શોધખોળ કરો

Lok Sabha Elections 2024: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ નથી લડવા માંગતા ચૂંટણી,નામો જાણી ચોંકી જશો

Election 2024: કોંગ્રેસના મોટા ભાગના મોટા નેતાઓ આ વખતે લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરતા અચકાયા છે. દેશનું વાતાવરણ જોઈને પાર્ટી ઈચ્છે છે કે તેઓ ચૂંટણી લડે, પરંતુ તેઓ પીછેહઠ કરતા જણાય છે.

Lok Sabha Elections 2024: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે શતરંજનો પાટો સંપૂર્ણ રીતે બિછાવી દેવામાં આવ્યો છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે તમામની નજર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની યાદી પર છે.

 વાસ્તવમાં, કોંગ્રેસ પાર્ટી તેના મોટા નેતાઓને લોકસભા ચૂંટણી લડવવા માંગે છે, પરંતુ ઘણા રાજ્યોમાંથી તેના મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનથી દૂર રહેતા જોવા મળે છે. આ યાદીમાં પ્રિયંકા ગાંધીથી લઈને પીએલ પુનિયા સુધીના નામોના સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસના કેટલાક મોટા ચહેરાઓ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવતા જોવા મળી રહ્યા છે. જો આપણે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની વાત કરીએ તો તેમને રાજનાંદગાંવ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

 કર્ણાટકના મંત્રીઓને પણ ટિકિટ મળી શકે છે

  • આ સિવાય પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી ચૂંટણી લડનારા નેતાઓની સંભવિત યાદીમાં સામેલ છે. બીજી તરફ કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ મોટા ભાગના મોટા નેતાઓ કેબિનેટમાં છે અને તેઓ લોકસભાની ચૂંટણી લડવામાં રસ ધરાવતા નથી. એક લાંબી યાદી પણ છે જેમાં આ નામોનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
  • પ્રિયંકા ગાંધી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના લોકસભા ચૂંટણી લડવા અંગે સસ્પેન્સ છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રિયંકા ગાંધીની રાજકીય સક્રિયતા મર્યાદિત થઇ ગઇ છે. સોનિયા ગાંધીના રાજ્યસભામાં ગયા બાદ રાયબરેલીની બેઠક ખાલી પડી છે, પરંતુ પ્રિયંકા ગાંધી દ્વારા ચૂંટણી લડવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
  • મલ્લિકાર્જુન ખડગેઃ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કર્ણાટકના ગુલબર્ગાથી છેલ્લી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. હવે તેઓ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે. લોકસભાની ચૂંટણી નહીં લડે. તેનું મુખ્ય કારણ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની તેમની જવાબદારી અને તેમની ઉંમર 80થી વધુ છે.
  • અશોક ગેહલોતઃ સક્રિય દેખાય છે, પરંતુ ચૂંટણી લડવી નિશ્ચિત નથી. પુત્ર વૈભવ ગેહલોત પોતાની જૂની સીટ જોધપુરને બદલે જાલોરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે.
  • સચિન પાયલટઃ પાર્ટી ઇચ્છે છે કે સચિન લોકસભા લડે, પરંતુ હવે તે છત્તીસગઢના પ્રભારી પણ છે, તેથી તેના ચૂંટણી લડવાની શક્યતા ઓછી છે.ટી એસ સિંહ દેવઃ છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટી એસ સિંહ દેવ વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે, પરંતુ અંગત કારણોસર તેઓ લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમની પત્નીની તબિયત સારી નથી.
  • દિગ્વિજય સિંહઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રાજ્યસભાના સાંસદ છે અને લોકસભાની ચૂંટણી લડતા જોવા મળતા નથી. ભોપાલથી છેલ્લી લોકસભા ચૂંટણી હારી હતી.
  • કમલનાથ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ છિંદવાડા લોકસભા સીટથી સાંસદ છે. આવી સ્થિતિમાં કમલનાથ માટે ચૂંટણી લડવી મુશ્કેલ લાગી રહી છે.
  • પ્રમોદ તિવારી: યુપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા છે. પાર્ટીની ઈચ્છા છતાં પ્રમોદ તિવારીએ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.
  • પીએલ પુનિયાઃ યુપી કોંગ્રેસના દલિત ચહેરા પીએલ પુનિયા તેમના પુત્ર તનુજ પુનિયાને બારાબંકીથી ચૂંટણી લડાવવા માંગે છે.
  • ભૂપિન્દર સિંઘ હુડ્ડા: હરિયાણામાં વિરોધ પક્ષના નેતા, ભૂપિન્દર સિંહ હુડ્ડા છેલ્લી લોકસભા ચૂંટણી હારી ગયા હતા; આ વખતે લડવાના મૂડમાં નથી. તેમના પુત્ર રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા રોહતકથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
  • કુમારી શૈલજાઃ હરિયાણાના વરિષ્ઠ નેતા કુમારી શૈલજા લોકસભાની જગ્યાએ થોડા મહિના પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે.
  • રણદીપ સુરજેવાલાઃ રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલા પણ લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા નથી.
  • રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
  • જો પંજાબ અને કેરળના રાજકારણની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે અને ભાજપ સાથે સીધી સ્પર્ધા નથી. આ રાજ્યોમાં મોટા ભાગના મોટા નેતાઓ ચૂંટણી લડવા માટે કતારમાં છે. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ લોકસભા ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધી પોતે કેરળની વાયનાડ બેઠક પરથી ફરી એકવાર ચૂંટણી લડવાના છે. આ સીટ પર રાહુલ ગાંધી સીપીઆઈને પડકારવાના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget