શોધખોળ કરો

IPL 2022, PBKS vs GT Score : રોમાંચક મુકાબલામાં રાહુલ તેવટિયાએ સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સને અપાવી જીત

IPL 2022 માં આજે ચાહકોને એક હાઇ-વોલ્ટેજ મેચ જોવા મળશે, જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

LIVE

Key Events
IPL 2022, PBKS vs GT Score : રોમાંચક મુકાબલામાં રાહુલ તેવટિયાએ સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સને અપાવી જીત

Background

IPL 2022 માં આજે ચાહકોને એક હાઇ-વોલ્ટેજ મેચ જોવા મળશે, જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ સિઝનમાં પ્રથમ વખત બંને ટીમો વચ્ચે ટક્કર થશે. ગુજરાતની ટીમનું પ્રદર્શન આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર રહ્યું છે અને ટીમે તેની બંને મેચ જીતી છે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ત્રણમાંથી બે મેચ જીતી છે, જ્યારે એક મેચ હારી છે. બંને ટીમો નવા કેપ્ટન સાથે સિઝનમાં રમી રહી છે. મયંક અગ્રવાલને પંજાબની કમાન સોંપવામાં આવી છે જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યો છે.

બ્રેબોર્ન સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બોલરો અને બેટ્સમેન બંનેને મદદ કરે છે. આ જમીન પર ઝાકળ એક મહત્વપૂર્ણ પરિબળ બનશે. મેદાનની બાઉન્ડ્રી નાની છે અને આઉટફિલ્ડ ઝડપી છે, તેથી આ મેચમાં મોટો સ્કોર થવાની સંભાવના છે. આ વિકેટ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 180 રન છે. બીજા નંબર પર બેટિંગ કરી રહેલી ટીમનો અહીં શાનદાર રેકોર્ડ છે. આ મેદાન પર પીછો કરતી ટીમની જીતની ટકાવારી 60 છે.



23:38 PM (IST)  •  08 Apr 2022

IPL 2022: ગુજરાતે રોમાંચક મેચમાં પંજાબને 6 વિકેટે હરાવ્યું

પંજાબ તરફથી છેલ્લી ઓવર ઓડિયન સ્મિથે કરી હતી. હાર્દિક પંડ્યા પ્રથમ બોલ પર 27 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. આ પછી રાહુલ તેવટિયા બેટિંગ કરવા આવ્યો હતો. ડેવિડ મિલરે ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. જે બાદ એક રન લેવામાં આવ્યો હતો. ગુજરાતને જીતવા માટે છેલ્લા બે બોલમાં 12 રનની જરૂર હતી. રાહુલ તેવટિયાએ સતત બે છગ્ગા ફટકારીને ગુજરાતને 6 વિકેટે જીત અપાવી હતી. તેવટિયા 3 બોલમાં 13 અને ડેવિડ મિલર 6 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ગુજરાત તરફથી શુભમન ગિલે 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

23:35 PM (IST)  •  08 Apr 2022

ગુજરાત ટાઈટન્સની પંજાબ કિંગ્સ સામે 6 વિકેટથી શાનદાર જીત

ગુજરાત ટાઈટન્સની પંજાબ કિંગ્સ સામે 6 વિકેટથી શાનદાર જીત થઈ છે. છેલ્લી ઓવરમાં ગુજરાતને જીત માટે એક બોલમાં 6 રનની જરુર હતી. રાહુલ તેવટિયાએ છેલ્લા બોલ પર સિક્સ ફટકારી ટીમને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમતા 96 રન બનાવ્યા હતા. ગિલ સદી ચૂકી ગયો હતો. 

23:25 PM (IST)  •  08 Apr 2022

IPL 2022: શુભમન ગિલ 96 રન બનાવીને આઉટ

કાગિસો રબાડાએ નો બોલથી આ ઓવરની શરૂઆત કરી હતી. શુભમન ગિલે પ્રથમ બોલ પર એક રન લીધો હતો. હાર્દિક પંડ્યાએ ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. પંડ્યાએ ચોથા બોલ પર એક રન લીધો હતો. શુબમન ગિલ ઓવરના પાંચમા બોલ પર 96 રન બનાવીને આઉટ થયો હતો. રબાડાના બોલ પર મયંક અગ્રવાલે ગિલનો કેચ લીધો હતો. હવે ડેવિડ મિલર બેટિંગ કરવા આવ્યો છે. ગુજરાતને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર છે. ગુજરાતનો સ્કોર 19 ઓવર પછી 171/3

22:57 PM (IST)  •  08 Apr 2022

IPL 2022: ગુજરાતને જીતવા માટે 42 બોલમાં 71 રનની જરૂર છે

ફરી એકવાર વૈભવ અરોરા બોલિંગ કરવા આવ્યો. ઓવરના ત્રીજા બોલ પર શુભમન ગિલ ચોગ્ગો ફટકારીને સ્કોરને આગળ લઈ ગયો. ધીમે ધીમે ગિલ તેની સદી તરફ આગળ વધી રહ્યો છે. હવે ગુજરાતને જીતવા માટે 42 બોલમાં 71 રનની જરૂર છે. 13 ઓવર પછી ગુજરાતનો સ્કોર 119/1 છે.

22:39 PM (IST)  •  08 Apr 2022

IPL 2022: ગુજરાતનો સ્કોર 10 ઓવર પછી 94/1

પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે ઓડિયન સ્મિથને બોલિંગ પર મૂક્યો હતો. ઓડિયનની આ ઓવરના ચોથા બોલ પર સાઈ સુદર્શને ચોગ્ગો ફટકાર્યો હતો. શુભમન ગિલ 59 અને સુદર્શન 27 રને રમી રહ્યા છે. ગુજરાતનો સ્કોર 10 ઓવર પછી 94/1

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget