શોધખોળ કરો

Canada : કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીઓએ મળશે જીવનદાન? PM ટ્રુડોએ આપ્યા સંકેત

વડાપ્રધાન ટ્રુડોએ મુશ્કેલીમાં ફસાયેલા આ ભારતીય વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, સરકાર દરેક કેસનું મૂલ્યાંકન કરશે. સરકારનું સમગ્ર ધ્યાન આ કેસમાં દોષિતોને શોધીને તેમને સજા આપવા પર છે.

Indian Students : કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં દેશનિકાલના ભયના ઓથાર હેઠળ છે. એજ્યુકેશન વિઝા પર કેનેડા પહોંચેલા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી કે જ્યારે, આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી વસવાટ માટે અરજી કરી હતી. હવે આ મામલે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે.

વડાપ્રધાન ટ્રુડોએ મુશ્કેલીમાં ફસાયેલા આ ભારતીય વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, સરકાર દરેક કેસનું મૂલ્યાંકન કરશે. સરકારનું સમગ્ર ધ્યાન આ કેસમાં દોષિતોને શોધીને તેમને સજા આપવા પર છે.

ટ્રુડોએ કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નકલી કોલેજ લેટર્સને કારણે દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. હું સ્પષ્ટ કરી દઉં કે અમારું સમગ્ર ધ્યાન આ મામલામાં દોષિતોને ઓળખવા પર છે અને વિદ્યાર્થીઓને સજા આપવા પર નથી. છેતરપિંડીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની તરફેણમાં પુરાવા દર્શાવવાની અને રજૂ કરવાની તક હોય છે. અમે માનીએ છીએ કે અમારા દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઘણું યોગદાન આપે છે અને અમે આ છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને સમર્થન આપીશું.

કેનેડામાં વિદ્યાર્થીઓનો વિરોધ

કેનેડા પહોંચ્યા બાદ છેતરપિંડીનો અહેસાસ થતા વિદ્યાર્થીઓ દેશનિકાલના આ નિર્ણય સામે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઈમિગ્રેશન કાઉન્સેલિંગ એજન્સીએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આ વિદ્યાર્થીઓને નકલી ઓફર લેટર્સના કારણે પ્રવેશ નકારવામાં આવ્યો હતો અને કેનેડાની સરકારે તેમને દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો હતો.

શા માટે વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવે છે?

કેનેડા પહોંચેલા લગભગ 700 વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલો માર્ચ મહિનામાં પ્રકાશમાં આવ્યો જ્યારે આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી નિવાસ માટે અરજી કરી હતી. સરકારે નકલી ઓફર લેટર્સ સાથે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો છે.

વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?

આ મામલે પંજાબના NRI મામલાના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે વિદેશ મંત્રી એસ જયશંકર પાસે દરમિયાનગીરીની માંગ કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવતા વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓ સારા ઇરાદા સાથે કામ કરે છે તેમને સજા કરવી અયોગ્ય છે. જે ખરેખર દોષિત છે તેને આ મામલે જવાબદાર ઠેરવવો જોઈએ. કેનેડાની સરકાર પણ સ્વીકારે છે કે જો વિદ્યાર્થીએ કોઈ ખોટું કર્યું ન હોય તો આ પગલું અન્યાયી હશે. જો કોઈ વિદ્યાર્થીએ કોઈ ભૂલ ન કરી હોય તો તેણે તેનો ઉકેલ શોધવો પડશે. હું અપેક્ષા રાખું છું કે કેનેડિયન સિસ્ટમ આ બાબતે ન્યાયી રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું
તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?
તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?
US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર
US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર
ભારતને જેટલું તેલ જોઈએ તેટલું અમેરિકા આપવા તૈયાર,અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોની મોટી જાહેરાત
ભારતને જેટલું તેલ જોઈએ તેટલું અમેરિકા આપવા તૈયાર,અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
Embed widget