Sunita Williams: સુનિતા વિલિયમ્સને શા માટે સ્ટ્રેચરમાં લઇ જવાયા, ધરતી પર વાપસી બાદ આ છે સ્વાસ્થ્યના મોટા પડકારો
Sunita Williams Return: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 9 મહિના અને 14 દિવસ અંતરિક્ષમાં રહ્યાં હોવાથી હવે પૃથ્વીના વાતાવરણમાં સમાયોજન સાધના તમને સમય લાગશે અને કેટલાક હેલ્થના ઇસ્યુ પડકાર રૂપ બની રહેશે

Sunita Williams Return: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસના અવકાશ મિશન પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે ક્રૂ-9ના અન્ય બે અવકાશયાત્રી નિક હેગ અને એલેક્ઝાંડર ગોર્બુનોવ પણ પરત ફર્યા છે. તેમનું અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય અનુસાર સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના કિનારે સફળતાપૂર્વક લેન્ડ થયું હતું
સુનિતા વિલિયમ્સની સફળ ધરતી પર વાપસી બાદ પણ તેમની સામે અનેક સ્વાસ્થ્યના પડકારો છે. જે 9 મહિલા સુધી અંતરિક્ષમાં રહ્યાં છે. માઈક્રોગ્રેવિટીમાં વધુ સમય રહેવાથી માંસપેશી સહિત શરીરમાં મોટા ફેરફાર થાય છે.
અવકાશમાં અને પૃથ્વી પર જીવન સંપૂર્ણપણે અલગ છે.
અવકાશ યાત્રા એ અસાધારણ અનુભવ છે, જેના માટે અવકાશ યાત્રીને અગાઉથી તાલીમ આપવામાં આવે છે. જો કે, ચોક્કસ સંજોગોમાં, જેમ કે સુનીતાના અવકાશયાન સાથે થયું, અવકાશમાં લાંબો સમય વિતાવવો સ્વાસ્થ્યને ગંભીર અસર કરી શકે છે. જ્યારે અવકાશયાત્રીઓ માઇક્રોગ્રેવીટી (ઓછી ગુરુત્વાકર્ષણ) માં લાંબો સમય વિતાવે છે ત્યારે તેઓ નોંધપાત્ર શારીરિક અને માનસિક ફેરફારોમાંથી પસાર થાય છે.
અવકાશમાં સમય વિતાવવો જેટલો પડકારજનક છે, પૃથ્વી પર પાછા ફરવું પણ એટલું જ પડકારજનક છે. ગુરુત્વાકર્ષણ વિના, અવકાશયાત્રીઓના શરીર વજનહીનતા માટે ટેવાયેલા બની જાય છે. પૃથ્વી પર પાછા ફર્યા પછી, શરીરને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને સમાયોજિત કરવામાં મહિનાઓ લાગી શકે છે. આ દરમિયાન તેમને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
લાંબા સમય સુધી માઈક્રોગ્રેવિટીમાં રહ્યા પછી પૃથ્વી પર પાછા ફરવા પર અવકાશયાત્રીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન, થાક, ચાલવામાં મુશ્કેલી અને શરીરનું સંતુલન જાળવવામાં સમસ્યા થઈ શકે છે.
સુનિતા વિલિયમ્સને સ્નાયુઓની નબળાઈ અનુભવી શકે છે, જેના કારણે ઊભા રહેવામાં, ચાલવામાં અને સંતુલન જાળવવામાં મુશ્કેલી થઈ શકે છે.
મહિનાઓ સુધી માઈક્રોગ્રેવિટીમાં રહેવાથી મસલ્સ એટ્રોફી (સ્નાયુઓ નબળા પડવા) થઈ શકે છે.
અવકાશયાત્રીઓ ઘણીવાર "બેબી ફીટ" નામની સ્થિતિનો અનુભવ કરે છે કારણ કે તેમના પગ પરની સખત ત્વચા ખસી જાય છે અને ત્યાં મહિનાઓ ગાળ્યા પછી ખૂબ જ નરમ અને કોમળ બને છે.
જ્યાં સુધી પગની ત્વચા ફરીથી સખત ન થાય ત્યાં સુધી ચાલવામાં તકલીફ પડી શકે છે.
આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને, અવકાશયાત્રીઓને લાંબા ગાળાની તબીબી સારવાર અને રિહેબિલિટેશન હેઠળ રાખવામાં આવે છે જેથી તેઓ ધીમે ધીમે સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે.
આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ છે
પૃથ્વી પર પાછા ફર્યા પછી, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને થોડા મહિનાઓ માટે ઘણી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
અવકાશમાં ઓછા ગુરુત્વાકર્ષણબળના કારણે, અસ્થિ ઘનતા અને સ્નાયુઓમાં સમસ્યા હોઈ શકે છે. પરત ફર્યા બાદ આને લગતી સમસ્યાઓ લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે.
અવકાશયાત્રીઓના હાડકાં નબળાં અને બરડ બની જાય છે. અવકાશમાં 10 મહિના પછી, વિલિયમ્સ અને વિલ્મોર પાછા ફરવા પર અસ્થિભંગ અથવા સંબંધિત ગૂંચવણોનો ભોગ બની શકે છે.
અવકાશમાં રહેવાને કારણે હૃદય, મગજ અને રુધિરાભિસરણ તંત્રને પણ અસર થાય છે. અવકાશમાં માઇક્રોગ્રેવિટીના કારણે મગજમાં પ્રવાહીનું પ્રમાણ વધવા લાગે છે. આનાથી સાંભળવાની ખોટ, દ્રષ્ટિની નબળાઈ અને મગજ પર સોજો આવી શકે છે.
અવકાશયાત્રીઓને અવકાશના કિરણોત્સર્ગને કારણે કેન્સર, ડીજનરેટિવ રોગો અને ચેતાતંત્રની સમસ્યાઓ જેવી લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ છે.





















