શોધખોળ કરો

યુક્રેન વિમાન દુર્ઘટનાઃ ઇરાને બ્રિટિશ રાજદૂતની કરી ધરપકડ, લોકોને ભડકાવવાનો લાગ્યો આરોપ

બ્રિટનના રાજદૂત પર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા અને પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.

તેહરાનઃ બ્રિટનના રાજદૂતની શનિવારે ઇરાનના તહેરાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમના આરોપ છે કે તે સરકારી વિરોધી પ્રદર્શનમાં સામેલ થયા હતા. જોકે, બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે યુક્રેનનું વિમાન ભૂલથી તોડી પાડ્યા બાદ ઇરાનમાં તમામ સ્થળો પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. બ્રિટનના રાજદૂત પર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા અને પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે. ઇરાનનો આરોપ છે કે તેમણે ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટનના રાજદૂત વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની શોકસભામાં સામેલ થયા હતા. આ દરમિયાન આ શોક સભા વિરોધ પ્રદર્શનમાં બદલાઇ ગઇ હતી. દૂતાવાસમાં પાછા ફરતી વખતે તેઓ એક સલૂનમાં વાળ કપાવવા રોકાઇ ગયા હતા જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં ઇન્ટરનેશનલ દબાણના કારણે તેમને મુક્ત કરી દેવાયા હતા. ઇરાનના એક ન્યૂઝપેપરે ધરપકડ બાદ રાજદૂતની ફોટો પણ ટ્વિટ કર્યો હતો. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે રાજદૂત રોબ મકાયરે અટકાયતમાં લીધા બાદ એક નિવેદનમાં કહ્યું કે, કોઇ પણ પ્રકારના આધાર અને વ્યાખ્યા વિના તેહરાનમાં અમારા રાજદૂતની અટકાયત કરવી ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ છે. મંત્રીએ ઇરાનને ચેતવણી આપી હતી કે તેમણે વાતચીત મારફતે દબાણને ઓછો કરવાની દિશામાં આગળ વધવું જોઇએ. નોંધનીય છે કે સરકાર વિરોધી પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ઇરાનના સુપ્રીમ લીડર નેતા આયતુલ્લા અલી ખામનેઇના રાજીનામાની માંગ કરી હતી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  પણ પ્રદર્શનકારીઓને પોતાનું સમર્થન આપ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget