શોધખોળ કરો

ગુજરાતમાં કુપોષણ વધારે હોવાની રાજ્યના મંત્રીની જ કબૂલાતઃ કુપોષણ ઘટાડવા માટે લોકોને શું અપાશે ?

રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશે પટેલે કહ્યું કે, આવનારા સમયમાં બાળકો અને ખાસ કરીને કિશોરીઓ કુપોષિત ન રહે એવા સરકાર પ્રયાસો કરશે

સુરતઃ ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ વધુ હોવાના આક્ષેપ વિપક્ષો દ્વારા લાંબા સમયથી થાય છે. હવે આ વાત ગુજરાત સરકારના મંત્રીએ જ સ્વીકારી છે. ગુજરાતમાં કુપોષણ વધુ હોવાની વાત ખુદ રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલે સ્વીકારી છે.

રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશે પટેલે કહ્યું કે, આવનારા સમયમાં બાળકો અને ખાસ કરીને કિશોરીઓ કુપોષિત ન રહે એવા સરકાર પ્રયાસો કરશે. નરેશ પટેલે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કહ્યું કે, ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધારે છે એટલે સસ્તા અનાજ ની દુકાનમાં અનાજ વધારવાની જરૂર છે.

નવસારીના બી. આર. ફાર્મમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ પર્મુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કક્ષા અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ અને તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વેપારીઓ ગ્રાહકોને કેવી રીતે છેતરે છે એ દર્શાવતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. સાથે જ ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકો ઓનલાઈન ફરિયાદ કરી શકે એ વિશેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ સમારોહમાં અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ ગુજરાતમાં કુપોષણ વધુ હોવાની વાત સ્વીકારી હતી. તેમણે  ગરીબોને મળતા અનાજમાં તેલની માત્રા વધારવા સાથે ચણાની દાળ પણ જોડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતુ. સાથે જ રાશનની દુકાનોમાં થતાં કાળા બજાર રોકવા માટે રાજ્યના તમામ રાશન કાર્ડ મોબાઇલ એપથી જોડી દેવાશે એવી જાહેરાત કરી હતી. મોબાઇલ એપ થકી ગ્રાહકને કેટલો અનાજનો જથ્થો મળે છે એની સંપૂર્ણ માહિતી મળી શકશે.  સાથે જ ગ્રાહક ફરિયાદ પણ નોંધાવી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાનું  લોન્ચીંગ 25 ડિસેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Embed widget