શોધખોળ કરો

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જવાનું ટાળજો! ઉપરવાસના વરસાદથી સાબરમતીમાં છોડાયું પાણી, સુરક્ષામાં વધારો

ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીની સપાટી વધી, તંત્ર એલર્ટ પર; નાગરિકોને નદી કિનારે ન જવાની અપીલ.

ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીની સપાટી વધી, તંત્ર એલર્ટ પર; નાગરિકોને નદી કિનારે ન જવાની અપીલ.

Sabarmati water release Ahmedabad: અમદાવાદ શહેરના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નદીનું જળસ્તર વધ્યું છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

1/7
Sabarmati water release Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોને નદી કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં, હજુ પણ કેટલાક લોકો પાણી જોવા માટે નદીની નજીક જઈ રહ્યા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.
Sabarmati water release Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોને નદી કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં, હજુ પણ કેટલાક લોકો પાણી જોવા માટે નદીની નજીક જઈ રહ્યા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.
2/7
અમદાવાદમાં છેલ્લા 30 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેનાથી શહેરમાં સિઝનનો કુલ 110% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમ છલકાઈ ગયા છે. પરિણામે, વધારાનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું લેવલ સતત વધી રહ્યું છે.
અમદાવાદમાં છેલ્લા 30 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેનાથી શહેરમાં સિઝનનો કુલ 110% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમ છલકાઈ ગયા છે. પરિણામે, વધારાનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું લેવલ સતત વધી રહ્યું છે.
3/7
વધતી જળસપાટીને જોતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે. જૂના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિત નગરમાંથી 25 પરિવારો અને વાસણા સ્મશાન નજીકના વિસ્તારમાંથી 4 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નદીની નજીક રહેતા નાગરિકોને પણ સતર્ક રહેવા અને જરૂર પડે તો સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.
વધતી જળસપાટીને જોતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે. જૂના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિત નગરમાંથી 25 પરિવારો અને વાસણા સ્મશાન નજીકના વિસ્તારમાંથી 4 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નદીની નજીક રહેતા નાગરિકોને પણ સતર્ક રહેવા અને જરૂર પડે તો સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.
4/7
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી અને પોલીસનું પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે, તેમ છતાં લોકો નદી નજીક દિવાલ પાસે ઊભા રહીને પાણી જોવા માટે આવી રહ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી અને પોલીસનું પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે, તેમ છતાં લોકો નદી નજીક દિવાલ પાસે ઊભા રહીને પાણી જોવા માટે આવી રહ્યા છે.
5/7
આ પરિસ્થિતિ જોખમી હોવાથી તંત્રએ કડક પગલાં લેવાની અપીલ કરી છે. વધુમાં, નદીનું જળસ્તર વધતા મીઠાખળી અંડરબ્રિજમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો નદીનું લેવલ હજી પણ વધશે, તો સલામતીના ભાગરૂપે આ અંડરબ્રિજ બંધ કરવામાં આવશે.
આ પરિસ્થિતિ જોખમી હોવાથી તંત્રએ કડક પગલાં લેવાની અપીલ કરી છે. વધુમાં, નદીનું જળસ્તર વધતા મીઠાખળી અંડરબ્રિજમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો નદીનું લેવલ હજી પણ વધશે, તો સલામતીના ભાગરૂપે આ અંડરબ્રિજ બંધ કરવામાં આવશે.
6/7
આજે સાંજે 5 વાગ્યા સુધીની સ્થિતિએ, ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણીના પ્રવાહને આગળ જવા દેવા માટે વાસણા બેરેજના 27 જેટલા દરવાજા (ગેટ નંબર 3 થી 29) ખોલી નાખવામાં આવ્યા છે.
આજે સાંજે 5 વાગ્યા સુધીની સ્થિતિએ, ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણીના પ્રવાહને આગળ જવા દેવા માટે વાસણા બેરેજના 27 જેટલા દરવાજા (ગેટ નંબર 3 થી 29) ખોલી નાખવામાં આવ્યા છે.
7/7
હાલમાં વાસણા બેરેજની જળસપાટી 131 ફૂટ જેટલી છે, અને તેમાંથી 93,658 ક્યુસેક પાણી આગળ છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હાલમાં વાસણા બેરેજની જળસપાટી 131 ફૂટ જેટલી છે, અને તેમાંથી 93,658 ક્યુસેક પાણી આગળ છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

અમદાવાદ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Sabarkantha: સાબરકાંઠામાં સગીરાને છેડતી બાદ જૂથ અથડામણ, પથ્થરમારામાં એકને ઇજા, પોલીસ કાફલો તૈનાત
Sabarkantha: સાબરકાંઠામાં સગીરાને છેડતી બાદ જૂથ અથડામણ, પથ્થરમારામાં એકને ઇજા, પોલીસ કાફલો તૈનાત
The Bonus Market Update:  શેરબજારમાં ફરી એકવાર હરિયાળી,  સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update:  શેરબજારમાં ફરી એકવાર હરિયાળી,  સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget