શોધખોળ કરો

ઈમરાન ખાને પોતાની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરતાં કહ્યું- હું મહાત્મા ગાંધીના પગલે ચાલી રહ્યો છું...

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ અને તેમની પાર્ટી મોટી સંખ્યામાં ધરપકડો અને આરોપો છતાં પાકિસ્તાનની આગામી ચૂંટણી જીતવા માટે સક્ષમ છે.

Imran Khan Pakistan Elections: ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન સરકાર તેમને જેલમાં ધકેલીને ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે જો તેઓ બહાર રહેશે તો  તેમની પાર્ટી વધુ મજબૂત બનશે. ઈમરાને દાવો કર્યો હતો કે પીટીઆઈ આજે પણ ચૂંટણી જીતવા સક્ષમ છે.

ઈમરાન ખાને પોતાની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ અને તેમની પાર્ટી મોટી સંખ્યામાં ધરપકડો અને આરોપો છતાં પાકિસ્તાનની આગામી ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. ઈન્ટરનેશનલ મેગેઝિન 'ધ ઈન્ડિપેન્ડન્ટ'ને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાને પોતાની સરખામણી નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધી જેવા ઈતિહાસના મહાન નેતાઓ સાથે કરી હતી. પાકિસ્તાનમાં 9 મેની હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાન પોતે સેંકડો આરોપોનો સામનો કરી રહ્યા છે અને તેમને દરરોજ કોર્ટમાં હાજર થવું પડે છે.

હું મહાત્મા ગાંધીના પગલે ચાલી રહ્યો છું: ઈમરાન ખાન 

ઈન્ટરવ્યુમાં ઈમરાને કહ્યું, 'મને ખબર છે કે તેઓ મને ફરીથી જેલમાં નાખશે. તેમાં બિલકુલ સમય લાગશે નહીં કારણ કે તેમને ડર છે કે જો હું બહાર રહીશ તો મારી પાર્ટી ખૂબ જ મજબૂત બની જશે. તેથી જ અમને જેલમાં નાખીને ચૂંટણી લડવાથી રોકવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ઇમરાને કહ્યું, "તેઓ જેટલા અમને દબાવવાનો પ્રયાસ કરશે, પીટીઆઈને તેટલું જ સમર્થન મળશે." તેમણે કહ્યું કે તેમનો કોઈ સ્વાર્થ નથી અને તેઓ નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા જેવા નેતાઓના પગલે ચાલશે.

ગાંધીજી અને મંડેલા સાથે સરખામણી

ઈમરાન ખાને કહ્યું, 'હું રાજનીતિમાં કરિયર બનાવવા નથી આવ્યો. હું કોઈને રાજનીતિમાં કારકિર્દી બનાવવાની સલાહ આપતો નથી. રાજકારણ એ સૌથી ખરાબ કારકિર્દી છે. રાજકારણનો એક હેતુ હોય છે. નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી, ઝીણા જેવા લોકો આઝાદી માટે લડ્યા. તે નિઃસ્વાર્થ સેવક છે. તેથી જ તેઓ મને પ્રેરણા આપે છે. તેઓને ક્યારેય સત્તા જોઈતી નહોતી. તેઓ એક ધ્યેય માટે લડ્યા. ઈમરાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે પીટીઆઈ જીતશે.

ઈમરાન વિરુદ્ધ 170 કેસ દાખલ

વર્તમાન શહેબાઝ સરકારે ગયા વર્ષે સત્તામાંથી બહાર થયા બાદ ઈમરાન વિરુદ્ધ અનેક કેસ નોંધ્યા છે. ભ્રષ્ટાચાર, હત્યા, હુમલો, રાજદ્રોહ અને આતંકવાદના મામલામાં PTI ચીફ વિરુદ્ધ લગભગ 170 કેસ નોંધાયેલા છે. જો કે, ઈમરાનની પાર્ટી આરોપ લગાવી રહી છે કે આ તમામ રાજકીય રીતે પ્રેરિત છે અને આ આરોપો માત્ર ઈમરાનને સત્તામાં પાછા આવતા રોકવા માટે લગાવવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget