શોધખોળ કરો

International Women’s Day: શા માટે મનાવાય છે વૂમન્સ ડે, શું છે તેનું મહત્વન અને ઇતિહાસ, જાણો 2024ની થીમ

આ દિવસ દ્વારા લોકોને મહિલાઓના સંઘર્ષથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓ સાથે અન્યાયી વ્યવહાર, સમાજમાં તેમની ભૂમિકા અને તેમના સમાન અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.

International Women's Day: દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં, આ દિવસ ઇ Inspire Inclusion થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલા દિવસ માત્ર 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે?

ભલે આપણે 21મી સદીમાં જીવી રહ્યા હોઈએ, પરંતુ સમગ્ર વિશ્વમાં એક ઘરથી લઇને દુનિયાના ખૂણા સુધી લોકોના મનમાં હજુ પણ પુરૂષ વર્ચસ્વની વિચારસરણી પ્રચલિત છે. આજે પણ આખી દુનિયામાં સ્ત્રીને પોતાને સાબિત કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારતમાં આજે પણ  કેટલાક ઘરમાં પણ મહિલા સુરક્ષિત નથી. તો બીજી તરફ કેટલીક જગ્યાએ તો શિક્ષિત મહિલાને પણ પોતાની યોગ્યતા દર્શાવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતાનો ઉલ્લેખ વાતો અને કાગળોમાં કરવામાં આવ્યો છે, પરંતુ જો આપણે જોઈએ તો તે હજુ પણ વાસ્તવિકતામાં નથી દેખાતું  ગૃહિણી વિના ઘરનું કામ કરવું અશક્ય છે, છતાં તેણે પોતાનું મહત્વ સાબિત કરવું પડશે. મહિલાઓના સંઘર્ષ અને તેમની મહેનતના મહત્વને સમજવા માટે દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

મહિલા દિવસની શરૂઆત મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને તેમના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી. અહીં અમે તમને આ દિવસનો ઈતિહાસ, મહત્વ અને 2024ની થીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શરૂ થાય છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસનો ઈતિહાસ વર્ષ 1908 સાથે જોડાયેલો છે. અહેવાલો અનુસાર, 20મી સદીમાં અમેરિકા અને યુરોપમાં કામદારોના આંદોલન વચ્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ થયો હતો. આ દિવસને પણ માન્યતા મેળવવા માટે  ઘણા વર્ષો લાગ્યા. આંદોલનમાં મહિલાઓએ માંગ કરી હતી કે, તેમના કામના કલાકોની મર્યાદા હોવી જોઈએ. રશિયામાં મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરીને મહિલા દિવસની ઉજવણી કરી. આ દિવસ જણાવે છે કે કેવી રીતે મહિલાઓએ પુરુષો અને સ્ત્રીઓના અધિકારો વચ્ચેના ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો.

મહિલા દિવસનું મહત્વ

આ દિવસ દ્વારા લોકોને મહિલાઓના સંઘર્ષથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓ સાથે અન્યાયી વ્યવહાર, સમાજમાં તેમની ભૂમિકા અને તેમના સમાન અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. દુનિયા ભલે આધુનિક બની ગઈ હોય પરંતુ હજુ પણ મોટાભાગની મહિલાઓને પુરુષોના નિર્ણયો પર નિર્ભર રહેવું પડે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 થીમ

જ્યારે આ વૂમન ડે  1955 માં ઉજવવાનું શરૂ થયું, ત્યારે તેને ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી. આ પછી, 1996 થી, દર વર્ષે એક વિશેષ થીમ રાખવામાં આવી. આ વર્ષે 2024 માં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ‘Inspire Inclusion’          રાખવામાં આવી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે દરેક ક્ષેત્રમાં મહિલાઓની હાજરી જરૂરી છે અને જો નથી તો શા માટે નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025 LIVE: મહાકુંભ ભાગદોડ પર 9 વાગે રિપોર્ટ સોંપાશે, DGP અધિકારીઓના સંપર્કમાં
Mahakumbh 2025 LIVE: મહાકુંભ ભાગદોડ પર 9 વાગે રિપોર્ટ સોંપાશે, DGP અધિકારીઓના સંપર્કમાં
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede:  મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Mahakumbh Stampede: મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025: મહાકુંભમાં મોટી દુર્ઘટના, ભાગમદોડમાં 10થી વધુ લોકોના મોત | Abp AsmitaHun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : રાદડિયાએ કોને પડકાર્યા?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025 LIVE: મહાકુંભ ભાગદોડ પર 9 વાગે રિપોર્ટ સોંપાશે, DGP અધિકારીઓના સંપર્કમાં
Mahakumbh 2025 LIVE: મહાકુંભ ભાગદોડ પર 9 વાગે રિપોર્ટ સોંપાશે, DGP અધિકારીઓના સંપર્કમાં
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede:  મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Mahakumbh Stampede: મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM   મોદીએ આપ્યાં આ આદેશ
Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM મોદીએ આપ્યાં આ આદેશ
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
Embed widget