શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરત, નવસારીના વાતવરણમાં પલટો, વરસાદથી ડાંગરના પાકને થશે નુકસાન
રાજ્યમાં આસો મહિનામાં પણ મેઘરાજા ખમૈયા કરવાનું નામ લેતા નથી. આજે સાંજે સુરત અને નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
![સુરત, નવસારીના વાતવરણમાં પલટો, વરસાદથી ડાંગરના પાકને થશે નુકસાન Rain in Surat and Navsari at evening on Dussera સુરત, નવસારીના વાતવરણમાં પલટો, વરસાદથી ડાંગરના પાકને થશે નુકસાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/08184841/surat.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન થયા છે અને અત્યાર સુધીમાં 140 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આસો મહિનામાં પણ વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે સુરત અને નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરતના અનેક વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ વરસાદ આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સુરતના અડાજણ, અઠવાલાઇન્સ, વરાછા, નાનપુરા, પીપલોદ, ઉધના સહિત અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણ ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
વરસાદ આવતાં ડાંગર અને નાગલીના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. રાવણ દહનના સમયે જ વરસાદ તૂટી પડતાં આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા.
![સુરત, નવસારીના વાતવરણમાં પલટો, વરસાદથી ડાંગરના પાકને થશે નુકસાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/08184900/vasada-300x178.jpg)
![સુરત, નવસારીના વાતવરણમાં પલટો, વરસાદથી ડાંગરના પાકને થશે નુકસાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/08184923/surat1-300x171.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)