શોધખોળ કરો
Aadhaar: દસ્તાવેજ ન હોવા છતાં પણ તમે આધારકાર્ડને અપડેટ કરી શકો, જાણો સરળ રીત
Aadhaar: દસ્તાવેજ ન હોવા છતાં પણ તમે આધારકાર્ડને અપડેટ કરી શકો, જાણો સરળ રીત

પ્રતિકાત્મક તસવીર
1/7

Aadhaar Update : યૂઆઈડીએઆઈ આધાર વપરાશકર્તાઓ માટે એક મોટી સુવિધા લાવ્યું છે. હવે તમે કોઈપણ દસ્તાવેજ વગર પણ તમારું આધાર અપડેટ કરાવી શકશો. આ માટે તમારે ફક્ત તમારા 'પરિવારના વડા'ની મંજૂરીની જરૂર પડશે.
2/7

'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા તે લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની પાસે પોતાના દસ્તાવેજ નથી. તે લોકો તેમના પરિવારના વડાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધારમાં દાખલ કરેલી માહિતી સરળતાથી અપડેટ કરી શકે છે.
3/7

UIDAIએ કહ્યું છે કે જો તમે 'હેડ ઓફ ફેમિલી'ના દસ્તાવેજો દ્વારા તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો તમારે તે વ્યક્તિ સાથે તમારા સંબંધને સાબિત કરવું પડશે. આ માટે તમારે રેશન કાર્ડ, માર્કશીટ, મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં તમારા ઘરના વડાનું નામ નોંધાયેલ છે. જો તમારી પાસે આવા કોઈ દસ્તાવેજો નથી, તો તમે સ્વ-ઘોષણા દ્વારા UIDAI પાસ સબમિટ કરીને 'પરિવારના વડા' આધારિત આધાર અપડેટ મેળવી શકો છો.
4/7

સૌ પ્રથમ માય આધાર પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો. આ પોર્ટલ પર જાઓ અને આધાર અપડેટની પ્રક્રિયા પસંદ કરો. આ પછી, આધારમાં એડ્રેસ અપડેટનો વિકલ્પ પસંદ કરો. આ પછી, જો તમારી પાસે તમારો પોતાનો દસ્તાવેજ નથી, તો એડ્રેસ અપડેટ માટે 'હેડ ઓફ ફેમિલી'નો આધાર નંબર દાખલ કરો.
5/7

આ પછી તમારે રિલેશનશિપ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે. આ પછી એડ્રેસ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ પછી સર્વિસ રિક્વેસ્ટ નંબર HOFને મોકલવામાં આવશે. આ પછી, તેણે આધાર પોર્ટલમાં લોગિન કરીને 30 દિવસની અંદર તેની મંજૂરી આપવી પડશે.
6/7

આ પછી, તમારા HOF ની મંજૂરી સાથે તમારું આધાર અપડેટ કરવામાં આવશે.
7/7

ધ્યાનમાં રાખો, જો 30 દિવસની અંદર મંજૂરી નહીં મળે, તો આ વિનંતીને નકારી કાઢવામાં આવશે.
Published at : 12 Apr 2024 08:41 PM (IST)
આગળ જુઓ
Advertisement