શોધખોળ કરો
Advertisement
ઋષભ પંત બીજી વનડેમાંથી બહાર થતાં જ આ યુવા ખેલાડીને મળ્યો મોકો, આજે રાહુલની જગ્યાએ કરી શકે છે વિકેટકીપિંગ
આંધ્રનો યુવા વિકેટકીપર કેએસ ભરત છેલ્લા કેટલાય સમયથી સારી રીતે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે, હવે ઓસ્ટ્રેલિયા સામ તેને પંતના બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ રાજકોટ વનડેમાં ટીમ ઇન્ડિયામાં પંતની ગેરહાજરીથી એક યુવા ખેલાડીને મોકો મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે ઋષભ પંત ઇજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી રુલ્ડ આઉટ થઇ ગયો છે અને તેની જગ્યાએ આંધ્રના વિકેટકીપર કેએસ ભરતને ટીમમાં સામેલ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ મુંબઇની વનડેમાં ઋષભ પંતને બેટિંગ દરમિયાન માથાના ભાગે બૉલ વાગ્યો હતો. જેના કારણે તે વિકેટકીપિંગ કરવા મેદાનમાં ન હતો આવી શક્યો. તેની જગ્યાએ કેએલ રાહુલે વિકેટકીપિંગ કરી હતી. હાલ પંત સારવાર હેઠળ છે જોકે, સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે આજે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાવવાની છે. જો ટીમમાં ફેરફાર થશે તો કેપ્ટન કોહલી વનડેમાં આંધ્રના યુવા વિકેટકીપર બેટ્સમેનને મોકો આપી શકે છે.
આંધ્રનો યુવા વિકેટકીપર કેએસ ભરત છેલ્લા કેટલાય સમયથી સારી રીતે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે, હવે ઓસ્ટ્રેલિયા સામ તેને પંતના બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બિઝનેસ
ટેલીવિઝન
Advertisement
gujarati.abplive.com
Opinion