શોધખોળ કરો

નિવૃત થઇ ચૂકેલ ટીમ ઇન્ડિયાનો ક્યો ખેલાડી ટીમમા વાપસી કરવા વિચારી રહ્યો છે, નામ જાણી ચોંકી જશો

ઇન્ટરનેશનલ ટીમમાં વાપસીની તૈયારી તે આઇપીએલની 2020ની સીઝનથી કરશે

  નવી દિલ્હીઃવન-ડે વર્લ્ડકપની ટીમમાં પસંદ નહી કરવાના કારણે નારાજ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. જોકે, હવે રાયડુ ફરી વાર ટીમ ઇન્ડિયા તરફથી રમતો જોવા મળી શકે છે કારણ કે તેણે નિવૃતિના નિર્ણયને પાછો ખેંચવાનું મન બનાવી લીધું છે. ઇન્ટરનેશનલ ટીમમાં વાપસીની તૈયારી તે આઇપીએલની 2020ની સીઝનથી કરશે. એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં રાયડુએ કહ્યું કે, હું આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમીશ અને વાઇટ બોલ ક્રિકેટમાં વાપસી કરીશ. સર્વેશ્રેષ્ઠ ફિટનેસ મેળવવી મારી સૌથી મોટી પ્રાથમિકતા છે. હાલમાં રાયડુ તમિલનાડુ ક્રિકેટ અસોસિયેશન વન-ડે લીગમાં  ગ્રાન્ડસ્લેમ ટીમ તરફથી રમી રહ્યો છે. પોતાના નિવૃતિના નિર્ણય પર રાયડુએ કહ્યું કે, હું એવું નહી કહું કે આ એક ભાવનાત્મક નિર્ણય હતો કારણ કે મે છેલ્લા ચાર વર્ષોમાં વર્લ્ડકપ માટે ખૂબ મહેનત કરી હતી. એવા સમયમાં તમે નિરાશ થવા મજબૂર થાવ છો. મને નકારવામાં આવ્યો એટલે મેં નિર્ણય લીધો નથી. જો તમે કોઇ માટે મહેનત કરતા હોવ અને તે તમને ના મળે તો તમે આગળ વધવાનું વિચારો છો. ક્રિકેટમાં વાપસી પર તેમણે કહ્યું કે, આ રમતનો પ્રેમ જ છે કે હું વાપસી અંગે વિચારી રહ્યો છું. વર્લ્ડકપ માટે મોકલવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં રાયડુને પસંદ ના કરતા ખૂબ ચર્ચા થઇ હતી. બાદમાં ઇજાના કારણે ધવન અને વિજય શંકર વર્લ્ડકપમાંથી બહાર થતા રાયડુના બદલે ઋષભ પંત અને મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ રાયડુએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી હતી. નોંધનીય છે કે રાયડુએ 55 વન-ડે રમી છે જેમાં તેણે 1694 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને 10 અડધી સદીનો સમાવેશ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget