શોધખોળ કરો

Lok Sabha Elections 2024: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ નથી લડવા માંગતા ચૂંટણી,નામો જાણી ચોંકી જશો

Election 2024: કોંગ્રેસના મોટા ભાગના મોટા નેતાઓ આ વખતે લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરતા અચકાયા છે. દેશનું વાતાવરણ જોઈને પાર્ટી ઈચ્છે છે કે તેઓ ચૂંટણી લડે, પરંતુ તેઓ પીછેહઠ કરતા જણાય છે.

Lok Sabha Elections 2024: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે શતરંજનો પાટો સંપૂર્ણ રીતે બિછાવી દેવામાં આવ્યો છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે તમામની નજર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની યાદી પર છે.

 વાસ્તવમાં, કોંગ્રેસ પાર્ટી તેના મોટા નેતાઓને લોકસભા ચૂંટણી લડવવા માંગે છે, પરંતુ ઘણા રાજ્યોમાંથી તેના મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનથી દૂર રહેતા જોવા મળે છે. આ યાદીમાં પ્રિયંકા ગાંધીથી લઈને પીએલ પુનિયા સુધીના નામોના સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસના કેટલાક મોટા ચહેરાઓ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવતા જોવા મળી રહ્યા છે. જો આપણે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની વાત કરીએ તો તેમને રાજનાંદગાંવ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

 કર્ણાટકના મંત્રીઓને પણ ટિકિટ મળી શકે છે

  • આ સિવાય પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી ચૂંટણી લડનારા નેતાઓની સંભવિત યાદીમાં સામેલ છે. બીજી તરફ કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ મોટા ભાગના મોટા નેતાઓ કેબિનેટમાં છે અને તેઓ લોકસભાની ચૂંટણી લડવામાં રસ ધરાવતા નથી. એક લાંબી યાદી પણ છે જેમાં આ નામોનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
  • પ્રિયંકા ગાંધી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના લોકસભા ચૂંટણી લડવા અંગે સસ્પેન્સ છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રિયંકા ગાંધીની રાજકીય સક્રિયતા મર્યાદિત થઇ ગઇ છે. સોનિયા ગાંધીના રાજ્યસભામાં ગયા બાદ રાયબરેલીની બેઠક ખાલી પડી છે, પરંતુ પ્રિયંકા ગાંધી દ્વારા ચૂંટણી લડવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
  • મલ્લિકાર્જુન ખડગેઃ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કર્ણાટકના ગુલબર્ગાથી છેલ્લી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. હવે તેઓ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે. લોકસભાની ચૂંટણી નહીં લડે. તેનું મુખ્ય કારણ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની તેમની જવાબદારી અને તેમની ઉંમર 80થી વધુ છે.
  • અશોક ગેહલોતઃ સક્રિય દેખાય છે, પરંતુ ચૂંટણી લડવી નિશ્ચિત નથી. પુત્ર વૈભવ ગેહલોત પોતાની જૂની સીટ જોધપુરને બદલે જાલોરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે.
  • સચિન પાયલટઃ પાર્ટી ઇચ્છે છે કે સચિન લોકસભા લડે, પરંતુ હવે તે છત્તીસગઢના પ્રભારી પણ છે, તેથી તેના ચૂંટણી લડવાની શક્યતા ઓછી છે.ટી એસ સિંહ દેવઃ છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટી એસ સિંહ દેવ વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે, પરંતુ અંગત કારણોસર તેઓ લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમની પત્નીની તબિયત સારી નથી.
  • દિગ્વિજય સિંહઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રાજ્યસભાના સાંસદ છે અને લોકસભાની ચૂંટણી લડતા જોવા મળતા નથી. ભોપાલથી છેલ્લી લોકસભા ચૂંટણી હારી હતી.
  • કમલનાથ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ છિંદવાડા લોકસભા સીટથી સાંસદ છે. આવી સ્થિતિમાં કમલનાથ માટે ચૂંટણી લડવી મુશ્કેલ લાગી રહી છે.
  • પ્રમોદ તિવારી: યુપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા છે. પાર્ટીની ઈચ્છા છતાં પ્રમોદ તિવારીએ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.
  • પીએલ પુનિયાઃ યુપી કોંગ્રેસના દલિત ચહેરા પીએલ પુનિયા તેમના પુત્ર તનુજ પુનિયાને બારાબંકીથી ચૂંટણી લડાવવા માંગે છે.
  • ભૂપિન્દર સિંઘ હુડ્ડા: હરિયાણામાં વિરોધ પક્ષના નેતા, ભૂપિન્દર સિંહ હુડ્ડા છેલ્લી લોકસભા ચૂંટણી હારી ગયા હતા; આ વખતે લડવાના મૂડમાં નથી. તેમના પુત્ર રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા રોહતકથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
  • કુમારી શૈલજાઃ હરિયાણાના વરિષ્ઠ નેતા કુમારી શૈલજા લોકસભાની જગ્યાએ થોડા મહિના પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે.
  • રણદીપ સુરજેવાલાઃ રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલા પણ લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા નથી.
  • રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
  • જો પંજાબ અને કેરળના રાજકારણની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે અને ભાજપ સાથે સીધી સ્પર્ધા નથી. આ રાજ્યોમાં મોટા ભાગના મોટા નેતાઓ ચૂંટણી લડવા માટે કતારમાં છે. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ લોકસભા ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધી પોતે કેરળની વાયનાડ બેઠક પરથી ફરી એકવાર ચૂંટણી લડવાના છે. આ સીટ પર રાહુલ ગાંધી સીપીઆઈને પડકારવાના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Embed widget