શોધખોળ કરો

જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 

ગોપાલ ઈટાલિયા જ્યારે  આ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું. થોડીવાર સભામાં અફરા-તફરી મચી ગઈ હતી.

jamnagar: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને લઈ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે.  જામનગરના ટાઉનહોલમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું  હતું. આ  જાહેરસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા. ગોપાલ ઈટાલિયા જ્યારે  આ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું. 

કાર્યકરોએ હુમલાખોરને પકડી તેને જોરદારનો મેથીપાક ચખાડ્યો

જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની સભામાં જોરદાર  હંગામો થયો હતો. અજાણ્યા શખ્સ દ્વારા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અચાનક કોઈ વ્યક્તિએ આગળ આવીને ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેંકવાની ઘટના બનતા થોડીવાર માટે આ જનસભામાં દોડધામ મચી ગઈ હતી. સ્ટેજ ઉપર રહેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક  નીચે બેસેલા કાર્યકરોએ હુમલાખોરને પકડી તેને જોરદારનો મેથીપાક ચખાડ્યો હતો. જૂતું ફેંકનાર અજાણ્યા શખ્સની હાલ તો પોલીસે અટકાયત કરી છે. 

જામનગર પોલીસે તપાસ હાથ ધરી

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમમાં બનેલી ઘટના બાદ થોડીવાર માટે જનસભામાં  સન્નાટો બોલી ગયો હતો. હાલ તો આ અજાણ્યા શખ્સની પોલીસે અટકાયત કરી છે. વધુ પોલીસ તપાસ બાદ આ વ્યક્તિ કોણ છે તે સામે આવશે.

વિસાવદરથી જીત મેળવી છે ગોપાલ ઈટાલિયાએ

વિસાવદરમાં  આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પેટાચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી.  યુવા નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને પેટાચૂંટણીમાં પરાજય આપ્યો હતો.  ગોપાલ પટેલ પ્રથમવાર વિધાનસભા પહોંચ્યા છે.  આપના યુવા નેતા ગોપાલ ઈટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના ગુજરાતના બોટાદમાં થયો હતો. ગોપાલ ઈટાલિયાએ પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઈટાલિયાએ ગુજરાત યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક કર્યું હતું.

ગોપાલ ઈટાલિયાએ પોલીસની પરીક્ષા પાસ કરી અને વર્ષ 2013મા અમદાવાદના મધુપુરા પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ગોપાલ ઈટાલિયાએ 2014મા અમદાવાદ કલેક્ટરેટમાં મહેસુલી ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું. સરકારી નોકરી કરવા સમયે પણ ગોપાલ ઈટાલિયા સામાજિક અને રાજકીય કાર્યોમાં રસ લેતા હતા. સરકારી નોકરી છોડ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ બેરોજગાર યુવાનો માટે રોજગારનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગોપાલ ઈટાલિયા સક્રિય રૂપમાં જોવા મળ્યો હતો. ગોપાલ ઇટાલિયા વર્ષ 2015મા થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ઈટાલિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ સંભાળી હતી.

2017માં તત્કાલીન ગૃહરાજ્યમંત્રી પર ગોપાલ ઈટાલિયાએ જૂતુ ફેંક્યું હતું

વર્ષ 2017મા ગુજરાતના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી ગોપાલ ઈટાલિયાએ જૂતુ ફેંક્યું હતું. જેના કારણે ગોપાલ ઈટાલિયા સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યા હતા. જેના કારણે ઇટાલિયાને સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા. ઇટાલિયા તે સમય સુધી પાટીદાર સમુદાયના નેતા બની ચુક્યા હતા. ત્યાર બાદ 2018 માં પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા તરીકે ગુજરાતમાં નામના મેળવી અને ત્યાર બાદ રાજનીતિમાં આવવાનો નિર્ણય લીધો અને 2020 માં આમ આદમી પાર્ટીમાં પગ મુક્યો અને પાટીદાર સમુદાયના યુવાનોને જોડ્યા હતા. ગોપાલ ઈટાલિયા પોતાના ભાષણ માટે પણ જાણીતા રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
Advertisement

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget