શોધખોળ કરો

IND vs AUS Final: હાર બાદ ટીમ ઈન્ડિયાને દાઝ્યા પર ડામ, સ્લો ઓવર રેટ બદલ આઇસીસીએ ફટકાર્યો દંડ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હાર બાદ ભારતને વધુ એક આંચકો લાગ્યો છે.

WTC 2023 Final IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હાર બાદ ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. ICCએ સ્લો ઓવર રેટ બદલ ટીમ ઈન્ડિયા પર સંપૂર્ણ મેચ ફીનો દંડ લગાવ્યો છે. ભારતની સાથે ઓસ્ટ્રેલિયાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આઇસીસીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. લંડનના ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન અપ ફ્લોપ સાબિત થઈ હતી.

ફાઇનલમાં સ્લો ઓવર રેટ બદલ ભારતને સંપૂર્ણ મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને મેચ ફીના 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ટાર્ગેટ સમય કરતાં 5 ઓવર પાછળ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 4 ઓવર પાછળ હતી. આના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પણ નુકસાન થયું છે. આઇસીસીએ શુભમન ગિલને દંડ પણ ફટકાર્યો છે. તેના પર મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ફાઇનલમાં ભારતને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. આ પછી ટીમે 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 296 રન અને બીજા દાવમાં 234 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચની બીજા દાવમાં શુભમન ગિલને આઉટ આપવાનો નિર્ણય ખૂબ વિવાદાસ્પદ રહ્યો હતો. તેના કેચને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.

ભારતીય ઓપનર ગિલ ફાઈનલ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 13 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રોહિત 15 રન બનાવીને અને પૂજારા 14 રન બનાવીને આઉટ થયો હતો. કોહલી પણ 14 રન બનાવીને આઉટ થયો હતો. ભરતે 5 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ગિલ 18 રન બનાવીને આઉટ થયો હતો. પૂજારા 27 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયાની હાર માટે ખરાબ બેટિંગ પ્રદર્શન મોટાભાગે જવાબદાર રહ્યું હતું.

Ind vs Aus: 10 વર્ષમાં ચાર ફાઇનલ અને ચાર સેમિફાઇનલ હારી ટીમ ઇન્ડિયા, સૌથી વધુ ફાઇનલ હારવામાં આ ટીમની કરી બરોબરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget