શોધખોળ કરો

Booster Dose: અમેરિકામાં કોરોના રસીના બૂસ્ટર ડોઝને મળી મંજૂરી, નબળી ઇમ્યૂનિટીવાળા લોકોને અપાશે ત્રીજો ડોઝ

અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત ડો. ફૌચીએ હાલમાં જ કહ્યું હતું કે, વધારાના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ ટૂંકમાં કરવામાં આવશે.

ન્યૂયોર્ક: અમેરિકામાં કોરોનાની રસીનો બૂસ્ટર આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે અમેરિકામાં કોરોનાનું વધારે જોખમ ધરાવતા દર્દીઓને રસીનો ત્રીજો ડોઝ પણ આપવામાં આવશે. મોર્ડના અને ફાઈઝર રસીનો ત્રીજો ડોઝ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવ્યો છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તેમને વધારે જોખમ ધરાવતા દર્દીઓના જૂથમાં રાખવામાં આવ્યા છે જેઓ પહેલાથી જ ગંભીર રોગોથી પીડિત છે અને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. મતલબ કે જે દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય અથવા કેન્સર જેવા રોગોથી પીડિત હોય તેમને રસીનો ત્રીજો ડોઝ મળશે.

એફડીએ કમિશનર જેનેટ વુડકોકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દેશમાં કોવિડ રોગચાળાની વધુ એક લહેર આવી છે. તેનાથી લોકોને ખાસ કરીને ગંભીર રોગનું જોખમ છે. નબળી રોગપ્રતિકાર ક્ષમતા ધરાવતા લોકો માટે બૂસ્ટર ડોઝ છે. જેમને પહેલાથી જ રસી આપવામાં આવી છે તેઓ હાલમાં સુરક્ષિત છે અને તેમને વધારાના ડોઝની જરૂરત નથી.

અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત ડો. ફૌચીએ હાલમાં જ કહ્યું હતું કે, વધારાના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ ટૂંકમાં કરવામાં આવશે. એક વધુ બૂસ્ટર ડોઝને ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મંજૂર કરવામાં આવશે. ફૌચીએ કહ્યું હતું કે, "એવો સમય પણ આવશે જ્યારે આપણને વધારાના ડોઝની જરૂર પડશે કારણ કે કોઈ પણ રસી કાયમી રક્ષણ પૂરું પાડતી નથી, તેમાં પણ હાલની રસીથી જ નહીં જ મળે. "

ભારતમાં કોરોના વાયરસ

ભારતમાં કોરોના કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. પરંતુ કોરોના હજુ ગયો નથી. હજુ પણ દેશમાં દરરોજ 40 હજાર કોરોના કેસ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 40,120 નવા કોરોના કેસ આવ્યા છે અને 585 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક દિવસ પહેલા 41,195 કેસ નોંધાયા હતા. તે જ સમયે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 42,295 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે ગઈકાલે 2760 એક્ટિવ કેસ ઓછા થયા હતા.

કોરોના વાયરસના કુલ કેસ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 21 લાખ 17 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 30 હજાર 254 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 13 લાખ 2 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા હવે ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 85 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget