શોધખોળ કરો

Booster Dose: અમેરિકામાં કોરોના રસીના બૂસ્ટર ડોઝને મળી મંજૂરી, નબળી ઇમ્યૂનિટીવાળા લોકોને અપાશે ત્રીજો ડોઝ

અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત ડો. ફૌચીએ હાલમાં જ કહ્યું હતું કે, વધારાના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ ટૂંકમાં કરવામાં આવશે.

ન્યૂયોર્ક: અમેરિકામાં કોરોનાની રસીનો બૂસ્ટર આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે અમેરિકામાં કોરોનાનું વધારે જોખમ ધરાવતા દર્દીઓને રસીનો ત્રીજો ડોઝ પણ આપવામાં આવશે. મોર્ડના અને ફાઈઝર રસીનો ત્રીજો ડોઝ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવ્યો છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તેમને વધારે જોખમ ધરાવતા દર્દીઓના જૂથમાં રાખવામાં આવ્યા છે જેઓ પહેલાથી જ ગંભીર રોગોથી પીડિત છે અને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. મતલબ કે જે દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય અથવા કેન્સર જેવા રોગોથી પીડિત હોય તેમને રસીનો ત્રીજો ડોઝ મળશે.

એફડીએ કમિશનર જેનેટ વુડકોકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દેશમાં કોવિડ રોગચાળાની વધુ એક લહેર આવી છે. તેનાથી લોકોને ખાસ કરીને ગંભીર રોગનું જોખમ છે. નબળી રોગપ્રતિકાર ક્ષમતા ધરાવતા લોકો માટે બૂસ્ટર ડોઝ છે. જેમને પહેલાથી જ રસી આપવામાં આવી છે તેઓ હાલમાં સુરક્ષિત છે અને તેમને વધારાના ડોઝની જરૂરત નથી.

અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત ડો. ફૌચીએ હાલમાં જ કહ્યું હતું કે, વધારાના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ ટૂંકમાં કરવામાં આવશે. એક વધુ બૂસ્ટર ડોઝને ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મંજૂર કરવામાં આવશે. ફૌચીએ કહ્યું હતું કે, "એવો સમય પણ આવશે જ્યારે આપણને વધારાના ડોઝની જરૂર પડશે કારણ કે કોઈ પણ રસી કાયમી રક્ષણ પૂરું પાડતી નથી, તેમાં પણ હાલની રસીથી જ નહીં જ મળે. "

ભારતમાં કોરોના વાયરસ

ભારતમાં કોરોના કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. પરંતુ કોરોના હજુ ગયો નથી. હજુ પણ દેશમાં દરરોજ 40 હજાર કોરોના કેસ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 40,120 નવા કોરોના કેસ આવ્યા છે અને 585 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક દિવસ પહેલા 41,195 કેસ નોંધાયા હતા. તે જ સમયે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 42,295 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે ગઈકાલે 2760 એક્ટિવ કેસ ઓછા થયા હતા.

કોરોના વાયરસના કુલ કેસ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 21 લાખ 17 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 30 હજાર 254 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 13 લાખ 2 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા હવે ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 85 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુશ્મનોની વચ્ચે એકલું પડ્યું ઈરાન, રશિયા અને ચીન કેમ મદદથી પાછળ હટ્યા, આ રહ્યાં 4 મોટા કારણો
દુશ્મનોની વચ્ચે એકલું પડ્યું ઈરાન, રશિયા અને ચીન કેમ મદદથી પાછળ હટ્યા, આ રહ્યાં 4 મોટા કારણો
Hurun Global Rich List: આ મામલે અમેરિકાથી બાદશાહત છીનવીને ચીન બન્યુ દુનિયાનું નંબર-1, જાણો ભારતનું શું છે સ્થાન
Hurun Global Rich List: આ મામલે અમેરિકાથી બાદશાહત છીનવીને ચીન બન્યુ દુનિયાનું નંબર-1, જાણો ભારતનું શું છે સ્થાન
કોણ છે જિયાંગ જુએકિન ? પહેલા જ કરી દીધી હતી અમેરિકા-ઇરાન યુદ્ધની ભવિષ્યવાણી, કહેવાય છે ચીનનો નાસ્ત્રેદમસ
કોણ છે જિયાંગ જુએકિન ? પહેલા જ કરી દીધી હતી અમેરિકા-ઇરાન યુદ્ધની ભવિષ્યવાણી, કહેવાય છે ચીનનો નાસ્ત્રેદમસ
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કર્યાં પૂજા પાઠ, જુઓ વીડિયો
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કર્યાં પૂજા પાઠ, જુઓ વીડિયો

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget