શોધખોળ કરો

ઉત્તરકાશીના ધરાલીમાં વાદળો ફાટ્યા બાદ અત્યાર સુધી શું શું થયું? 138 લોકોને બચાવાયા

Dharila Cloudburst News: ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે સેના, ITBP, NDRF અને SDRF ટીમોએ 138 લોકોને બચાવ્યા છે.

Dharila Cloudburst News: ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે સેના, ITBP, NDRF અને SDRF ટીમોએ 138 લોકોને બચાવ્યા છે.

ઉત્તરકાશીના ધરીલામાં વાદળો ફાટ્યા બાદ અત્યાર સુધી શું શું થયું

1/9
Dharila Cloudburst News: ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે સેના, ITBP, NDRF અને SDRF ટીમોએ 138 લોકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાના કારણે ખીર ગંગા નદીમાં પૂર આવવાથી ચાર લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સમાચાર લખાય ત્યાં સુધી 138 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરને કારણે ઘણા ઘરો અને હોટલો પણ નાશ પામી હતી. ધરાલી ગંગોત્રી ધામથી લગભગ 20 કિમી પહેલા આવે છે અને યાત્રા પર એક મુખ્ય સ્ટોપ છે.
Dharila Cloudburst News: ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે સેના, ITBP, NDRF અને SDRF ટીમોએ 138 લોકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાના કારણે ખીર ગંગા નદીમાં પૂર આવવાથી ચાર લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સમાચાર લખાય ત્યાં સુધી 138 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરને કારણે ઘણા ઘરો અને હોટલો પણ નાશ પામી હતી. ધરાલી ગંગોત્રી ધામથી લગભગ 20 કિમી પહેલા આવે છે અને યાત્રા પર એક મુખ્ય સ્ટોપ છે.
2/9
અધિકારીઓએ જણાવ્યું હતું કે બપોરે બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછું અડધું ગામ કાટમાળ અને કાદવ નીચે દટાઈ ગયું હતું. પૂરના પાણી અને કાટમાળના જોરદાર પ્રવાહને કારણે ત્રણ-ચાર માળના મકાનો સહિત નજીકની ઇમારતો ધરાશાયી થઈ હતી. તેમણે કહ્યું કે ખીર ગંગા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે આ વિનાશક પૂર આવ્યું હતું. ધરાલી એકમાત્ર એવું સ્થળ નહોતું જે આ દુર્ઘટનાથી પ્રભાવિત થયું હતું. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે ઝડપથી વહેતું પૂર એક જ ટેકરીના બે અલગ અલગ છેડાથી વહેતું હતું, એક ધરાલી તરફ અને બીજું સુક્કી ગામ તરફ.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બપોરે બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછું અડધું ગામ કાટમાળ અને કાદવ નીચે દટાઈ ગયું હતું. પૂરના પાણી અને કાટમાળના જોરદાર પ્રવાહને કારણે ત્રણ-ચાર માળના મકાનો સહિત નજીકની ઇમારતો ધરાશાયી થઈ હતી. તેમણે કહ્યું કે ખીર ગંગા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે આ વિનાશક પૂર આવ્યું હતું. ધરાલી એકમાત્ર એવું સ્થળ નહોતું જે આ દુર્ઘટનાથી પ્રભાવિત થયું હતું. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે ઝડપથી વહેતું પૂર એક જ ટેકરીના બે અલગ અલગ છેડાથી વહેતું હતું, એક ધરાલી તરફ અને બીજું સુક્કી ગામ તરફ.
3/9
આ દરમિયાન સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો. આ ઉપરાંત, રાજ્યભરમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી રાહત કાર્યમાં પણ અવરોધ ઉભો થયો અને બચાવ કાર્યકરોને આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પહોંચવામાં મુશ્કેલી પડી હતી.
આ દરમિયાન સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો. આ ઉપરાંત, રાજ્યભરમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી રાહત કાર્યમાં પણ અવરોધ ઉભો થયો અને બચાવ કાર્યકરોને આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પહોંચવામાં મુશ્કેલી પડી હતી.
4/9
સુમને જણાવ્યું હતું કે હર્ષિલમાં હાજર સેનાની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી, પરંતુ ખરાબ હવામાન અને રસ્તાઓને કારણે, અન્ય સ્થળોએથી ટીમને પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સ્થળ પર જતા પહેલા ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનામાં ચાર લોકોના મોત થયા છે.
સુમને જણાવ્યું હતું કે હર્ષિલમાં હાજર સેનાની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી, પરંતુ ખરાબ હવામાન અને રસ્તાઓને કારણે, અન્ય સ્થળોએથી ટીમને પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સ્થળ પર જતા પહેલા ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનામાં ચાર લોકોના મોત થયા છે.
5/9
પૂરમાં ગુમ થયેલા લોકોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી, પરંતુ આ સંખ્યા વધુ હોવાની ધારણા છે કારણ કે પાણી અચાનક આવવાને કારણે લોકોને સલામત સ્થળોએ પહોંચવાની તક મળી ન હતી. ઉત્તરાખંડના મુખ્ય સચિવ આર.કે. સુધાંશુએ જણાવ્યું હતું કે 40 થી 50 ઇમારતોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવાઓનો લાભ મળી શક્યો નથી.
પૂરમાં ગુમ થયેલા લોકોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી, પરંતુ આ સંખ્યા વધુ હોવાની ધારણા છે કારણ કે પાણી અચાનક આવવાને કારણે લોકોને સલામત સ્થળોએ પહોંચવાની તક મળી ન હતી. ઉત્તરાખંડના મુખ્ય સચિવ આર.કે. સુધાંશુએ જણાવ્યું હતું કે 40 થી 50 ઇમારતોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવાઓનો લાભ મળી શક્યો નથી.
