શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોસ્ટ કર્યો ભારતનો ખોટો નકશો, શું BCCI કરશે કાર્યવાહી?

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે. આ ટીમે ભારત સામેની ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પણ જીતી લીધી છે

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે. આ ટીમે ભારત સામેની ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પણ જીતી લીધી છે, પરંતુ આ જીત બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક એવી ભૂલ કરી છે જેને BCCI, ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ચાહકો સહન કરી શકશે નહીં. વાસ્તવમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોમવારે એક પોસ્ટ કર્યું જેમાં તેણે ભારતનો ખોટો નકશો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતના નકશામાંથી અડધું જમ્મુ-કાશ્મીર ગાયબ કરી દીધું હતું, આ નકશો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારતીય ચાહકોએ ન્યૂઝીલેન્ડ બોર્ડને જોરદાર ટ્રોલ કર્યું હતું.


ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોસ્ટ કર્યો ભારતનો ખોટો નકશો, શું BCCI કરશે કાર્યવાહી?

ન્યૂઝીલેન્ડ બોર્ડે આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે

જ્યારે ન્યૂઝીલેન્ડ બોર્ડને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી. જો કે, ત્યાં સુધીમાં ભારતીય ચાહકોએ ન્યૂઝીલેન્ડ બોર્ડની આ ભૂલને ધ્યાનમાં લીધી હતી અને હવે ચાહકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. સવાલ એ છે કે BCCI હવે આ મામલે શું પગલાં લેશે?

બીજી ટેસ્ટ પુણેમાં રમાશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ પુણેમાં રમાશે. આ મેચ સાથે જોડાયેલી માહિતી આપવા માટે ન્યૂઝીલેન્ડ બોર્ડે ભારતનો નકશો પોસ્ટ કર્યો હતો. પરંતુ તેણે સોશિયલ મીડિયા પર ખોટો નકશો પોસ્ટ કર્યો, જેના પછી તે હવે સતત ટ્રોલ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ન્યૂઝીલેન્ડ બોર્ડના અધિકારીઓ આ અંગે શું પ્રતિક્રિયા આપે છે. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે પુણે ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી ગઈ છે અને શ્રેણી બચાવવા અને વાપસી કરવા માટે પુણેમાં જીત મેળવવી પડશે.

ભારતીય ક્રિકેટ ટીમને બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ભારતે બીજી ઇનિંગમાં 462 રન બનાવીને ન્યૂઝીલેન્ડને 107 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી હતી. ખાસ વાત છે કે, અનફિટ હોવાને કારણે શુભમન ગીલ પહેલી મેચમાં રમ્યો નહોતો. બીજી ટેસ્ટમાં તેની વાપસી સાથે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાનું લગભગ નક્કી છે.

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ દાવમાં ભારતીય ટીમ માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. માત્ર 2 બેટ્સમેન બે અંક સુધી પહોંચી શક્યા હતા. ઓપનર યશસ્વી જાયસ્વાલે 13 જ્યારે ઋષભ પંતે 20 રન બનાવ્યા હતા

IND vs NZ: બીજી ટેસ્ટમાં મોટો ચેન્જ, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે આ બૉલર, રિપોર્ટમાં ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારતના આ સ્ટાર બેટ્સમેને ફટકારી 66મી સેંચુરી... તોડ્યો બ્રાયન લારાનો રેકોર્ડ; શું ટીમ ઈન્ડિયામાં થશે વાપસી?
ભારતના આ સ્ટાર બેટ્સમેને ફટકારી 66મી સેંચુરી... તોડ્યો બ્રાયન લારાનો રેકોર્ડ; શું ટીમ ઈન્ડિયામાં થશે વાપસી?
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારતના આ સ્ટાર બેટ્સમેને ફટકારી 66મી સેંચુરી... તોડ્યો બ્રાયન લારાનો રેકોર્ડ; શું ટીમ ઈન્ડિયામાં થશે વાપસી?
ભારતના આ સ્ટાર બેટ્સમેને ફટકારી 66મી સેંચુરી... તોડ્યો બ્રાયન લારાનો રેકોર્ડ; શું ટીમ ઈન્ડિયામાં થશે વાપસી?
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ
ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Embed widget