શોધખોળ કરો

વડોદરામાં બે દિવસ રહેશે પાણીકાપ, 10 લાખથી વધુ નાગરિકોને નહી મળે પાણી

પાણીકાપના કારણે 10 લાખથી વધુ નાગરિકોને 2 દિવસ પાણી મળશે નહીં. આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે.

વડોદરામાં 5 અને 6 ઓગસ્ટે પાણીકાપ રહેશે. પાણીકાપના કારણે 10 લાખથી વધુ નાગરિકોને 2 દિવસ પાણી મળશે નહીં. એરપોર્ટ બૂસ્ટર, કારેલીબાગ, બકરાવાડીમાં 2 દિવસ પાણીકાપ રહેશે. આજવા, વારસીયા, નવલખી, દરજીપુરા, ફતેપુરા, નવી ધરતી, સાધનાનગર, નોર્થ હરણી, સમા, સયાજીબાગ, જેલરોડ, લાલબાગ ટાંકી વિસ્તારમાં પાણીકાપ રહેશે.

મહીસાગર નદી પર આવેલા રાયકા પાણીના સ્ત્રોતથી આવતી જૂની ફીડર લાઈનને નવી ફીડર લાઈન સાથે જોડવાની કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાશે.આ પાણીકાપની અસર શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણી પુરવઠો આપતા મથકો પર જોવા મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નીચેના બૂસ્ટર અને ટાંકીઓનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે.

7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે

વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, આ જરૂરી પાણીકાપ 5 ઓગસ્ટના રોજ સવારના પાણી વિતરણ બાદ શરૂ થશે. આ શટડાઉનની અસર હેઠળ 5 ઓગસ્ટની સાંજે અને 6 ઓગસ્ટના સવારે પાણી વિતરણ બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે. આ શટડાઉનની અસર શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણી પુરવઠો આપતા મથકો પર જોવા મળશે. આ અંગે પાણી પુરવઠા અધિકારી જતીન બધેકાએ જણાવ્યું હતું કે, 'અમે નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ 5 અને 6 ઓગસ્ટ માટે જરૂરી પાણીનો સંગ્રહ કરી લે. આ કામગીરી શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અનિવાર્ય છે. વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને આગોતરા પાણીનો સંગ્રહ કરવાની અને આ કામગીરીમાં સહયોગ આપવાની વિનંતી કરી છે.

બીજી તરફ નર્મદા સરદાર સરોવર બંધમાં પાણીની આવક ઘટતાં જળ સપાટીમાં પણ ઘટાડો થયો હતો. નર્મદા ડેમની જળ સપાટી 132.00 મીટર પર પહોંચી છે. 24 કલાકમાં જળસપાટીમાં 0.5 મીટરનો ઘટાડો થયો હતો. ડેમના વધુ 5 ગેટ બંધ કરાયા હતા. નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૂ થતાં નદી કાંઠાનાં લોકોને રાહત મળી હતી.                                                                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Embed widget