શોધખોળ કરો

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જવાનું ટાળજો! ઉપરવાસના વરસાદથી સાબરમતીમાં છોડાયું પાણી, સુરક્ષામાં વધારો

ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીની સપાટી વધી, તંત્ર એલર્ટ પર; નાગરિકોને નદી કિનારે ન જવાની અપીલ.

ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીની સપાટી વધી, તંત્ર એલર્ટ પર; નાગરિકોને નદી કિનારે ન જવાની અપીલ.

Sabarmati water release Ahmedabad: અમદાવાદ શહેરના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નદીનું જળસ્તર વધ્યું છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

1/7
Sabarmati water release Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોને નદી કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં, હજુ પણ કેટલાક લોકો પાણી જોવા માટે નદીની નજીક જઈ રહ્યા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.
Sabarmati water release Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોને નદી કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં, હજુ પણ કેટલાક લોકો પાણી જોવા માટે નદીની નજીક જઈ રહ્યા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.
2/7
અમદાવાદમાં છેલ્લા 30 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેનાથી શહેરમાં સિઝનનો કુલ 110% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમ છલકાઈ ગયા છે. પરિણામે, વધારાનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું લેવલ સતત વધી રહ્યું છે.
અમદાવાદમાં છેલ્લા 30 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેનાથી શહેરમાં સિઝનનો કુલ 110% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમ છલકાઈ ગયા છે. પરિણામે, વધારાનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું લેવલ સતત વધી રહ્યું છે.
3/7
વધતી જળસપાટીને જોતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે. જૂના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિત નગરમાંથી 25 પરિવારો અને વાસણા સ્મશાન નજીકના વિસ્તારમાંથી 4 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નદીની નજીક રહેતા નાગરિકોને પણ સતર્ક રહેવા અને જરૂર પડે તો સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.
વધતી જળસપાટીને જોતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે. જૂના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિત નગરમાંથી 25 પરિવારો અને વાસણા સ્મશાન નજીકના વિસ્તારમાંથી 4 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નદીની નજીક રહેતા નાગરિકોને પણ સતર્ક રહેવા અને જરૂર પડે તો સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.
4/7
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી અને પોલીસનું પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે, તેમ છતાં લોકો નદી નજીક દિવાલ પાસે ઊભા રહીને પાણી જોવા માટે આવી રહ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી અને પોલીસનું પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે, તેમ છતાં લોકો નદી નજીક દિવાલ પાસે ઊભા રહીને પાણી જોવા માટે આવી રહ્યા છે.
5/7
આ પરિસ્થિતિ જોખમી હોવાથી તંત્રએ કડક પગલાં લેવાની અપીલ કરી છે. વધુમાં, નદીનું જળસ્તર વધતા મીઠાખળી અંડરબ્રિજમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો નદીનું લેવલ હજી પણ વધશે, તો સલામતીના ભાગરૂપે આ અંડરબ્રિજ બંધ કરવામાં આવશે.
આ પરિસ્થિતિ જોખમી હોવાથી તંત્રએ કડક પગલાં લેવાની અપીલ કરી છે. વધુમાં, નદીનું જળસ્તર વધતા મીઠાખળી અંડરબ્રિજમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો નદીનું લેવલ હજી પણ વધશે, તો સલામતીના ભાગરૂપે આ અંડરબ્રિજ બંધ કરવામાં આવશે.
6/7
આજે સાંજે 5 વાગ્યા સુધીની સ્થિતિએ, ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણીના પ્રવાહને આગળ જવા દેવા માટે વાસણા બેરેજના 27 જેટલા દરવાજા (ગેટ નંબર 3 થી 29) ખોલી નાખવામાં આવ્યા છે.
આજે સાંજે 5 વાગ્યા સુધીની સ્થિતિએ, ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણીના પ્રવાહને આગળ જવા દેવા માટે વાસણા બેરેજના 27 જેટલા દરવાજા (ગેટ નંબર 3 થી 29) ખોલી નાખવામાં આવ્યા છે.
7/7
હાલમાં વાસણા બેરેજની જળસપાટી 131 ફૂટ જેટલી છે, અને તેમાંથી 93,658 ક્યુસેક પાણી આગળ છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હાલમાં વાસણા બેરેજની જળસપાટી 131 ફૂટ જેટલી છે, અને તેમાંથી 93,658 ક્યુસેક પાણી આગળ છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

અમદાવાદ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
Embed widget