શોધખોળ કરો

Sri Lanka Crisis: શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગ્યા બાદ જાહેર કરાઈ કટોકટી

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા બુધવારે વહેલી સવારે દેશ છોડીને માલદીવ ગયા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે

Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા બુધવારે વહેલી સવારે દેશ છોડીને માલદીવ ગયા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. અહીં, રાષ્ટ્રપતિ ગોટાબાયાના દેશ છોડીને ભાગી જવાના સમાચાર પછી, લોકોનો હિંસક વિરોધ ચાલુ છે. બગડતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

બુધવારે વહેલી સવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની વિદાયને કારણે ફરી એકવાર હિંસા જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ઉશ્કેરાયેલી ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ સેનાના વાહનને પણ રોકી દીધું છે. જ્યારે બીજી તરફ ગોટાબાયા રાજપક્ષે આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાના હતા. પરંતુ તેના આ પગલાને કારણે ત્યાંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગવામાં ભારતે મદદ કરી ? જાણો શું કરી સ્પષ્ટતા

ભારતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમના ભાઈ બાસિલ રાજપક્ષેને દેશમાંથી ભાગી છૂટવામાં મદદ કરી હોવાના કરવામાં આવી રહેલા દાવાને કોલંબોમાં ભારતીય હાઈ કમિશને ફગાવી દીધા છે . હાઈ કમિશને કહ્યું કે ભારત શ્રીલંકાના લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિ રાજપક્ષે શ્રીલંકાથી ભાગીને માલદીવ પહોંચી ગયા છે. શ્રીલંકાના વડા પ્રધાન કાર્યાલયે પણ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિએ દેશ છોડી દીધો છે.

ભારતીય હાઈ કમિશને બુધવારે ટ્વીટ કર્યું, "હાઈ કમિશન સ્પષ્ટપણે પાયાવિહોણા અને કાલ્પનિક મીડિયા અહેવાલોને નકારી કાઢે છે કે ભારતે તાજેતરમાં ગોટાબાયા રાજપક્ષે અને બાસિલ રાજપક્ષેની શ્રીલંકાથી મુસાફરીની સુવિધા આપી હતી. ફરીથી જણાવવામાં આવે છે કે ભારત શ્રીલંકાના લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. કારણ કે તેઓ લોકશાહી માધ્યમો અને મૂલ્યો, સ્થાપિત લોકશાહી સંસ્થાઓ અને બંધારણીય માળખા દ્વારા સમૃદ્ધિ અને પ્રગતિ માટેની તેમની આકાંક્ષાઓને સાકાર કરવા માંગે છે.

 રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે વહેલી સવારે દેશ છોડીને ભાગી ગયા હતા. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે એક ઈમિગ્રેશન અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ, તેમની પત્ની અને બે સુરક્ષા કર્મચારીઓ શ્રીલંકાના વાયુસેનાના વિમાનમાં સવાર થઈને માલદીવની રાજધાની માલે જવા રવાના થયા હતા.  

આ પણ વાંચોઃ

Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી

India Corona Cases Today:  એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યા, જાણો લેટેસ્ટ આંકડો

Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગવામાં ભારતે મદદ કરી ? જાણો શું કરી સ્પષ્ટતા

Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત

Sri Lanka Crisis: શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગ્યા બાદ જાહેર કરાઈ કટોકટી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget