શોધખોળ કરો
ટીમમાં ધોનીની ભૂમિકાને લઈને રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
1/3

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝનો પ્રથમ મેચ 12 જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચ પહેલા બન્ને ટીમ તૈયારીઓમાં લાગી ગઈ છે. ભારતના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમમાં ભૂમિકાને લઈને મહત્ત્વની વાત કહી છે. તેમણે કહ્યું કે, કેવી રીતે ધોનીની હાજરીથી આખા ડ્રેસિંગ રૂમનો માહોલ શાનદાર રહે છે.
2/3

રોહીતે વધુમાં કહ્યું કે, તેમની હાજરીનું પરિણામ મેદાન પર પણ જોવા મળે છે. ટીમમાં તેમની હાજરીને કારણે આખી ટીમમાં શાંતિનો માહોલ જળાઈ રહે છે અને એ સીવાય કેપ્ટનને પણ પરોક્ષ રીતે ટેકો મળી રહે છે. મેચમાં એ જે નંબર પર બેટિંગ કરવા ઉતરે છે એ એકદમ બરાબર છે કારણ કે બેટિંગ ઑર્ડરમાં ફિનિશિંગ ટચ એકદમ જરૂરી હોય છે.
Published at : 10 Jan 2019 02:37 PM (IST)
View More





















