શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાને લઈને વધુ એક જિલ્લાથી આવ્યા મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ

અરવલ્લી અને પંચમહાલ જિલ્લો કોરોનામુક્ત બનેલા છે. આમ, મધ્ય ગુજરાતના બે જિલ્લા કોરોનામુક્ત થયા છે. અગાઉ ડાંગ, પાટણ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા હતા. જોકે, આ જિલ્લામાં ફરીથી કેસ નોંધાયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવે ગુજરાતમાં માત્ર 345 એક્ટિવ કેસો જ રહ્યા છે. ત્યારે એક પછી એક જિલ્લા ફરી એકવાર કોરોનામુક્ત બની રહ્યા છે. હવે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ જિલ્લામાં હવે કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 

રાજ્યમાં આ સિવાય અરવલ્લી અને પંચમહાલ જિલ્લો કોરોનામુક્ત બનેલા છે. આમ, મધ્ય ગુજરાતના બે જિલ્લા કોરોનામુક્ત થયા છે. અગાઉ ડાંગ, પાટણ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા હતા. જોકે, આ જિલ્લામાં ફરીથી કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે પોરબંદર, પાટણ, મોરબી, મહીસાગર જિલ્લામાં કોરોનાના માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. 

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે.   છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે.  રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 345 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 340 લોકો સ્ટેબલ છે. 8,14,223 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 331ને પ્રથમ અને 14305 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 65429 લોકોને પ્રથમ અને 79431 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 1,87,827 નાગરિકોને રસીનો પ્રથમ અને 8630 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,55,953 લોકોનું કુલ રસીકરણ થયું હતું. જ્યારે ગુજરાતમાં 3,10,11,525 નાગરિકોને અત્યાર સુધી ગુજરાતમાં રસીકરણ થઇ ચુક્યું છે.

અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ,  દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણમાં એક પણ કેસ નોંધાયો નથી. 

રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,55,953 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે. આજે 61 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 814223 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને  છોડ્યું  નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને છોડ્યું નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Advertisement

વિડિઓઝ

Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને  છોડ્યું  નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને છોડ્યું નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
આ ભારતીય બેટ્સમેને સતત ફટકારી બીજી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યો કમાલ
આ ભારતીય બેટ્સમેને સતત ફટકારી બીજી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યો કમાલ
Embed widget