શોધખોળ કરો

Surat Fire: ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી કરોડોના નુકસાને વેપારીઓને રોવડાવ્યાં, 24 કલાક બાદ આવી કાબૂમાં

Surat Fire: સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગથી કરોડોનું નુકસાન થયું છે. આ આગમાં 450 દુકાનો બળીને ખાક થઇ ગઇ છે.

Surat Fire:સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં કરોડોનો માલ સ્વાહા થઇ જતાં વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 24 કલાકથી પાણીનો મારો ચલાવ્યા બાદ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો જો કે 24 કલાકથી વધુના સમય આગ ભૂભકેલી રહેતા મોટું નુકસાન થયું છે. આગને બુઝાવવા માટે  40 લાખ લિટરથી વધુ  પાણીનો  વપરાશ થયો હતો આ આગને બુઝાવવા માટે હજીરા,ONGC સહિતની કંપનીઓના ફાયરની પણ  મદદ લેવામાં આવી હતી. આગમાં એક નહિ પરંતુ 450થી વધુ દુકાનો બળીને  ખાખ થઇ ગઇ છે. 800માંથી 450 દુકાનો ખાખ થઈ જતા વેપારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિકરાળ આગના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. આગમાં કરોડોનું માલ સ્વાહા થઇ જતાં આજીવિકા છીનવાતા વેપારીઓની આંખમાં આંસુ જોવા મળ્યાં હતા.  આગ એટલી ભીષણ હતી કે, ફોમયુક્ત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ પર  કાબૂ મેળવી શકાયો ન હતો. આગના કારણે બિલ્ડિંગની સ્ટેબિલિટી પણ નબળી થઈ રહી હતી.

સુરત આગની ઘટના મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે,  “સુરત કાપડ માર્કેટમાં અંતિ ભયાનક આગ લાગી હતી.સુરત ફાયર બ્રિગેડ ઉપરાંત અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયાની  ફાયર ટીમને પણ આગ ઓલવવા માટે  કામે લગાવી  હતી. 24 કલાક થી ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી હતી  છેલા 4  કલાક થી આગ થોડી કાબુમા આવી છે.”

સુરતની ટેકસટાઇલ માર્કેટમાં લાગેલી આગ અંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આગ લાગવાનો બનાવ બન્યો ત્યારથી ફાયર વિભાગ અને પોલીસ ખડેપગે  હતી અને સી આર પાટીલ પણ આ અંગે માહિતી મેળવી રહ્યાં હતા. સુરતનું સૌથી જૂનું ટેકસટાઇલ માર્કેટ છે .આસપાસના બિલ્ડિંગમાં આગ ફેલાય નહીં તે માટેના પ્રયાસો કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે. સુરતનું સમગ્ર પ્રશાસન આ મામલે ગંભીર  બનીને યુદ્ધના ધોરણે કામે લાગી જતાં જાનહાનિ ટળી છે.

જો કે આટલી ભીષણ આગ લાગતા આ ઘટનાને લઇને બેદરકારના સંદર્ભે પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે.સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટનાને લઈ મોટો ખુલાસો થયો છે  શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટને અપાયેલી NOCને લઇને પણ સવાલ ઉઠ્યાં છે.  ત્રીજા, ચોથા માળે ગીચ એરિયા હોવા છતા NOC કેમ અપાયું? માર્કેટના ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદે શેડ હોવાછતાં  કેમ કોઈ કાર્યવાહી  નથી કરાઇ. કેમ અત્યાર સુધી મનપાને ન દેખાયા પતરાના ગેરકાયદે શેડ? શું NOC આપતા કેમ ન કરવામાં આવી તપાસ?કેમ ફાયર વિભાગની ટીમે આંખ આડા કાન કર્યા?  NOC આપનાર અધિકારી કોણ? તેની તપાસ જરૂરી.કોના આશીર્વાદથી હજુ સુધી નહોતી થઈ કાર્યવાહી?  પાર્કિંગની જગ્યાએ દુકાન  બનાવવાની  સામે કાર્યવાહી કેમ  નહી?

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Embed widget