રાતની શિફ્ટમાં કામ કરતા સમયે આસપાસ ચ્હા નાસ્તો કરવા નિકળેલા કામદારો આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. વહેલી સવારે પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સાથે જ સઅપરાધ માનવવધનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. જો કે આ ટેંકર ક્યાંથી આવ્યુ હતુ અને કોણે મોકલ્યુ હતુ. તેની જાણકારી હજુ સુધી પોલીસ આપી શકી નથી.

દુર્ઘટનાને લઈને સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્વિટરના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યુ. તો મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે આ દુર્ઘટના માટે શોક વ્યક્ત કર્યો છે.

જો કે આ દુર્ઘટના પુણતઃરીતે માનવસર્જીત છે. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં રાત્રીના અંધારામાં કેમિકલ માફિયાઓ ખાડીઓમાં કેમિકલ ઠાલવતા હોવાની અનેક ફરિયાદોની વચ્ચે પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નઘરોળ તંત્રએ ક્યારેય નક્કર કાર્રવાઈ કરી નથી.

કારણ કે આ પ્રકારની દુર્ઘટનાએ બને છે ત્યારે થોડા દિવસ માટે તપાસની વાર્તાઓ થાય છે. અને ત્યાર બાદ હપ્તાખોર અધિકારીઓ લીપાપોતી કરીને સમગ્રકાંડ પર પડદો પાડી દે છે. ત્યારે સવાલ એ છે કે માફિયાઓ સામે જ કેમ. જે તે વિસ્તારના પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સામે કાર્રવાઈ કેમ નહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Embed widget