શોધખોળ કરો

Vadodara News: વડોદરામાં પૂર બાદ આવી નવી આફત, આ રોગના ભરડામાં આવ્યા 25 હજાર લોકો

Vadodara News: વડોદરામાં પુર બાદ મોટી સંખ્યામાં પુર અસરગ્રસ્તોને ચામડીના રોગ થઈ રહ્યા છે. શહેરની ખાનગી, સરકારી હોસ્પિટલમાં 25 હજાર દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે.

Vadodara News: વડોદરામાં આવેલ પુરમાં અનેક વિસ્તારના લોકો 2થી 3 દિવસ પાણીમાં રહ્યા, લોકોના ઘર પાણીમાં ડૂબ્યા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારમાં પહેલા માળ સુધી મકાનો ડૂબ્યા હતા. લોકો 3 દિવસ સુધી ઘરમાં અને અઠવાડિયા સુધી પાણીમાં અવરજવર કરતા લોકોના પગમાં ફંગસ થવા લાગ્યા છે. આંગળીઓ વચ્ચે અને પગ તળિયે છાલા પડી ગયા ચામડી ઉતરી રહી છે. પલળેલા જ કપડા લોકોએ 2થી 3 દિવસ પહેરી રાખતા પગ અને કમ્મરના ભાગે ફંગસ થતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળી 25 હજારથી વધુ લોકો ચામડીની બીમારીની સારવાર લઈ રહ્યા છે.

 

આ અંગે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહી રહ્યા છે કે પૂર બાદ ચામડીના દર્દીઓ ડબલ થઈ જવા પામ્યા છે. 200 જેટલી ખાનગી હોસ્પિટલમાં રોજના 40 થી 50 દર્દીઓ આવી રહ્યા છે. શહેરની સરકારી હોસ્પિટલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચી રહ્યા છે. ડોક્ટરે કહ્યું કે, લોકો પલળેલા પગને ગરમ પાણીથી ધોઈ આંગળીઓ પણ સાફ કરે ત્યાં તેલ અથવા ક્રીમ લગાવે. 2 થી 3 દિવસ પલળેલા કપડાં ગરમ પાણીમાં પલાળી ધોવે , શક્ય હોય ગંદા પાણીમાં ચાલવાનું ટાળી ડોક્ટરની સલાહ લે તે જરૂરી છે. 

તમને જણાવી દઈએ કે, આ વર્ષે વડોદરાવાસીઓને ભયંકર પૂરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની ઘરવખરી પળળી ગઈ તો પૂર બાદ ઠેરઠેર ગંદકી જોવા મળી હતી. જે બાદ રોગચાળામાં પણ વધારો થયો છે. લોકો શરદી,ઉધરસ, તાવ બાદ અને ચામડીના રોગોથી પિડાઈ રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ લાવી રહેલી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે.  હવામાન વિભાગે આજે બનાસકાંઠા અને પાટણમાં છુટાછવાયાથી લઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  રાજ્યમાં આજે દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છુટાછવાયા  અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છુટા છવાયાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી ચાર દિવસ ગુજરાત રીજીયનમાં છુટા છવાયાથી લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.  

બે વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે

સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવા માટે કારણભૂત બની છે.  સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  સાયક્લૉનિક સર્ક્યૂલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવામાં કારણભૂત બનશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આ સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે, રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે.

આ પણ વાંચો...

આજે પાટણ-બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પણ થશે મેઘમહેર 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
Embed widget