શોધખોળ કરો
એક સમયે ભલભલા બોલરોને ધ્રુજાવનાર આ બેટ્સમેન જીવે છે આવી હાલતમાં! જાણો શું છે કારણ
1/5

48 વર્ષનો જયસૂર્યા 2011માં રિટાયર થતાં પહેલા શ્રીલંકન ક્રિકેટ ટીમનો મજબૂત સ્તંભ માનવામાં આવતો હતો. ભાગ્યે જ એવો કોઇ બોલર્સ હશે જેને જયસૂર્યાએ ફટકાર્યો ન હોય. જ્યારે તે ક્રીઝ પર હોય ત્યાં સુધી વિરોધી ટીમ કોઇપણ પ્રકારની રણનીતિ બનાવવા અસમર્થ હતી. જયસૂર્યાએ ધૂંઆધાર બેટિંગથી દુનિયાભરમાં પોતાના ફેન્સ બનાવ્યા હતાં. જોકે, હવે વધતી ઉંમર જયસૂર્યાને અસર કરે છે અને તેને ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડશે.
2/5

ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી જયસૂર્યા બે વાર શ્રીલંકન ક્રિકેટની પસંદગી સમિતિનો ચેરમેન રહ્યો હતો. જોકે, તેનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. એવો પણ આરોપ તેની પર લગાવવામાં આવ્યો કે તેના કાર્યકાળમાં સમિતિએ અનેક બદલાવ કર્યા જેને લીધે ખેલાડીઓ વચ્ચે ટીમમાં સ્થાન માટે અસુરક્ષાની લાગણી ઉદ્ભવી હતી. જેની તેમના પ્રદર્શન પર અસર પડી હતી. 2017માં જયસૂર્યા અને તેની ટીમે સાઉથ આફ્રિકા અને ભારત સામે ઘરેલુ શ્રેણી હાર્યા પછી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
Published at : 06 Jan 2018 07:35 AM (IST)
View More























