શોધખોળ કરો
INDvAUS: ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો, બે દિગ્ગજ ખેલાડી ઈજાના કારણે થઈ શકે છે બહાર, જાણો વિગત
1/4

સૌરાષ્ટ્રના ડાબોડી સ્પિનર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજાગ્રસ્ત છે. કોચ રવિ શાસ્ત્રીએ આજે ખુલાસો કર્યો કે ઓસ્ટ્રેલિયા પહોંચ્યાના થોડા દિવસોમાં જ તેના ખભામાં ઈંજેક્શન આપવામાં આવ્યું હતું. ટીમ મેનેજમેન્ટે રમાડવાનું જોખમ લીધું નહોતું. શાસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું કે, બીજી ટેસ્ટ પહેલા અમને લાગ્યું કે જાડેજા 70-80 ટકા જ ફીટ હતો અને અમે પર્થમાં જોખમ લેવા નહોતા માંગતા. પર્થમાં ભારત ચાર ફાસ્ટબોલર સાથે ઉતર્યું હતું. ટીમમાં એક પણ સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
2/4

26 ડિસેમ્બરથી શરૂ થતી બોક્સિંગ ડે ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનું રમવું શંકાસ્પદ છે. પર્થ ટેસ્ટ પહેલા 32 વર્ષીય અશ્વિનની માંસપેશી ખેંચાઈ ગઈ હતી. હજુ પણ તે આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. જેના કારણે આગામી ટેસ્ટમાં તેનું રમવું નક્કી નથી. કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, અશ્વિન રમશે કે નહીં તે આગામી 48 કલાકમાં જ નક્કી થઈ જશે.
Published at : 23 Dec 2018 05:15 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















