શોધખોળ કરો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ રકમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીબીટી મારફતે ટ્રાન્સફર કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ રકમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરી છે. જોકે, ઘણા ખેડૂતો એવા છે જેમના ખાતામાં 2000 રૂપિયાની રકમ હજુ સુધી મળી નથી. ચાલો જાણીએ કે સન્માન નિધિની રકમ ખાતામાં ન પહોંચવા પાછળના કારણો શું હોઈ શકે છે.
2/6

ખેડૂતોને સતત ઇ-કેવાયસી કરાવવા માટે કહેવામાં આવી રહ્યું હતું. જો આ પછી પણ તમે e-KYC નહીં કરાવ્યું હોય તો તમારું નામ લાભાર્થી યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. જો જમીનના રેકોર્ડની ચકાસણી દરમિયાન જમીનના રેકોર્ડ ખોટા હોવાનું જાણવા મળે તો તમને વંચિત રાખવામાં આવી શકે છે. અરજી કરતી વખતે આધાર નંબર અથવા બેન્ક ખાતા નંબર ખોટો ભરેલો હોય તો પણ ખાતામાં 2000 રૂપિયા જમા થશે નહીં.
Published at : 03 Mar 2025 12:17 PM (IST)
આગળ જુઓ





















