શોધખોળ કરો

KL Rahul Asia Cup 2023: કેએલ રાહુલ ક્યારે મેદાન પર કરશે વાપસી, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

રાહુલ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા દ્વારા ફિટનેસ અપડેટ્સ શેર કરી રહ્યો છે. તે વિકેટકીપિંગ અને બેટિંગ બંને પર ધ્યાન આપી રહ્યો છે.

KL Rahul Asia Cup 2023 Team India:  ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલ વિશે સારા સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ એશિયા કપ 2023 માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. તે જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. રાહુલને IPL 2023 દરમિયાન ઈજા થઈ હતી. આ કારણથી તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. પરંતુ રાહુલે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બેટિંગની સાથે તે નેટ્સમાં વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે. રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે.

કયારે કરી શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના સમાચાર અનુસાર રાહુલ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. તે એશિયા કપ 2023માં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે અને જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. રાહુલ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા દ્વારા ફિટનેસ અપડેટ્સ શેર કરી રહ્યો છે. તે વિકેટકીપિંગ અને બેટિંગ બંને પર ધ્યાન આપી રહ્યો છે. બેંગ્લોરમાં સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીનો સ્ટાફ રાહુલની સંભાળ લઈ રહ્યો છે. તેની રિકવરી પર ઘણું કામ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલની પ્રેક્ટિસના ઘણા વીડિયો સામે આવ્યા છે. તે નેટમાં ઘણો પરસેવો પાડી રહ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

ક્યારે થઈ હતી ઈજા

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની એક મેચ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. તે ફિલ્ડિંગ દરમિયાન ગંભીર ઈજાનો શિકાર બન્યો હતો. આ પછી રાહુલે ઓપરેશન કરાવ્યું. હવે તે મેદાન પર પાછો ફર્યો છે. તે જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. જણાવી દઈએ કે રાહુલે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. અને છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2023માં રમાઈ હતી. આ મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે હતી. રાહુલે IPL 2023માં છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી.

કેએલ રાહુલનું કેવું છે કરિયર

કેએલ રાહુલે  47 ટેસ્ટમાં 33.4ની સરેરાશથી 2642 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 13 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 199 રન છે. જ્યારે 54 વન ડેમાં તેણે 45.1ની સરેરાશથી 1986 રન ફટકાર્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 13 અડધી સદી મારી છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 112 રન છે, જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 72 મેચમાં 139.1ના સ્ટ્રાઇક રેટથી 2265 રન બનાવ્યા છે, 110 રન નોટઆઉટ તેનો ટોપ સ્કોર છે. આઈપીએલની 118 મેચમાં તેણે 4 સદી અને 33 અડધી સદીની મદદથી 4163 રન બનાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget