શોધખોળ કરો

Surat : મેકઅપ ન બગડે માટે મહિલા માસ્ક વગર જ રીક્ષામાં કરી રહ્યા હતા મુસાફરી ને પોલીસે રોક્યા, પછી તો.....

સુરતમાં પોલીસની માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી છે. ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા પાસે મેકઅપ કરી રીક્ષામાં જનાર મહિલાને દંડ ફટકાર્યો હતો. મહિલાને લાલી પાવડર મોંઘો પડ્યો હતો. પોલીસ ડ્રાઈવમાં રીક્ષામાં  માસ્ક વગર મહિલા પાસે દંડ લીધો હતો. મહિલાને 500 રૂપિયા દંડ ફટકાર્યો હતો.

સુરતઃ ગુજરાત (Gujarat) માં ફરી એકવાર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે સરકાર ફરી એકવાર હરકતમાં આવી છે. બે દિવસ પહેલા ગુજરાતના પોલીસ વડા (Gujarat Police)એ માસ્ક ન પહેરનારા લોકોને દંડવા માટે પોલીસને જણાવ્યું હતું. જેને પગલે આજે સુરતમાં પોલીસ  (Surat Police) ની માસ્ક ડ્રાઈવ (Mask Drive) યોજવામાં આવી છે. 

ટેક્સટાઇલ માર્કેટ (taxstyle market) કમેલા દરવાજા પાસે મેકઅપ કરી રીક્ષામાં જનાર મહિલાને દંડ ફટકાર્યો હતો. મહિલાને લાલી પાવડર મોંઘો પડ્યો હતો. પોલીસ ડ્રાઈવમાં રીક્ષામાં  માસ્ક વગર મહિલા પાસે દંડ લીધો હતો. મહિલાને 500 રૂપિયા દંડ ફટકાર્યો હતો.

પોલીસે રીક્ષામાં માસ્ક વગર બેસેલ મહિલાને પૂછ્યું માસ્ક કેમ નથી પહેર્યું. મહિલાએ કહ્યું મેકપ ખરાબ થઈ જાય એટલે માસ્ક નથી પહેર્યું.

પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાએ હાહાકાર મચાવતા  ગુજરાત સરકાર (Gujarat Government) હરકતમાં આવી ગઈ છે. સુરત આરટીઓ (Surat RTO) દ્વારા મહારાષ્ટ્ર તરફ દોડતી ખાનગી 50થી વધુ બસો બંધ કરાઈ છે. સુરત RTO દ્વારા બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આદેશનો ભંગ જણાશે તો કાર્યવાહી કરાશે.

 

મોટાભાગના સંચાલકો બંધના આદેશના વિરોધમાં છે. રોડ ટેક્સ ભરાઈ ગયા બાદ બંધ કરાવે છે. મહારાષ્ટ્રથી આવતી બસોમાં રોજ 70 થી વધુ પોઝિટિવ મળી આવતા હતા. ખાનગી લકઝરી બસ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘને જણાવ્યું હતું કે, બસોની સાથે બસ  સંચાલકોને ટેક્સ ભરવાનો આવે છે, તે ટેક્સ પણ બંધ કરવો જોઇએ. બંધ લક્ઝરી બસનો ટેક્સ માલિકો કઈ રીતે ભરી શકે. આવતી કાલે વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુને મળવા જઈ રહ્યા છીએ. અમે અમારી સમસ્યાઓ અંગે બપોરે રજૂઆત કરવાના છીએ.

 

ગુજરાતમાં કોરોનાનું (Gujarat Corona Cases) સંક્રમણ દિવસને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. તેમાં પણ રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતની હાલત અત્યંત ખરાબ છે. સુરતમાં કોરોનાના (Surat Coronavirus Cases) વધતા પ્રકોપને લઈ મનપા કમિશનર દ્વારા હોટલને (Hotels) કોવિડ સેન્ટર (Covid Center) માં ફેરવવા આદેશ કર્યો છે. શહેરમાં 9 જેટલી હોટલને કોવિડ સેન્ટરમાં ફેરવામાં આવી આવી છે.

કઈ કઈ હોટલોને કોવિડ સેન્ટર બનાવાઈ

 

 

 

બહાર ગામથી આવતા અને કોરોના પોઝિટિવ આવતાં લોકો ક્વોરન્ટાઈન (Quarantine) કરવા માટે વ્યવસ્થા કરાઈ છે. હોટલોમાં કોવિડ સેન્ટર થકી કોરોના પોઝિટિવ વ્યક્તિની સારવાર કરવામાં આવશે. સુરતની ગોલ્ડન સ્ટાર, જીંજર, ગોકુલ સોલિટેર, વિજયા લક્ષ્મી હોલ, ક્રિષ્ના હોટલ, એકવા કોરિડોર, લા વિક્ટોરિયા, આકાશ, સેલિબ્રેશન હોટલોને હોસ્પિટલ એટલે કે કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવી છે.

 

 

 

સુરતમાં શું છે કોરોનાની સ્થિતિ

 

 

 

રવિવારે સુરતમાં કોરોનાના નવા 724 કેસ સામે આવ્યા હતા. જે પૈકી 179 કેસ જિલ્લામાં સામે આવ્યા હતા. રવિવારે 8ના મોતથી કુલ મૃત્યુ આંક 1196 પર પહોંચી ગઈ છે. રવિવારે 687 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. કુલ 62919 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. હાલ કુલ 3750 એક્ટિવ કેસ છે. સિવિલ હોસ્પિટલમાં 318 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.જયારે 99 લોકો બાયપેપ પર અને 18 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 160 લોકો ઓક્સિજન પર, 41 લોકો બાયપેપ પર અને 14 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

 

 

 

ગુજરાતમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

 

 

 

તારીખ

નોંધાયેલા કેસ

મોત

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8

27 માર્ચ

2276

5

કુલ કેસ અને મોત

 22,118

87

 

 

 

 

 

 

 

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

 

 

 

રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના (Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14  લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2024  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81  ટકા છે.

 

 

 

કેટલા લોકોએ લીધી રસી

 

 

 

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget