IPL 2025: મિચેલ સ્ટાર્ક સિવાય બીજા ક્યાં વિદેશી ખેલાડી ભારત નહીં આવે ? જુઓ યાદી
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025 સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થયા પછી IPL ફરી એકવાર શરૂ થઈ રહી છે.

IPL 2025 After Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025 સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થયા પછી IPL ફરી એકવાર શરૂ થઈ રહી છે. પરંતુ IPL પ્લેઓફ પહેલા પણ ઘણા વિદેશી ખેલાડીઓ ભારત પાછા ફરવાના નથી. આવી સ્થિતિમાં, ટીમો રિપ્લેસમેન્ટ દ્વારા તે ખેલાડીઓની કમીને પૂર્ણ કરી રહી છે.
મિશેલ સ્ટાર્ક ભારત પરત નહીં ફરે
દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. અક્ષર પટેલની ટીમના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક ભારત પાછા ફરવાનો નથી. હકીકતમાં, ઓપરેશન સિંદૂર પહેલા IPL ટુર્નામેન્ટ 25 મેના રોજ સમાપ્ત થવાની હતી. પરંતુ હવે ફાઇનલ 3 જૂને રમાશે. આવી સ્થિતિમાં મિશેલ સ્ટાર્કને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે પણ તૈયારી કરવી પડશે. પોતાની નેશનલ ડ્યુટીના કારણે સ્ટાર્ક ભારત પાછો ફરી રહ્યો નથી. પરંતુ દિલ્હી હાલમાં પ્લેઓફના ઉંબરે ઉભું છે. નવા ખેલાડીઓ ટીમને પ્લેઓફમાં લઈ જાય છે કે નહીં તે જોવાનું બાકી છે.
આ વિદેશી ખેલાડીઓ પણ પાછા નહીં ફરે
પંજાબ કિંગ્સના ખેલાડી જોસ ઇંગ્લિસ પણ ભારત પાછા ફરવાનો નથી. મિશેલ સ્ટાર્ક ઉપરાંત, જેક ફ્રેઝર-મેકગર્ક પણ ભારત પાછા ફરવાના નથી. બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ડીસી ટીમમાં જેક ફ્રેઝર-મેકગર્કનું સ્થાન મળ્યું છે. આ ખેલાડીની બે વર્ષ પછી દિલ્હીની ટીમમાં એન્ટ્રી થઈ છે.
પંજાબ, ગુજરાત અને લખનૌમાં રિપ્લેસમેન્ટ થશે
લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે પંજાબ કિંગ્સ ટીમમાંથી બહાર છે. પંજાબ કિંગ્સે ફર્ગ્યુસનના સ્થાને કાયલ જેમિસનને સામેલ કર્યો છે. જેમીસન 2 કરોડ રૂપિયામાં પંજાબ ટીમમાં જોડાયો છે.
ગુજરાત ટાઇટન્સ હાલમાં IPL પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પરંતુ ટીમના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલર નેશનલ ડ્યુટીના કારણે 26 મે પછી ટીમ માટે રમશે નહીં. બટલરની જગ્યાએ શ્રીલંકાના ખેલાડી કુસલ મેન્ડિસને લેવામાં આવશે. ટીમે મેન્ડિસને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી મયંક યાદવને પીઠની ઈજાના કારણે IPL ગુમાવવી પડશે. મયંક યાદવની જગ્યાએ ન્યુઝીલેન્ડનો ખેલાડી વિલ ઓરૌર્ક ટીમમાં સામેલ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL 2025ની બાકીની મેચો ફરી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. નવા કાર્યક્રમ હેઠળ બાકીની મેચો 17 મેથી રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs SC) વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકવી પડી હતી.



















