શોધખોળ કરો
Pahalgam Terror Attack: પહલગામ હુમલાને TRFના ફોલ્કન સ્ક્વોર્ડે આપ્યો અંજામ, જાણો તેનો શું થાય છે અર્થ?
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, આ હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, આ હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. અહીં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને 26 લોકોની હત્યા કરી દીધી.
2/7

આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન TRF એ લીધી છે. TRF એટલે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, જે લશ્કર-એ-તૌયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે.
3/7

કાશ્મીરમાં TRF દ્વારા આ પહેલો હુમલો નથી આ પહેલા પણ આ આતંકવાદી સંગઠને ઘણા આતંકવાદી હુમલા કર્યા છે.
4/7

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો TRF ના એક ખાસ દળ દ્વારા કરવામાં આવ્યો હતો, જે ખાસ કરીને આવા હુમલાઓ માટે બનાવવામાં આવ્યું છે.
5/7

આ ટુકડીનું નામ ફાલ્કન સ્ક્વોડ છે, જે TRF ની સૌથી ભયાનક અને ચપળ ફોર્સ હોવાનું કહેવાય છે. તેઓ પાંચથી દસ મિનિટમાં હુમલો કરે છે અને પછી ત્યાંથી ભાગી જાય છે.
6/7

વાસ્તવમાં તેને ફોલ્કન બાજ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે આ આતંકવાદી જૂથ બાજની જેમ હુમલો કરે છે અને પછી ત્યાંથી ઉડી જાય છે. પહલગામમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું.
7/7

હાલમાં ભારતના વિશેષ દળો અને અન્ય સૈનિકો આ ફાલ્કન સ્ક્વોર્ડની પાંખો કાપવા માટે સતત શોધ ચલાવી રહ્યા છે. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં બધા આતંકવાદીઓનો ખાત્મો થઈ જશે.
Published at : 23 Apr 2025 02:01 PM (IST)
આગળ જુઓ
Advertisement