શોધખોળ કરો

Surat Fire: ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી કરોડોના નુકસાને વેપારીઓને રોવડાવ્યાં, 24 કલાક બાદ આવી કાબૂમાં

Surat Fire: સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગથી કરોડોનું નુકસાન થયું છે. આ આગમાં 450 દુકાનો બળીને ખાક થઇ ગઇ છે.

Surat Fire:સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં કરોડોનો માલ સ્વાહા થઇ જતાં વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 24 કલાકથી પાણીનો મારો ચલાવ્યા બાદ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો જો કે 24 કલાકથી વધુના સમય આગ ભૂભકેલી રહેતા મોટું નુકસાન થયું છે. આગને બુઝાવવા માટે  40 લાખ લિટરથી વધુ  પાણીનો  વપરાશ થયો હતો આ આગને બુઝાવવા માટે હજીરા,ONGC સહિતની કંપનીઓના ફાયરની પણ  મદદ લેવામાં આવી હતી. આગમાં એક નહિ પરંતુ 450થી વધુ દુકાનો બળીને  ખાખ થઇ ગઇ છે. 800માંથી 450 દુકાનો ખાખ થઈ જતા વેપારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિકરાળ આગના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. આગમાં કરોડોનું માલ સ્વાહા થઇ જતાં આજીવિકા છીનવાતા વેપારીઓની આંખમાં આંસુ જોવા મળ્યાં હતા.  આગ એટલી ભીષણ હતી કે, ફોમયુક્ત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ પર  કાબૂ મેળવી શકાયો ન હતો. આગના કારણે બિલ્ડિંગની સ્ટેબિલિટી પણ નબળી થઈ રહી હતી.

સુરત આગની ઘટના મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે,  “સુરત કાપડ માર્કેટમાં અંતિ ભયાનક આગ લાગી હતી.સુરત ફાયર બ્રિગેડ ઉપરાંત અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયાની  ફાયર ટીમને પણ આગ ઓલવવા માટે  કામે લગાવી  હતી. 24 કલાક થી ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી હતી  છેલા 4  કલાક થી આગ થોડી કાબુમા આવી છે.”

સુરતની ટેકસટાઇલ માર્કેટમાં લાગેલી આગ અંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આગ લાગવાનો બનાવ બન્યો ત્યારથી ફાયર વિભાગ અને પોલીસ ખડેપગે  હતી અને સી આર પાટીલ પણ આ અંગે માહિતી મેળવી રહ્યાં હતા. સુરતનું સૌથી જૂનું ટેકસટાઇલ માર્કેટ છે .આસપાસના બિલ્ડિંગમાં આગ ફેલાય નહીં તે માટેના પ્રયાસો કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે. સુરતનું સમગ્ર પ્રશાસન આ મામલે ગંભીર  બનીને યુદ્ધના ધોરણે કામે લાગી જતાં જાનહાનિ ટળી છે.

જો કે આટલી ભીષણ આગ લાગતા આ ઘટનાને લઇને બેદરકારના સંદર્ભે પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે.સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટનાને લઈ મોટો ખુલાસો થયો છે  શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટને અપાયેલી NOCને લઇને પણ સવાલ ઉઠ્યાં છે.  ત્રીજા, ચોથા માળે ગીચ એરિયા હોવા છતા NOC કેમ અપાયું? માર્કેટના ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદે શેડ હોવાછતાં  કેમ કોઈ કાર્યવાહી  નથી કરાઇ. કેમ અત્યાર સુધી મનપાને ન દેખાયા પતરાના ગેરકાયદે શેડ? શું NOC આપતા કેમ ન કરવામાં આવી તપાસ?કેમ ફાયર વિભાગની ટીમે આંખ આડા કાન કર્યા?  NOC આપનાર અધિકારી કોણ? તેની તપાસ જરૂરી.કોના આશીર્વાદથી હજુ સુધી નહોતી થઈ કાર્યવાહી?  પાર્કિંગની જગ્યાએ દુકાન  બનાવવાની  સામે કાર્યવાહી કેમ  નહી?

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget