શોધખોળ કરો

વનડેમાંથી પણ કોહલીને હટાવીને રોહિતને બનાવશે કેપ્ટન? બીસીસીઆઇએ શું તૈયાર કર્યો પ્લાન, જાણો વિગતે

રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇ હવે વિરાટને કેપ્ટનશીપમાંથી આરામ આપવાના મૂડમાં દેખાઇ રહ્યુ છે, અને આગામી સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં રોહિત શર્માને કેપ્ટન કેપ પહેરાવવામાં આવી શકે છે. 

નવી દિલ્હીઃ પહેલા આઇપીએલ, પછી ટી20માં કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલીના માથેથી વધુ એક મોટી જવાબદારી છીનવાઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇ હવે વિરાટને કેપ્ટનશીપમાંથી આરામ આપવાના મૂડમાં દેખાઇ રહ્યુ છે, અને આગામી સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં રોહિત શર્માને કેપ્ટન કેપ પહેરાવવામાં આવી શકે છે. 

મીડિયા રિપોર્ટના આધારે BCCIના સૂત્રોએ માહિતી આપી છે કે બોર્ડ કમિટી લિમિટેડ ઓવર ક્રિકેટમાં કોહલીને કેપ્ટનશિપની જવાબદારીથી મુક્ત કરવા માગે છે. BCCI ઇચ્છે છે કે વિરાટ સંપૂર્ણપણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે અને પોતાના સ્વભાવ પ્રમાણે ગેમ રમે. ઉલ્લેખનીય છે કે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. આગામી 11 જાન્યુઆરી 2022થી સાઉથ આફ્રિકા વિરૂદ્ધ દ્વિપક્ષીય સીરીઝ શરