શોધખોળ કરો
Aadhaar Update: આધાર વેરિફાઈ કરવામાં નહીં પડે તકલીફ, માત્ર ક્યૂઆર કોડ સ્કેન કરવાથી થઈ જશે કામ
Aadhaar QR Verification: આજના સમયમાં અનેક સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને આધાર નંબર પણ જરૂરી બની ગયા છે, આવી સ્થિતિમાં તેને સક્રિય રાખવું જરૂરી બની જાય છે.
ફાઈલ તસવીર
1/8

UIDAI દ્વારા ભારતના દરેક નાગરિકને 12 અંકનો અનન્ય ઓળખ નંબર આપવામાં આવે છે, જેને આધાર નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઓળખ તેમજ સરનામાના પુરાવા તરીકે કામ કરે છે.
2/8

આધારનો ઉપયોગ કરીને તમે ઘણી સરકારી સુવિધાઓનો લાભ લઈ શકો છો. આ સિવાય આધારની મદદથી બેંક એકાઉન્ટ ખોલવા જેવી બાબતો પણ કરી શકાય છે.
3/8

આ કારણોસર, આધારને સુરક્ષિત અને અપડેટ રાખવું જરૂરી છે. અનેક કારણોસર આધારને ડિસેબલ કરી દેવામાં છે. આવી સ્થિતિમાં, તમે ઘણી સેવાઓનો લાભ લેવાથી વંચિત રહી શકો છો. જો કે આધારની ચકાસણી કરવી ખૂબ જ સરળ છે. આ કામ તમે ઘરે બેસીને પણ કરી શકો છો.
4/8

આધાર કાર્ડ પર છપાયેલ QR કોડ વડે પણ તેની ચકાસણી કરવી શક્ય છે. આ માટે તમારે તમારા મોબાઈલમાં mAadhaar એપ ડાઉનલોડ કરવાની રહેશે. તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા અન્ય ઓફિશિયલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
5/8

હવે એપ ખોલો અને તેમાં બનાવેલા QR કોડના વિકલ્પ પર ક્લિક કરો. સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં, તમને QR કોડ આઇકન મળશે.
6/8

તમે આઇકોન પર ક્લિક કરતા જ તમારા ફોનનો કેમેરો ખુલી જશે. તમે જે આધાર કાર્ડની ચકાસણી કરવા માંગો છો તેના પર પ્રિન્ટ થયેલ QR કોડ તરફ કેમેરાને પોઇન્ટ કરો
7/8

એપ તમારો QR કોડ સ્કેન કરશે અને સંબંધિત કાર્ડ ધારકનું નામ, લિંગ, જન્મ તારીખ, સરનામું અને ફોટો જેવી વિગતો પ્રદર્શિત કરશે. આ વિગતો UIDAI દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત છે અને અધિકૃતતા માટે ચકાસી શકાય છે.
8/8

આ સિવાય વેરિફિકેશનની અન્ય રીતો પણ છે. તમે UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર જઈને આધારની ચકાસણી કરી શકો છો. આ કામ ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને પણ કરી શકાય છે. તે જ સમયે, તે કોઈપણ આધાર નોંધણી કેન્દ્રમાં ઑફલાઇન ચકાસી શકાય .
Published at : 08 May 2023 04:56 PM (IST)
આગળ જુઓ
Advertisement