શોધખોળ કરો

Surat Fire: ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી કરોડોના નુકસાને વેપારીઓને રોવડાવ્યાં, 24 કલાક બાદ આવી કાબૂમાં

Surat Fire: સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગથી કરોડોનું નુકસાન થયું છે. આ આગમાં 450 દુકાનો બળીને ખાક થઇ ગઇ છે.

Surat Fire:સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં કરોડોનો માલ સ્વાહા થઇ જતાં વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 24 કલાકથી પાણીનો મારો ચલાવ્યા બાદ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો જો કે 24 કલાકથી વધુના સમય આગ ભૂભકેલી રહેતા મોટું નુકસાન થયું છે. આગને બુઝાવવા માટે  40 લાખ લિટરથી વધુ  પાણીનો  વપરાશ થયો હતો આ આગને બુઝાવવા માટે હજીરા,ONGC સહિતની કંપનીઓના ફાયરની પણ  મદદ લેવામાં આવી હતી. આગમાં એક નહિ પરંતુ 450થી વધુ દુકાનો બળીને  ખાખ થઇ ગઇ છે. 800માંથી 450 દુકાનો ખાખ થઈ જતા વેપારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિકરાળ આગના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. આગમાં કરોડોનું માલ સ્વાહા થઇ જતાં આજીવિકા છીનવાતા વેપારીઓની આંખમાં આંસુ જોવા મળ્યાં હતા.  આગ એટલી ભીષણ હતી કે, ફોમયુક્ત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ પર  કાબૂ મેળવી શકાયો ન હતો. આગના કારણે બિલ્ડિંગની સ્ટેબિલિટી પણ નબળી થઈ રહી હતી.

સુરત આગની ઘટના મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે,  “સુરત કાપડ માર્કેટમાં અંતિ ભયાનક આગ લાગી હતી.સુરત ફાયર બ્રિગેડ ઉપરાંત અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયાની  ફાયર ટીમને પણ આગ ઓલવવા માટે  કામે લગાવી  હતી. 24 કલાક થી ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી હતી  છેલા 4  કલાક થી આગ થોડી કાબુમા આવી છે.”

સુરતની ટેકસટાઇલ માર્કેટમાં લાગેલી આગ અંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આગ લાગવાનો બનાવ બન્યો ત્યારથી ફાયર વિભાગ અને પોલીસ ખડેપગે  હતી અને સી આર પાટીલ પણ આ અંગે માહિતી મેળવી રહ્યાં હતા. સુરતનું સૌથી જૂનું ટેકસટાઇલ માર્કેટ છે .આસપાસના બિલ્ડિંગમાં આગ ફેલાય નહીં તે માટેના પ્રયાસો કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે. સુરતનું સમગ્ર પ્રશાસન આ મામલે ગંભીર  બનીને યુદ્ધના ધોરણે કામે લાગી જતાં જાનહાનિ ટળી છે.

જો કે આટલી ભીષણ આગ લાગતા આ ઘટનાને લઇને બેદરકારના સંદર્ભે પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે.સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટનાને લઈ મોટો ખુલાસો થયો છે  શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટને અપાયેલી NOCને લઇને પણ સવાલ ઉઠ્યાં છે.  ત્રીજા, ચોથા માળે ગીચ એરિયા હોવા છતા NOC કેમ અપાયું? માર્કેટના ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદે શેડ હોવાછતાં  કેમ કોઈ કાર્યવાહી  નથી કરાઇ. કેમ અત્યાર સુધી મનપાને ન દેખાયા પતરાના ગેરકાયદે શેડ? શું NOC આપતા કેમ ન કરવામાં આવી તપાસ?કેમ ફાયર વિભાગની ટીમે આંખ આડા કાન કર્યા?  NOC આપનાર અધિકારી કોણ? તેની તપાસ જરૂરી.કોના આશીર્વાદથી હજુ સુધી નહોતી થઈ કાર્યવાહી?  પાર્કિંગની જગ્યાએ દુકાન  બનાવવાની  સામે કાર્યવાહી કેમ  નહી?

 

 

 

 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

MLA oath: ગોપાલ ઈટાલિયાએ  આજે  ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
MLA oath: ગોપાલ ઈટાલિયાએ આજે ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન પર બ્રેક કેમ, જાણો ફરી ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન પર બ્રેક કેમ, જાણો ફરી ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ
રશિયા સાથે બિઝનેસ કરવાને લઇને NATO ચીફની ભારતને ધમકી, 100 ટકા પ્રતિબંધનો બતાવ્યો ડર
રશિયા સાથે બિઝનેસ કરવાને લઇને NATO ચીફની ભારતને ધમકી, 100 ટકા પ્રતિબંધનો બતાવ્યો ડર
શું સપ્ટેમ્બરમાં ATMમાંથી મળવાની બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો વાયરલ પોસ્ટનું સત્ય
શું સપ્ટેમ્બરમાં ATMમાંથી મળવાની બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો વાયરલ પોસ્ટનું સત્ય
Advertisement

વિડિઓઝ

Ahmedabad Janata Raid: ગોપાલ આવાસમાં જનતા રેડ, જાણો પોલીસે શું કર્યો દાવો?
Arvalli Rain: મેઘરજ અને માલપુરમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
Sabarakantha Protest:સાબરકાંઠામાં પશુપાલકોમાં ફાટી નીકળ્યો રોષ, રસ્તા પર વહી દૂધની નદી
Hun To Bolish : હું તો બોલીશ : પુત્ર મોહની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : ડેંગ્યૂ, મેલેરિયાથી સાવધાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA oath: ગોપાલ ઈટાલિયાએ  આજે  ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
MLA oath: ગોપાલ ઈટાલિયાએ આજે ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન પર બ્રેક કેમ, જાણો ફરી ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન પર બ્રેક કેમ, જાણો ફરી ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ
રશિયા સાથે બિઝનેસ કરવાને લઇને NATO ચીફની ભારતને ધમકી, 100 ટકા પ્રતિબંધનો બતાવ્યો ડર
રશિયા સાથે બિઝનેસ કરવાને લઇને NATO ચીફની ભારતને ધમકી, 100 ટકા પ્રતિબંધનો બતાવ્યો ડર
શું સપ્ટેમ્બરમાં ATMમાંથી મળવાની બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો વાયરલ પોસ્ટનું સત્ય
શું સપ્ટેમ્બરમાં ATMમાંથી મળવાની બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો વાયરલ પોસ્ટનું સત્ય
Photos: સાબર ડેરીની મનમાની સામે પશુપાલકોએ ટેન્કરો-કેનો ભરીને દૂધ રસ્તા પર ઢોળ્યું, મહિલાઓએ છાજિયા લીધા
Photos: સાબર ડેરીની મનમાની સામે પશુપાલકોએ ટેન્કરો-કેનો ભરીને દૂધ રસ્તા પર ઢોળ્યું, મહિલાઓએ છાજિયા લીધા
IND vs ENG: ચોથી ટેસ્ટમાં શું કરુણ નાયરને મળશે તક? બુમરાહ પર ટીમ મેનેજમેન્ટ લેશે મોટો નિર્ણય
IND vs ENG: ચોથી ટેસ્ટમાં શું કરુણ નાયરને મળશે તક? બુમરાહ પર ટીમ મેનેજમેન્ટ લેશે મોટો નિર્ણય
બ્રિટન જવા માંગતા હોવ તો કેટલું હોવું જોઇએ બેન્ક બેલેન્સ? વીઝા એપ્લિકેશનમાં પૂછવામાં આવે છે આ સવાલો?
બ્રિટન જવા માંગતા હોવ તો કેટલું હોવું જોઇએ બેન્ક બેલેન્સ? વીઝા એપ્લિકેશનમાં પૂછવામાં આવે છે આ સવાલો?
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
Embed widget