6/9
તેમણે કહ્યું હતું કે લોકોને સલામત સ્થળોએ ખસી જવાની અપીલ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધરાલી બજારનો મોટો ભાગ આ દુર્ઘટનામાં ધોવાઈ ગયો છે. સ્થાનિક રહેવાસી રાજેશ પનવારે જણાવ્યું હતું કે આ ઘટનામાં કદાચ 20-25 હોટલ અને હોમસ્ટે નાશ પામ્યા હશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત-તિબેટીયન બોર્ડર પોલીસની ટીમને પણ આ દુર્ઘટના સ્થળે પહોંચવાનું કહેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. ધરાલીમાં વાદળ ફાટવાને કારણે થયેલી આ દુર્ઘટનાના એક વીડિયોમાં લોકો ભયથી ચીસો પાડતા સાંભળી શકાય છે જ્યારે બીજા વીડિયોમાં એક અવાજ સંભળાય છે કે 'બધું ખતમ થઈ ગયું છે.'
તેમણે કહ્યું હતું કે લોકોને સલામત સ્થળોએ ખસી જવાની અપીલ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધરાલી બજારનો મોટો ભાગ આ દુર્ઘટનામાં ધોવાઈ ગયો છે. સ્થાનિક રહેવાસી રાજેશ પનવારે જણાવ્યું હતું કે આ ઘટનામાં કદાચ 20-25 હોટલ અને હોમસ્ટે નાશ પામ્યા હશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત-તિબેટીયન બોર્ડર પોલીસની ટીમને પણ આ દુર્ઘટના સ્થળે પહોંચવાનું કહેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. ધરાલીમાં વાદળ ફાટવાને કારણે થયેલી આ દુર્ઘટનાના એક વીડિયોમાં લોકો ભયથી ચીસો પાડતા સાંભળી શકાય છે જ્યારે બીજા વીડિયોમાં એક અવાજ સંભળાય છે કે 'બધું ખતમ થઈ ગયું છે.'
7/9
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી. તેમણે કહ્યું હતું કે, 'ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે હું તમામ પીડિતોને શુભેચ્છા પાઠવું છું. મેં મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી. તેમણે કહ્યું હતું કે, 'ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે હું તમામ પીડિતોને શુભેચ્છા પાઠવું છું. મેં મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી.'
8/9
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ધામી સાથે વાત કરી અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સાત બચાવ ટીમો મોકલવાનો આદેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે અને જીવ બચાવવા માટે દરેક શક્ય પગલાં લઈ રહી છે. ઋષિકેશ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) માં ઘાયલો માટે બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે અને એમ્બ્યુલન્સ ધરાલી પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી ધામી આંધ્રપ્રદેશનો પ્રવાસ અધવચ્ચે છોડી દેહરાદૂન પાછા ફર્યા અને અધિકારીઓ સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ધામી સાથે વાત કરી અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સાત બચાવ ટીમો મોકલવાનો આદેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે અને જીવ બચાવવા માટે દરેક શક્ય પગલાં લઈ રહી છે. ઋષિકેશ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) માં ઘાયલો માટે બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે અને એમ્બ્યુલન્સ ધરાલી પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી ધામી આંધ્રપ્રદેશનો પ્રવાસ અધવચ્ચે છોડી દેહરાદૂન પાછા ફર્યા અને અધિકારીઓ સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
9/9
ધરાલીમાં થયેલા ભારે નુકસાન પર ધામીએ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવશે. તેમણે માહિતી આપી કે સેના, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં યુદ્ધના ધોરણે કાર્યરત છે. ધામીએ અધિકારીઓને અસરગ્રસ્તોને હવાઈ માર્ગે લાવવા અને તેમના માટે તાત્કાલિક ખોરાક, કપડાં અને દવાઓ મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે અધિકારીઓને વાયુસેનાના MI-17ની મદદ લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ત્રણ વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓ મેહરબાન સિંહ બિષ્ટ, અભિષેક રૂહેલા અને ગૌરવ કુમારને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે જેઓ ઉત્તરકાશી જશે અને બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરશે.
ધરાલીમાં થયેલા ભારે નુકસાન પર ધામીએ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવશે. તેમણે માહિતી આપી કે સેના, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં યુદ્ધના ધોરણે કાર્યરત છે. ધામીએ અધિકારીઓને અસરગ્રસ્તોને હવાઈ માર્ગે લાવવા અને તેમના માટે તાત્કાલિક ખોરાક, કપડાં અને દવાઓ મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે અધિકારીઓને વાયુસેનાના MI-17ની મદદ લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ત્રણ વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓ મેહરબાન સિંહ બિષ્ટ, અભિષેક રૂહેલા અને ગૌરવ કુમારને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે જેઓ ઉત્તરકાશી જશે અને બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરશે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન
Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Embed widget