શોધખોળ કરો
INDvAUS: ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા અજમાવી શકે છે નવી ઓપનિંગ જોડી, જાણો કોને મળી શકે છે સ્થાન
1/5

પાર્થિવ તો ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ઓપનિંગ કરી ચૂક્યો છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ તેના વિકલ્પ અંગે વિચાર કરી શકે છે. ગુજરાતની રણજી ટીમના કેપ્ટન પાર્થિવ પટેલની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકેની રન સરેરાશ 53.૦૦ની છે. તેણે ઓપનર તરીકેની છ ટેસ્ટ ઈનિંગમાં 53ની સરેરાશથી 265 રન ફટકાર્યા છે. પાર્થિવે વર્ષ 2004માં પાકિસ્તાન સામેની રાવલપિંડી ટેસ્ટમાં ઓપનિંગ કરતાં 69 રન ફટકાર્યા હતા. આ પછી નવેમ્બર, 2016માં ઈંગ્લેન્ડ સામેની મોહાલી ટેસ્ટમાં ઓપનિંગ કરતાં પ્રથમ ઈનિંગમાં 42 અને બીજી ઈનિંગમાં અણનમ 67 રન નોંધાવતા ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ. આ પછી ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં તેણે 71 રનની ઈનિંગ રમી હતી.
2/5

એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતની ઓપનિંગ ભાગીદારી અનુક્રમે 3 અને 63 રનની રહી હતી. જ્યારે બીજી પર્થ ટેસ્ટમાં ભારતની પહેલી વિકેટ પડી ત્યારે સ્કોર અનુક્રમે 6 અને ૦ હતો. લોકેશે એડિલેડની બીજી ઈનિંગમાં 44 રનની લડાયક ઈનિંગ રમી હતી. જોકે આ સિવાયની ત્રણ ઈનિંગમાં તે સિંગલ ડિજિટના સ્કોર કરતાં આગળ વધી શક્યો નથી. જ્યારે મુરલી વિજયનો દેખાવ પણ ખાસ ઉત્સાહજનક રહ્યો નથી. આ કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓપનિંગ જોડીમાં પરિવર્તન કરે તેવા પ્રબળ સંકેત મળી રહ્યા છે.
Published at : 21 Dec 2018 09:02 AM (IST)
View More























