શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાને લઈને વધુ એક જિલ્લાથી આવ્યા મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ

અરવલ્લી અને પંચમહાલ જિલ્લો કોરોનામુક્ત બનેલા છે. આમ, મધ્ય ગુજરાતના બે જિલ્લા કોરોનામુક્ત થયા છે. અગાઉ ડાંગ, પાટણ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા હતા. જોકે, આ જિલ્લામાં ફરીથી કેસ નોંધાયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવે ગુજરાતમાં માત્ર 345 એક્ટિવ કેસો જ રહ્યા છે. ત્યારે એક પછી એક જિલ્લા ફરી એકવાર કોરોનામુક્ત બની રહ્યા છે. હવે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ જિલ્લામાં હવે કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 

રાજ્યમાં આ સિવાય અરવલ્લી અને પંચમહાલ જિલ્લો કોરોનામુક્ત બનેલા છે. આમ, મધ્ય ગુજરાતના બે જિલ્લા કોરોનામુક્ત થયા છે. અગાઉ ડાંગ, પાટણ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા હતા. જોકે, આ જિલ્લામાં ફરીથી કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે પોરબંદર, પાટણ, મોરબી, મહીસાગર જિલ્લામાં કોરોનાના માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. 

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે.   છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે.  રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 345 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 340 લોકો સ્ટેબલ છે. 8,14,223 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 331ને પ્રથમ અને 14305 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 65429 લોકોને પ્રથમ અને 79431 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 1,87,827 નાગરિકોને રસીનો પ્રથમ અને 8630 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,55,953 લોકોનું કુલ રસીકરણ થયું હતું. જ્યારે ગુજરાતમાં 3,10,11,525 નાગરિકોને અત્યાર સુધી ગુજરાતમાં રસીકરણ થઇ ચુક્યું છે.

અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ,  દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણમાં એક પણ કેસ નોંધાયો નથી. 

રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,55,953 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે. આજે 61 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 814223 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર
વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Embed widget