શોધખોળ કરો
ધોનીની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યા બાદ પ્રથમ વખત બોલ્યો પંત, જાણો શું કહ્યું ?
ટીમ ઈન્ડિયામાં નંબર 4 સ્થાન પર બેટિંગ કરવા પર પંતે કહ્યું, મને આ નંબર પર બેટિંગ કરવું પસંદ છે. મે આઈપીએલમાં પણ આ સ્થાન પર બેટિંગ કરી છે.

નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયામાં ધણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ધોની જેવા દિગ્ગજે પોતાને વેસ્ટઈન્ડિઝ જેવા પ્રવાસથી બહાર રાખ્યો છે. એવામાં ટીમની વિકેટકીપિંગની તમામ જવાબદારી રિષભ પંત પર આવી ગઈ છે. પંતે કહ્યું તે માત્ર દેશ માટે સારૂ કરવા માંગે છે. એક અખબાર સાથેની વાતચીતમાં પંતે ધોનીને રિપલેસ્ટમેન્ટ પર ટીમમાં સામેલ થવાના સવાલ પર જવાબ આપ્યો હતો. પંતે કહ્યું, મને ખ્યાલ છે કે ધોનીના સ્થાનને ભરવું એ એક મોટો કમાલ છે. જો હું તેના વિશે વિચારવા લાગીશ તો ફરી મુશ્કેલી વધશે, એટલા માટે હું કઈ વિચારતો જ નથી કે લોકો શુ કહી રહ્યા છે. હું માત્ર મારી રમત પર ધ્યાન આપવા માંગુ છું અને હું આપણા દેશ માટે સારૂ કરવા માંગુ છું. હું આ પડકારને સકારાત્મક રીતે લઈ રહ્યો છું. હવે મારે માત્ર શીખવું છે અને જોવું છે કે વધારે સુધારો કરવા માટે હું શું કરી શકુ છું. ધોની સાથે રમેલી મેચ અને તેની પાસેથી શીખવા પર પંતે કહ્યું તેઓ જે રીતે મેચને ઓળખી કાઢે છે તેનાથી ધણુ શીખવાનું મળે છે. પંતે કહ્યું, મુશ્કેલ પરીસ્થિતિમાં પણ તે શાંત રહે છે. તેમની પાસેથી ધણુ શીખવા જેવું છે. માત્ર મેચમાં જ નહી પરંતુ મેદાનની બહાર પણ તેઓ મદદરૂપ થાય છે. ટીમ ઈન્ડિયામાં નંબર 4 સ્થાન પર બેટિંગ કરવા પર પંતે કહ્યું, મને આ નંબર પર બેટિંગ કરવું પસંદ છે. મને નંબર 4 પર બેટિંગ કરવી પસંદ છે, આ મારા માટે નવુ નથી કારણ કે મે પહેલા પણ નંબર 4 પર બેટિંગ કરી છે. મે આઈપીએલમાં પણ આ સ્થાન પર બેટિંગ કરી છે.
વધુ વાંચો





















