શોધખોળ કરો

Sputnik V કોવિડની રસી તૈયાર કરવામાં સામેલ રશિયન વૈજ્ઞાનિકની હત્યા, ઘરમાંથી મળી લાશ

Russian Scientist Andrey Botikov: કોવિડ-19 વિરોધી રસી 'સ્પુતનિક વી' તૈયાર કરનારા વૈજ્ઞાનિકોમાંના એક આન્દ્રે બોટિકોવની હત્યા કરવામાં આવી છે.

Russian Scientist Murder: રશિયાની કોવિડ-19 વિરોધી રસી 'સ્પુતનિક V' તૈયાર કરનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રે બોટિકોવની તેમના નિવાસસ્થાને બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે. રશિયન મીડિયાના એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.

રશિયન સમાચાર એજન્સી તાસે રશિયન ફેડરેશનની તપાસ સમિતિને ટાંકીને જણાવ્યું હતું કે ગમલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ સંશોધક તરીકે કામ કરતા 47 વર્ષીય બોટિકોવ ગુરુવારે તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અહેવાલો અનુસાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બોટિકોવને કોવિડ રસી પર તેમના કાર્ય માટે 2021માં 'ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ' એવોર્ડથી નવાજ્યા હતા.

તપાસ એજન્સીએ આરોપીની ધરપકડ કરી હતી

રિપોર્ટ અનુસાર બોટિકોવ એ 18 વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે 2020માં 'સ્પુટનિક વી' રસી વિકસાવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સમિતિએ ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે હત્યાના કેસ તરીકે તેની તપાસ કરવામાં આવશે. અહેવાલમાં જણાવાયું છે કે તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર 29 વર્ષીય બોટિકોવને દલીલ દરમિયાન બેલ્ટ વડે ગળું દબાવી દીધું અને ભાગી ગયો. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અનુસાર તે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ ગુનાની કરી કબૂલાત 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી વ્યક્તિએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આરોપીનું નામ એલેક્સી ઝેડ છે, જે સેક્સ સર્વિસ આપવા બદલ 10 વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યો છે. આન્દ્રે બોટિકોવએ સ્પુટનિક વી રસી પર કામ શરૂ કરતા પહેલા રશિયન સ્ટેટ કલેક્શન ઓફ વાઈરસ ડીઆઈ ઈવાનોવસ્કી ઈન્સ્ટિટ્યૂટમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું હતું.

આ પણ વાંચો: નવા વાયરસની દસ્તક! તાવ અને ઉધરસ પર કેન્દ્ર સરકારે જારી કરી એડવાયઝરી

Influenza flu: દેશમાં બદલાતા હવામાનને કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. છેલ્લા દિવસોથી લોકોમાં તાવ અને ઉધરસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે દેશમાં એક નવો વાયરસ પ્રવેશ્યો છે. આ સવાલો વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પણ આ અંગે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ICMR નિષ્ણાતોએ કહ્યું છે કે ભારતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત ઉધરસ અને તાવનું કારણ 'ઈન્ફ્લુએન્ઝા-એ'નો 'H3N2' પેટા પ્રકાર છે. ICMR શ્વસન વાયરસથી થતા રોગો પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ દરમિયાન ICMR અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ લોકોને એલર્ટ કર્યા છે.

નાના બાળકો અને વૃદ્ધો પર વધુ અસર

લાંબા સમય સુધી માંદગી અને લાંબી ઉધરસ સાથે છેલ્લા કેટલાક મહિનામાં ભારતના ઘણા ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ સામે ઝઝૂમ્યા બાદ હવે આ કેસોમાં થયેલા વધારાથી સામાન્ય લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વાયરસની સૌથી વધુ અસર નાના બાળકોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો જેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે અથવા તેઓ ડાયાબિટીસ, અસ્થમા અથવા હૃદય રોગના શિકાર છે.

5 થી 7 દિવસ સુધી તાવ રહે છે

IMAએ જણાવ્યું કે મોસમી તાવ 5 થી 7 દિવસ સુધી રહી શકે છે. આજકાલ તાવ અને ખાંસી ખૂબ ફેલાઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. IMAની કમિટીએ કહ્યું કે તાવ 3 દિવસમાં પણ મટી શકે છે. પરંતુ ઉધરસ 3 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. H3N2 વાયરસ અન્ય પેટા પ્રકારો કરતાં વધુ હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ બને છે. નિષ્ણાતો કહે છે કે છેલ્લા બે-ત્રણ મહિનાથી તે સમગ્ર ભારતમાં ફેલાયો છે

તાવના લક્ષણો

- ઉધરસ

- ઉબકા

- ઉલટી

- સુકુ ગળું

- શરીરમાં દુખાવો

- ઝાડા

શું કરવું અને શું ન કરવું તે જાણો

  • તમારા હાથને પાણી અને સાબુથી નિયમિત ધોવા.
  • ચહેરા પર માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
  • તમારા નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળો.
  • ખાંસી અને છીંકતી વખતે તમારા નાક અને મોંને યોગ્ય રીતે ઢાંકો.
  • હાઇડ્રેટેડ રહો અને પુષ્કળ પ્રવાહી પીવો.
  • તાવ અને માથાનો દુખાવો હોય તો પેરાસીટામોલ લો.
  • હાથ મિલાવવાનું ટાળો.
  • જાહેર સ્થળોએ થૂંકશો નહીં.
  • બીજાની નજીક બેસીને ખાવું નહીં.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget