શોધખોળ કરો

વનડેમાંથી પણ કોહલીને હટાવીને રોહિતને બનાવશે કેપ્ટન? બીસીસીઆઇએ શું તૈયાર કર્યો પ્લાન, જાણો વિગતે

રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇ હવે વિરાટને કેપ્ટનશીપમાંથી આરામ આપવાના મૂડમાં દેખાઇ રહ્યુ છે, અને આગામી સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં રોહિત શર્માને કેપ્ટન કેપ પહેરાવવામાં આવી શકે છે. 

નવી દિલ્હીઃ પહેલા આઇપીએલ, પછી ટી20માં કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલીના માથેથી વધુ એક મોટી જવાબદારી છીનવાઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇ હવે વિરાટને કેપ્ટનશીપમાંથી આરામ આપવાના મૂડમાં દેખાઇ રહ્યુ છે, અને આગામી સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં રોહિત શર્માને કેપ્ટન કેપ પહેરાવવામાં આવી શકે છે. 

મીડિયા રિપોર્ટના આધારે BCCIના સૂત્રોએ માહિતી આપી છે કે બોર્ડ કમિટી લિમિટેડ ઓવર ક્રિકેટમાં કોહલીને કેપ્ટનશિપની જવાબદારીથી મુક્ત કરવા માગે છે. BCCI ઇચ્છે છે કે વિરાટ સંપૂર્ણપણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે અને પોતાના સ્વભાવ પ્રમાણે ગેમ રમે. ઉલ્લેખનીય છે કે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. આગામી 11 જાન્યુઆરી 2022થી સાઉથ આફ્રિકા વિરૂદ્ધ દ્વિપક્ષીય સીરીઝ શરૂ થઇ રહી છે. 

ટી20 વર્લ્ડકપ 2021માં ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં એકદમ ખરાબ પ્રદર્શન કરીને સળંગ બે મેચો હારી જતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આવામાં મીડિયાના અહેવાલો પ્રમાણે BCCI લિમિટેડ ઓવર ક્રિકેટમાં એક જ કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે. જેથી T-20 બાદ રોહિત શર્માને વનડેની કેપ્ટનશિપ મળી શકે એવી સંભાવના છે. વનડે અને ટી20માં રોહિતનુ ફોર્મ પણ સારુ છે, જેને લઇને બીસીસીઆઇ રોહિતને કેપ્ટનશીપ આપી શકે છે. રોહિત શર્માની વાત કરીએ તો તે વ્હાઈટ બોલ ક્રિકેટનો સારો ખેલાડી અને ચાલાક કેપ્ટન છે.


વનડેમાંથી પણ કોહલીને હટાવીને રોહિતને બનાવશે કેપ્ટન? બીસીસીઆઇએ શું તૈયાર કર્યો પ્લાન, જાણો વિગતે

ટી20માં હવે કોને કેપ્ટન બનાવવો તે અંગે કોહલીએ કરી ચોખવટ, જાણો શું કહ્યું
આ બધાની વચ્ચે કોહલીએ ટૉસ દરમિયાન સંકેત આપીને ખુલાસો કરી દીધો હતો કે, આગામી સમયમાં ટીમ ઇન્ડિયાનો ટી20 કેપ્ટન કોન હોવો જોઇએ. કોહલીએ આ દરમિયાન જ કહી દીધુ હતુ કે રોહિત શર્મા આગામી કેપ્ટન હશે. હાલમાં રોહિત શર્મા ભારતીય ટીમના ઉપકેપ્ટન છે, અને તેને કેપ્ટનશીપનો ખાસ્સો એવો અનુભવ છે. રોહિતના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વાર આઇપીએલ પર કબજો જમાવ્યો છે. 

નામિબિયા સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી તેના માટે ગર્વની વાત છે, મને જે જવાબદારી સોંપવામાં આવી, મે તેને પુરી કરવાનુ કામ કર્યુ અને આ મારા માટે ગર્વની વાત રહી. હવે સમય છે કે હું આગળ માટે જગ્યા બનાવુ. ટીમ ઇન્ડિયાએ જે રીતે કામ કર્યુ છે તે તેના પર ગર્વ કરે છે. 

કોહલીએ કહ્યું કે, હવે સમય છે કે આવનારા ગૃપની જવાબદારી છે કે ટીમને આગળ લઇ જાય. રોહિત શર્મા પણ અહીં છે, તે કેટલાક સમયથી તમામ વસ્તુઓને જોઇ રહ્યો છે. સાથે ટીમમાં કેટલાય લીડર્સ છે, આવામાં આગળનો સમય ભારતીય ક્રિકેટ માટે સારો છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget