શોધખોળ કરો

Canada : કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીઓએ મળશે જીવનદાન? PM ટ્રુડોએ આપ્યા સંકેત

વડાપ્રધાન ટ્રુડોએ મુશ્કેલીમાં ફસાયેલા આ ભારતીય વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, સરકાર દરેક કેસનું મૂલ્યાંકન કરશે. સરકારનું સમગ્ર ધ્યાન આ કેસમાં દોષિતોને શોધીને તેમને સજા આપવા પર છે.

Indian Students : કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં દેશનિકાલના ભયના ઓથાર હેઠળ છે. એજ્યુકેશન વિઝા પર કેનેડા પહોંચેલા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી કે જ્યારે, આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી વસવાટ માટે અરજી કરી હતી. હવે આ મામલે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે.

વડાપ્રધાન ટ્રુડોએ મુશ્કેલીમાં ફસાયેલા આ ભારતીય વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, સરકાર દરેક કેસનું મૂલ્યાંકન કરશે. સરકારનું સમગ્ર ધ્યાન આ કેસમાં દોષિતોને શોધીને તેમને સજા આપવા પર છે.

ટ્રુડોએ કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નકલી કોલેજ લેટર્સને કારણે દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. હું સ્પષ્ટ કરી દઉં કે અમારું સમગ્ર ધ્યાન આ મામલામાં દોષિતોને ઓળખવા પર છે અને વિદ્યાર્થીઓને સજા આપવા પર નથી. છેતરપિંડીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની તરફેણમાં પુરાવા દર્શાવવાની અને રજૂ કરવાની તક હોય છે. અમે માનીએ છીએ કે અમારા દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઘણું યોગદાન આપે છે અને અમે આ છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને સમર્થન આપીશું.

કેનેડામાં વિદ્યાર્થીઓનો વિરોધ

કેનેડા પહોંચ્યા બાદ છેતરપિંડીનો અહેસાસ થતા વિદ્યાર્થીઓ દેશનિકાલના આ નિર્ણય સામે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઈમિગ્રેશન કાઉન્સેલિંગ એજન્સીએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આ વિદ્યાર્થીઓને નકલી ઓફર લેટર્સના કારણે પ્રવેશ નકારવામાં આવ્યો હતો અને કેનેડાની સરકારે તેમને દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો હતો.

શા માટે વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવે છે?

કેનેડા પહોંચેલા લગભગ 700 વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલો માર્ચ મહિનામાં પ્રકાશમાં આવ્યો જ્યારે આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી નિવાસ માટે અરજી કરી હતી. સરકારે નકલી ઓફર લેટર્સ સાથે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો છે.

વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?

આ મામલે પંજાબના NRI મામલાના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે વિદેશ મંત્રી એસ જયશંકર પાસે દરમિયાનગીરીની માંગ કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવતા વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓ સારા ઇરાદા સાથે કામ કરે છે તેમને સજા કરવી અયોગ્ય છે. જે ખરેખર દોષિત છે તેને આ મામલે જવાબદાર ઠેરવવો જોઈએ. કેનેડાની સરકાર પણ સ્વીકારે છે કે જો વિદ્યાર્થીએ કોઈ ખોટું કર્યું ન હોય તો આ પગલું અન્યાયી હશે. જો કોઈ વિદ્યાર્થીએ કોઈ ભૂલ ન કરી હોય તો તેણે તેનો ઉકેલ શોધવો પડશે. હું અપેક્ષા રાખું છું કે કેનેડિયન સિસ્ટમ આ બાબતે ન્યાયી રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia: રશિયામાં પર્વત સાથે ટકરાઈ સૈન્ય વિમાન ક્રેશ, 29 લોકોના મોત
Russia: રશિયામાં પર્વત સાથે ટકરાઈ સૈન્ય વિમાન ક્રેશ, 29 લોકોના મોત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
Embed widget