શોધખોળ કરો
રાજકોટઃ માતા-પિતાની હત્યા કરી પોતે કેમ કરી લીધી આત્મહત્યા? બ્લેકમેલ કરનાર યુવતી કોણ છે?
1/5

ગણેશનગર શેરી નં.5માં રહેતા જયદીપ રમેશભાઇ રાઠોડના ઘરમાં જયદીપ અને તેના માતા-પિતાની લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યારે જયદીપ રાઠોડની લાશ ખાટલા પર પડી હતી, જ્યારે તેના માતા મંજુબેન રાઠોડ (ઉ.વ.55) અને પિતા રમેશભાઇ મુળજીભાઇ રાઠોડ (ઉ.વ.58)ની લાશ નીચે લોહીથી લથબથ હાલતમાં પડી હતી.
2/5

રાજકોટમાં રેસ્ટોરન્ટ ધરાવતાં જયદીપે પોતાના માતા-પિતાની હત્યા કર્યા પછી ડાયરીમાં લખ્યું હતું કે, હીના અને પરેશ સહિતના લોકો મને બ્લેક મેઇલ કરી પૈસા પડાવે છે. હું એકનો એક પુત્ર છું. મારા પછી મારા માતા-પિતાનું શું થાય તેવી ચિંતામાં તેમને મોતને ઘાટ ઉતારી આ પગલું ભર્યું છે. આ સૂસાઇડ નોટ લખ્યા પછી પહેલા તેણે પંખે લટકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાડી તૂટી જતાં તેણે દવા પીને આપઘાત કરી લીધો હતો.
Published at : 02 Dec 2016 02:31 PM (IST)
Tags :
Rajkot MurderView More





















