શોધખોળ કરો
Jaya Ekadashi 2023: જયા એકાદશીના દિવસે કેસરના આ ઉપાય દૂર કરશે લગ્નમાં આવતી અડચણો
Jaya ekadashi 2023: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ જયા એકાદશીનું વ્રત છે. કહેવાય છે કે આ દિવસે કેસરના ઉપાય કરવાથી લગ્ન સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે જ ઘણા અદ્ભુત ફાયદાઓ પણ મળે છે.
જયા એકાદશી
1/6

જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા તમારી પસંદગીના લગ્ન થવામાં સમસ્યા હોય તો જયા એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરો. આનાથી જલ્દી ઘરમાં શરણાઈ ગુંજશે
2/6

જો ઘરમાં વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો જયા એકાદશીના દિવસે કેસરમાં ગુગળ ભેળવીને ધૂપ કરવો. આ 21 દિવસ સુધી દરરોજ કરો. કહેવાય છે કે તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
3/6

જયા એકાદશીએ પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને તિલક કરો. આ પછી તમારા કપાળ પર ટીકા લગાવો. એવું કહેવાય છે કે કેસરનું તિલક લગાવીને શુભ કાર્ય કરવાથી તેમાં સફળતા મળે છે.
4/6

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।। - જયા એકાદશીની સાંજે તુલમીમાં ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી નમાષ્ટકનો પાઠ કરો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
5/6

શાસ્ત્રો અનુસાર પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જયા એકાદશીથી 11 દિવસ સુધી આ ઉપાય કરો.
6/6

જો ઘરમાં દરરોજ મુશ્કેલી હોય, પરિવારમાં તણાવ રહેતો હોય તો જયા એકાદશીના દિવસે સ્નાન કરીને મુખ્ય દ્વાર પર સ્વસ્તિક લગાવો. એવું કહેવાય છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે.
Published at : 31 Jan 2023 02:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
