શોધખોળ કરો
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળો ફાટ્યા બાદ અત્યાર સુધી શું શું થયું? 138 લોકોને બચાવાયા
Dharila Cloudburst News: ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે સેના, ITBP, NDRF અને SDRF ટીમોએ 138 લોકોને બચાવ્યા છે.
ઉત્તરકાશીના ધરીલામાં વાદળો ફાટ્યા બાદ અત્યાર સુધી શું શું થયું
1/9

Dharila Cloudburst News: ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે સેના, ITBP, NDRF અને SDRF ટીમોએ 138 લોકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાના કારણે ખીર ગંગા નદીમાં પૂર આવવાથી ચાર લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સમાચાર લખાય ત્યાં સુધી 138 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરને કારણે ઘણા ઘરો અને હોટલો પણ નાશ પામી હતી. ધરાલી ગંગોત્રી ધામથી લગભગ 20 કિમી પહેલા આવે છે અને યાત્રા પર એક મુખ્ય સ્ટોપ છે.
2/9

અધિકારીઓએ જણાવ્યું હતું કે બપોરે બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછું અડધું ગામ કાટમાળ અને કાદવ નીચે દટાઈ ગયું હતું. પૂરના પાણી અને કાટમાળના જોરદાર પ્રવાહને કારણે ત્રણ-ચાર માળના મકાનો સહિત નજીકની ઇમારતો ધરાશાયી થઈ હતી. તેમણે કહ્યું કે ખીર ગંગા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે આ વિનાશક પૂર આવ્યું હતું. ધરાલી એકમાત્ર એવું સ્થળ નહોતું જે આ દુર્ઘટનાથી પ્રભાવિત થયું હતું. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે ઝડપથી વહેતું પૂર એક જ ટેકરીના બે અલગ અલગ છેડાથી વહેતું હતું, એક ધરાલી તરફ અને બીજું સુક્કી ગામ તરફ.
Published at : 06 Aug 2025 01:41 PM (IST)
આગળ જુઓ





















