શોધખોળ કરો

યુક્રેન વિમાન દુર્ઘટનાઃ ઇરાને બ્રિટિશ રાજદૂતની કરી ધરપકડ, લોકોને ભડકાવવાનો લાગ્યો આરોપ

બ્રિટનના રાજદૂત પર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા અને પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.

તેહરાનઃ બ્રિટનના રાજદૂતની શનિવારે ઇરાનના તહેરાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમના આરોપ છે કે તે સરકારી વિરોધી પ્રદર્શનમાં સામેલ થયા હતા. જોકે, બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે યુક્રેનનું વિમાન ભૂલથી તોડી પાડ્યા બાદ ઇરાનમાં તમામ સ્થળો પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. બ્રિટનના રાજદૂત પર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા અને પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે. ઇરાનનો આરોપ છે કે તેમણે ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટનના રાજદૂત વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની શોકસભામાં સામેલ થયા હતા. આ દરમિયાન આ શોક સભા વિરોધ પ્રદર્શનમાં બદલાઇ ગઇ હતી. દૂતાવાસમાં પાછા ફરતી વખતે તેઓ એક સલૂનમાં વાળ કપાવવા રોકાઇ ગયા હતા જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં ઇન્ટરનેશનલ દબાણના કારણે તેમને મુક્ત કરી દેવાયા હતા. ઇરાનના એક ન્યૂઝપેપરે ધરપકડ બાદ રાજદૂતની ફોટો પણ ટ્વિટ કર્યો હતો. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે રાજદૂત રોબ મકાયરે અટકાયતમાં લીધા બાદ એક નિવેદનમાં કહ્યું કે, કોઇ પણ પ્રકારના આધાર અને વ્યાખ્યા વિના તેહરાનમાં અમારા રાજદૂતની અટકાયત કરવી ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ છે. મંત્રીએ ઇરાનને ચેતવણી આપી હતી કે તેમણે વાતચીત મારફતે દબાણને ઓછો કરવાની દિશામાં આગળ વધવું જોઇએ. નોંધનીય છે કે સરકાર વિરોધી પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ઇરાનના સુપ્રીમ લીડર નેતા આયતુલ્લા અલી ખામનેઇના રાજીનામાની માંગ કરી હતી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  પણ પ્રદર્શનકારીઓને પોતાનું સમર્થન આપ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget