શોધખોળ કરો

વડતાલ મંદિરના સાધુઓની લંપટગીરીથી હરિભક્તોમાં રોષ, સાધુઓએ સંપ્રદાયને બદનામ કર્યોઃ હરિભક્તો

મંદિરની ઓફિસ બહાર હરિભક્તો વિરોધ કરી રહ્યા છે. લંપટ સાધુઓને ભગાવો તેવા હરિભક્તોએ નારા લગાવ્યા છે.

Vadtal Swaminarayan Temple Dispute: વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં આવતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરમાં પહોંચ્યા છે. મુંબઈ અને સમગ્ર ગુજરાતમાંથી હરિભક્તો વડતાલ પહોંચ્યા છે. જ્યાં બેનર સાથે વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે આવા સ્વામીઓને દૂર કરવામા આવે. ગુજરાતની સાથે મુંબઈથી પણ ભક્તો મંદિરમાં પહોંચ્યા છે. લંપટ સાધુઓને દુર કરવાની હરિભક્તો માગ કરી રહ્યા છે. લંપટ સાધુઓના અશોભનીય કૃત્યથી હરિભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે.

મંદિરની ઓફિસ બહાર હરિભક્તો વિરોધ કરી રહ્યા છે. લંપટ સાધુઓને ભગાવો તેવા હરિભક્તોએ નારા લગાવ્યા છે. સુરત, ભરૂચ,અમરેલી, ભાવનગરથી હરિભક્તો વડતાલ પહોંચ્યા છે. સાધુઓની લંપટગીરીથી હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના સાધુઓ પર નાણાની હેરાફેરી કરવાનો આરોપ હરિભક્તો લગાવી રહ્યા છે. હરિભક્તોનું કહેવું છે કે, સાધુઓએ સંપ્રદાયને બદનામ કર્યો છે. મંદિરમાંથી સાધુઓ ફરાર થયાનો હરિભક્તો આરોપ લગાવી રહ્યાં છે. આ મામલે વડતાલ મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

નોંધનીય છે કે, વડોદરાના વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબામાં આવેલા વાડી સ્વામીનારાયણ મંદિરના ભૂતપૂર્વ કોઠારી, સ્વામી જગત પાવન પર 2016માં સગીરા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. તાજેતરમાં વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જગત પાવન ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે. પોલીસે વડતાલ મંદિરમાં તપાસ શરૂ કરી છે અને જ્યાં જગત પાવન રહેતા હતા તે રૂમનું સઘન નિરીક્ષણ કર્યું છે.

વડોદરાનાં વાડી સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જેપી સ્વામીએ મંદિરે દર્શન માટે આવતા એક પરિવારની સગીર દિકરી સાથે પરિચય વધાર્યો હતો. વર્ષ 2016માં, તેમણે દિકરીને મંદિરના નીચેના રૂમમાં ગિફ્ટ આપવાના બહાને બોલાવી, તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં, સગીરા પાસે ગંદી ઓનલાઇન માંગણીઓ કરવામાં આવી હતી. તાજેતરમાં, આ સગીરાએ હિંમત એકત્ર કરીને વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ, વાડી પોલીસ મથકે જગત પાવનદાસ સ્વામી સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.

ત્યારે પછીથી, દુષ્કર્મના આરોપી જગત પાવન સ્વામી ફરાર છે. એસીપી દ્વારા આ મામલે વિવિધ ટીમો બનાવીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં વાડી પોલીસની ટીમ વડતાલ પહોંચીને, જગત પાવન સ્વામી રહેતા સંત નિવાસમાં તપાસ કરી છેનોંધનીય છે કે, જગત પાવન સ્વામી (જે.પી. સ્વામી) સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાયા બાદથી તેઓ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસની ટીમો સતત કામગીરી કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Embed widget