શોધખોળ કરો

COP-28 Summit: COP28 માં સામેલ થવા દુબઇ પહોંચ્યા વડાપ્રધાન મોદી, ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

COP-28 Summit:પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ COP28 સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યા છે

COP-28 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)માં ભાગ લેવા ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. દુબઈમાં તેમના આગમનને લઈને ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ COP28 સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યા છે. એક સારો ગ્રહ (પૃથ્વી) બનાવવા માટે આ સમિટમાં ભાગ લેવા માટે આતુર છું. તેમણે કહ્યું કે દુબઈમાં ભારતીય સમુદાયના ઉષ્માભર્યા સ્વાગતથી તેઓ પ્રભાવિત થયા છે. તેમનો સહકાર અને ઉત્સાહ આપણી જીવંત સંસ્કૃતિ અને મજબૂત સંબંધોનો પુરાવો છે.

દુબઈ જતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે પણ વાતાવરણની વાત આવે છે ત્યારે ભારતે હંમેશા જે કહ્યું છે તે કર્યું છે. તેમણે કહ્યું કે G-20ની યજમાની વખતે જળવાયુ પરિવર્તનનો મુદ્દો અમારી પ્રાથમિકતામાં ટોચ પર હતો. નવી દિલ્હીના નેતાઓની ઘોષણામાં જળવાયુ પરિવર્તન અને ટકાઉ વિકાસ અંગેના ઘણા નક્કર પગલાંનો સમાવેશ થાય છે. હું આ મુદ્દાઓ પર COP28 આગળ સર્વસંમતિની અપેક્ષા રાખું છું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે પીએમ મોદી COP28 સમિટ માટે UAE પહોંચી ગયા છે. UAE ના ડેપ્યુટી PM અને ગૃહમંત્રી શેખ સૈફ બિન જાયદ અલ નાહયાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.

દુબઈમાં પીએમ મોદીની હોટલની બહાર ભારતીય મૂળના લોકોની મોટી ભીડ એકઠી થઈ છે. આ લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા. પીએમ મોદીની દુબઈ મુલાકાતને લઈને ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે પીએમ મોદી શુક્રવારે યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ઓન ક્લાઈમેટ (COP28) દરમિયાન વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં વિશ્વભરમાંથી અનેક નેતાઓ ભાગ લેશે. આ દરમિયાન ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાની રીતો પર ચર્ચા કરવામાં આવશે.

વિશ્વભરમાંથી 160 નેતાઓ ભાગ લેશે

યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) ના 198 દેશો સભ્યો છે. દુબઈમાં યોજાનારી સમિટમાં 160 વૈશ્વિક નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રો વચ્ચેના સહકાર દ્વારા જ આનો સામનો કરી શકાય છે. આ સમિટમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ઉપરાંત બિઝનેસ લીડર, યુવાઓ, વૈજ્ઞાનિકો, પત્રકારો, સ્થાનિક લોકો અને અન્ય નિષ્ણાતો સહિત 70,000 લોકો ભાગ લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની અર્થવ્યવસ્થા બરબાદ કરવાની ધમકી આપનાર ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નિધન
ભારતની અર્થવ્યવસ્થા બરબાદ કરવાની ધમકી આપનાર ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નિધન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget