શોધખોળ કરો

ભાજપના આ દિગ્ગજ નેતાએ વિધાનસભા ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી, જાણો 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકારણ સાથે જોડાયેલા મોટા અપડેટ સતત  સામે આવતા રહે છે. 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકારણ સાથે જોડાયેલા મોટા અપડેટ સતત  સામે આવતા રહે છે.  વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુ સુખડિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની  જાહેરાત કરી છે.  ધારાસભ્ય જીતુ સુખડિયાએ ગોત્રી હોસ્પિટલમાં પોતાની ગ્રાંટમાંથી આપેલી સાધન સહાયના લોકાર્પણના કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.  ધારાસભ્ય જીતુભાઈની જાહેરાતને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે મોટી જાહેરાત ગણાવી છે. 

જીતુ સુખડિયા સતત ચાર ટર્મથી સયાજીગંજના ધારાસભ્ય છે. ધારાસભ્ય જીતુ સુખડિયાએ એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે મે 2017 વખતે જ જાહેરાત કરી હતી કે આ મારી છેલ્લી ચૂંટણી છે.  પોતે સંગઠનમાં રહીને કામ કરવાની ઈચ્છા વ્યકત કરી છે.  2022ની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરનારા જીતુ સુખડિયા ભાજપના પ્રથમ ધારાસભ્ય બન્યા છે.  હવે અન્ય સિનિયર ધારાસભ્યના નિર્ણય પર સૌની નજર રહેશે. 

સીએમ ભુપેન્દ્ર પટેલે નવસારીના ગણદેવી ખાતે 'વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર' યોજનાનો શિલાન્યાસ કર્યો, જાણો આ યોજના વિશે

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા નગર પાસેથી કાવેરી નદી પસાર થાય છે. બિલીમોરા અને તેની આજુબાજુના ગામોથી દરિયાનું અંતર આશરે 13  થી 15 કિ.મી. જેટલું છે. આ વિસ્તારમાં ચોમાસામાં ભારે વરસાદ પડતો હોવાથી કાવેરી, અંબિકા નદીઓમાં દર ચોમાસે બે થી ત્રણ મોટા પૂર આવે છે. આમ છતાં, દરિયાની ભરતીનું ખારૂ પાણી નદીમાં પ્રવેશવાને કારણે નદીના અને આજુબાજુ બોર-કુવાના ભૂગર્ભ જળ ખારા થઈ ગયા છે, આ પાણીને ઘરવપરાશ, સિંચાઈ કે અન્ય વપરાશમાં લઈ શકાતું નથી. આમ બિલીમોરા અને આસપાસના અંદાજે 10 ગામોમાં પીવાના મીઠા પાણી તેમજ ખેતી કે અન્ય ઘરગથ્થુ ઉપયોગ માટે મીઠા પાણીની ખૂબ મોટી અને ગંભીર સમસ્યા છે.

વાઘરેચ ગામે કાવેરી નદી અંબિકા નદીને મળે છે તે પહેલા અને કાવેરી નદી પરના વાઘરેચ ગામ બિલીમોરા વલસાડ કોસ્ટલ  હાઈવેની હેઠવાસમાં વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કરાયું છે. આ કામના ટેન્ડરની અંદાજીત કિંમત 250 કરોડની છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે ગણદેવી ખાતે 'વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર' યોજનાનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રોજેક્ટમાં કાવેરી નદી પર દરવાજાવાળુ વિયર સ્ટ્રકચર તેમજ નદીના બંને કાઠાનું પૂરથી સરંક્ષણ માટે પાળા અને દીવાલનું ઈ.પી.સી. ધોરણે બાંધકામ કરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
Embed widget