![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pakistan : ઈમરાનની સાથે હવે તેમની પત્નીની પણ મુશ્કેલી વધી, વિદેશ જવા પર પ્રતિબંધ
આ બંનેની સાથો સાથ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય 80 સભ્યોના નામ પણ નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ લોકો 9 મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશમાં થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ છે.
![Pakistan : ઈમરાનની સાથે હવે તેમની પત્નીની પણ મુશ્કેલી વધી, વિદેશ જવા પર પ્રતિબંધ Pakistan : Imran Khan and Wife Bushra and Over 80 Members of his Party on no Fly List Pakistan : ઈમરાનની સાથે હવે તેમની પત્નીની પણ મુશ્કેલી વધી, વિદેશ જવા પર પ્રતિબંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/25/ee4917f35248fb5ec606396b809e3b481685020937200724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Imran Khan and Wife Bushra Bibi : પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સાથો સાથ હવે તેમની પત્ની બુશરા બીબીની પણ મુશ્કેલીઓ વધી રહી છે. ઈમરાન ખાન અને બુશરા બીબી પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ બંનેની સાથો સાથ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય 80 સભ્યોના નામ પણ નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ લોકો 9 મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશમાં થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ છે.
ઈમરાન ખાને પાકિસ્તાનના અનેક પ્રાંતોમાં કલમ 245 લાગુ કરવા માટે સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે અને તેને અઘોષિત માર્શલ લૉ ગણાવી છે. પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 245 અનુસાર, દેશની સુરક્ષામાં નાગરિક પ્રશાસનની મદદ માટે સેનાને બોલાવી શકાય છે. ઈમરાન ખાને પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને ઈસ્લામાબાદમાં કલમ 245ના અમલીકરણને પડકારતી અરજી દાખલ કરી છે અને તેને અઘોષિત માર્શલ લો ગણાવ્યો છે.
પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડાએ કહ્યું હતું કે, આર્મી એક્ટ, 1952 હેઠળ નાગરિકોની ધરપકડ, તપાસ અને ટ્રાયલ ગેરબંધારણીય, અમાન્ય છે અને તેની કોઈ કાનૂની અસર નથી. તેમણે કહ્યું હતું કે, આ બંધારણ, કાયદાના શાસન અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નકારવા સમાન છે. ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે, ખાને તેમની ધરપકડ બાદ 9 મેના રોજ ફાટી નીકળેલી હિંસાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે.
રિપોર્ટ અનુસાર, પીટીશનમાં વડાપ્રધાન શહેબાઝ શરીફ, પીએમએલ-એનના વડા નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ, પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાન અને અન્યને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. દરમિયાન, વડાપ્રધાન શેહબાઝ શરીફે કહ્યું છે કે, 9 મેના રોજ હુમલાખોરોએ પાકિસ્તાનના ગૌરવ પર હુમલો કર્યો અને દેશના દુશ્મનોને ઉજવણી કરવાનો મોકો આપ્યો. "હું 9 મેની દુ:ખદ ઘટનાઓને માત્ર એક પ્રદર્શન તરીકે જોતો નથી જે હિંસક બની ગઈ હતી,"
તેમણે એક ટ્વિટમાં કહ્યું હતું કે, આ કાવતરું ઘડનારા લોકો નાપાક ઈરાદા ધરાવતા હતા. શરમજનક ઘટનાઓ સ્પષ્ટ રીતે તૈયાર કરવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રએ જોયું છે કે કેવી રીતે સત્તા માટે ગણતરીના લોકોની લાલસાએ તેઓને એવા કાર્યો કરવા મજબૂર કર્યા જે પહેલાં ક્યારેય બન્યું ન હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)