શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદ પછી કયા જાણીતા શહેરમાં રાતે 10 વાગ્યા બાદ અમુક દુકાનો બંધ કરવાનો લેવાઈ શકે છે નિર્ણય?
અમદાવાદની જેમ વડોદરામાં પણ સમયમર્યાદા નક્કી થઈ શકે છે. વડોદરાના મેયર ડો. જિગીષાબેન શેઠે આ અંગે નિવેદન આપ્યું હતું. રાત્રિના સમયે વેપાર અંગે પ્રતિબંધ લાદવાનો નિર્ણય વિચારણા હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું.
![અમદાવાદ પછી કયા જાણીતા શહેરમાં રાતે 10 વાગ્યા બાદ અમુક દુકાનો બંધ કરવાનો લેવાઈ શકે છે નિર્ણય? Vadodara city may after 10 PM some shops closed decision by corporation due to hike covid-19 cases અમદાવાદ પછી કયા જાણીતા શહેરમાં રાતે 10 વાગ્યા બાદ અમુક દુકાનો બંધ કરવાનો લેવાઈ શકે છે નિર્ણય?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/29130729/Vadodara.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે ગઈ કાલે અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા પછી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાણી-પીણીની બજારો અને દુકાનો બંધ રાખવાનો અમદાવાદ કોર્પોરેશને નિર્ણય લીધો છે. જોકે, અગાઉ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદની જેમ વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર ચિંતિત બન્યું છે.
અમદાવાદની જેમ વડોદરામાં પણ સમયમર્યાદા નક્કી થઈ શકે છે. વડોદરાના મેયર ડો. જિગીષાબેન શેઠે આ અંગે નિવેદન આપ્યું હતું. રાત્રિના સમયે વેપાર અંગે પ્રતિબંધ લાદવાનો નિર્ણય વિચારણા હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાશે તો વડોદરામાં તંત્ર પણ નિર્ણય લેશે, તેમ તેમણે જણાવ્યું હતું. રાત્રિના 10 વાગ્યા બાદ કેટલાક વિસ્તારોમાં દુકાન બજાર બંધ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)