શોધખોળ કરો

Chinese Defence Minister Missing: ચીનના વિદેશ મંત્રી બાદ હવે રક્ષામંત્રી પણ ગાયબ, છેલ્લા બે અઠવાડિયાથી નથી દેખાયા, ઉઠ્યા સવાલો

આ વખતે, જાપાનમાં યૂનાઇટેડ સ્ટેટ્સના રાજદૂત રેહમ ઇમેન્યૂઅલે દાવો કર્યો છે કે ચીનના સંરક્ષણ પ્રધાન છેલ્લા બે અઠવાડિયાથી જાહેર સ્થળોએ જોવા મળ્યા નથી

Chinese Defence Minister Missing: ચીનમાં અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મુશ્કેલીમાં છે, એટલા માટે ચીનમાંથી એક પછી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. હવે સોશ્યલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના વિદેશ મંત્રી બાદ રક્ષા મંત્રી લી શાંગફૂ પણ ગુમ થઈ ગયા છે. વાસ્તવમાં ચીનના રક્ષા મંત્રી લી શાંગફૂ છેલ્લા કેટલાક દિવસોથી જાહેરમાં જોવા નથી મળ્યા. તેથી તેમના ગાયબ થવાના સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચીનની સેનાના શક્તિશાળી રૉકેટ ફોર્સના જનરલ પણ ગાયબ થઇ ગયા હતા. 

આ વખતે, જાપાનમાં યૂનાઇટેડ સ્ટેટ્સના રાજદૂત રેહમ ઇમેન્યૂઅલે દાવો કર્યો છે કે ચીનના સંરક્ષણ પ્રધાન છેલ્લા બે અઠવાડિયાથી જાહેર સ્થળોએ જોવા મળ્યા નથી. તેને સોશ્યલ મીડિયા વેબસાઈટ X (અગાઉ ટ્વિટર) પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. આ પહેલા ચીનની ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે, શી જિનપિંગે રક્ષા મંત્રીની સામે સુરક્ષા અને સ્થિરતાના મુદ્દા ઉઠાવ્યા હતા.

29 ઓગસ્ટે છેલ્લે દેખાયા હતા રક્ષા મંત્રી - 
અહેવાલ મુજબ, ચીની સંરક્ષણ પ્રધાન છેલ્લે 29 ઓગસ્ટ, 2023એ જોવા મળ્યા હતા, જ્યારે તેમણે બેઇજિંગમાં આયોજિત ચીન-આફ્રિકા શાંતિ અને સુરક્ષા ફૉરમની બેઠકમાં ભાગ લીધો હતો. ત્યારથી ચીનના સંરક્ષણ પ્રધાન જાહેરમાં જોવા મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જુલાઈમાં અચાનક પોતાના પસંદ કરેલા વિદેશ મંત્રી કિન ગેંગને હટાવી દીધા હતા. જે બાદ તેમની જગ્યાએ વાંગ યીને વિદેશ મંત્રી બનાવવાના સમાચાર સામે આવ્યા હતા.

વિદેશ મંત્રી પણ થઇ ચૂક્યા છે ગાયબ - 
જોકે આ પહેલા તેના ગુમ થવાના સમાચાર સમાચારોમાં હતા. કિન ગેંગનું અચાનક ગાયબ થવું એ હજુ પણ લોકો માટે એક અકલ્પનીય કોયડો છે. હકીકતમાં, તે હજુ સુધી જાહેરમાં જોવા મળ્યો નથી. કિન ગેંગને હટાવ્યા બાદ શી જિનપિંગે રોકેટ ફોર્સના જનરલ લી યુચાઓ અને જનરલ લિયુ ગુઆંગબીનને પણ બરતરફ કર્યા હતા.

 

અંતરિક્ષને લઇને ચીનનો છે બિગ પ્લાન

વિશ્વના વિવિધ ભાગોમાં જમીન પર કબજો જમાવનાર ચીનની નજર હવે અંતરિક્ષ પર પણ પડી છે. ચીનનો ઉદ્દેશ્ય અંતરિક્ષમાં હાજર એસ્ટરોઇડ અને ગ્રહો જેવા સ્થળો પર જઈને ત્યાંથી મૂલ્યવાન ખનીજો લાવવાનો છે. ચીનના વૈજ્ઞાનિકોએ આ માટે પ્રારંભિક રોડમેપ પણ તૈયાર કર્યો છે. તે જણાવે છે કે વર્ષ 2100 સુધીમાં સૌરમંડળમાં ચીન માટે 'સ્પેસ રિસોર્સ સિસ્ટમ' કેવી રીતે બનાવવી. આ સિસ્ટમ ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશનના મુખ્ય વૈજ્ઞાનિક વાંગ વેઈની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી છે. તેમના મતે, આ સિસ્ટમનો હેતુ પૃથ્વીની બહારના પાણી અને ખનિજ સંસાધનો શોધીને પછી ખાણ કરીને તેનો ઉપયોગ કરવાનો છે. વાંગનું કહેવું છે કે સ્પેસ ટેક્નોલોજીના વિકાસને કારણે ટૂંક સમયમાં ચંદ્ર સહિત ઊંડા અવકાશમાં સંસાધનો શોધવામાં આવશે અને તેનો ઉપયોગ આર્થિક લાભ માટે કરવામાં આવશે.

શું છે ચીનનો ઈરાદો?

ચાઇના સ્પેસ ન્યૂઝ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં વાંગ અને તેમની ટીમે અવકાશમાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા માટે જરૂરી ટેક્નોલોજી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અવકાશમાં હાજર એસ્ટરોઇડ પર, ગુરુના ચંદ્ર અને મંગળ જેવા ગ્રહો પર બરફના રૂપમાં પાણીનો સંગ્રહ થાય છે. ચીનનો ઉદ્દેશ્ય બરફના રૂપમાં હાજર આ પાણીનો ઉપયોગ કરવાનો છે. આ માટે એક સુવિધા બનાવવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર સોલર સિસ્ટમમાં ઉપયોગ માટે રિસપ્લાય સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જો સરળ ભાષામાં સમજીએ તો, એક આધાર હશે, જ્યાં પાણી અને આવશ્યક ખનીજ રાખવામાં આવશે. પછી જરૂર જણાય તો તેને સૌરમંડળના કોઈપણ ભાગમાં મોકલી શકાય છે. ચીનની યોજના અનુસાર પૃથ્વી અને ચંદ્રની વચ્ચે પાણી અને ખનિજોનો સંગ્રહ કરવાની સુવિધા બનાવવામાં આવશે. તેમને સૂર્યથી પૃથ્વી, મંગળ અને ગુરુ સુધી વિસ્તારવાની યોજના છે. એટલે કે સોલાર સિસ્ટમમાં સ્ટોરેજ ફેસિલિટીનું સંપૂર્ણ નેટવર્ક બિછાવવામાં આવશે.

ચીન શા માટે અવકાશ પર નજર રાખી રહ્યું છે?

વાસ્તવમાં, આપણા સૌરમંડળમાં 13 લાખથી વધુ લઘુગ્રહો છે. તેમાંથી 700 પૃથ્વીની ખૂબ નજીક છે. દરેક એસ્ટરોઇડની કિંમત 100 ટ્રિલિયન ડોલરથી વધુ છે. 122 એસ્ટરોઇડ છે જ્યાં ખોદકામ સરળતાથી કરી શકાય છે. આ જ કારણ છે કે ચીન અવકાશમાં હાજર આ એસ્ટરોઇડ્સને પકડવા માંગે છે. ચીનની આ સમગ્ર યોજનાને પૂર્ણ કરવાની સમયમર્યાદા 2035 થી 2100 સુધી નક્કી કરવામાં આવી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Embed widget