શોધખોળ કરો

Surat: અમદાવાદ જતી ટ્રેનને ઉથલાવવાનો કર્યો પ્રયાસ, બે શખ્સોની અટકાયત

સુરતમાં બે દિવસ પહેલા ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ દેખાતા મોટર મેનની નજર પડી હતી. મોટર મેનની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.

સુરત: સુરતમાં બે દિવસ પહેલા ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ દેખાતા મોટર મેનની નજર પડી હતી. મોટર મેનની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.  સૌરાષ્ટ્ર જનતાના મોટર મેનની સતર્કતાના પગલે મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી. 

સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી. આ  દરમિયાન ઘટના  બની હતી. બે દિવસ પહેલા બનેલી ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં બે ભંગારીયાઓનું કારસ્તાન  સામે આવ્યું છે. રેલવેની હદમાંથી ચોરેલ લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મુક્યો હતો. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,  ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીધો નહોતો. જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મુક્યો હતો. પોલીસે બંને શખ્સોની  અટકાયત કરી છે. અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.  

ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, ચોરી કરતી ગજ્જર ગેંગના 3 ઓરોપીઓને ઝડપી પાડ્યા

સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે આંતરરાજ્ય ગજ્જર ગેંગના દીલ્હી, હરીયાણા ખાતેથી કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગજ્જર ગેંગ દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં દિવસ દરમ્યાન VIP વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકુચો તોડી ઘરફોડ ચોરી કરતા હતા. આ ગેંગ દ્વારા ગત 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા અને હોટલોમાં રોકાઈ શહેરના અડાજણ, પાલ, ઉમરા વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી. તે દરમિયાન અડાજણના વિસ્તારના એક બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો. તે મકાન માંથી આશરે 2.65.000 લાખ રૂપિયાની ચોરી કરી  હોવાની કબુલાત કરવામાં આવી છે.

આ ઉપરાંત 3 મહિના પહેલા વડોદરા શહેરમાં પણ વાડી-પાણીગેટ-નવાપુર વિસ્તારમાં બંધ ફ્લેટ્સે ટાર્ગેટ કરી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. તે ઉપરાંત અમદાવાદ-રાજકોટ-પોરબંદર ખાતે પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરી હતી. આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત, દિલ્હી,  મહારાષ્ટ્ર, બેંગ્લુરુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન ખાતે દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરે છે અને રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના સસ્તા ભાવે દિલ્હી ખાતે વેચાણ કરે છે. હાલ ત્રણે આરોપીઓની વધુ પૂછપરછ પોલીસ દ્વારા  કરવામાં આવી રહી છે.               

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
Embed widget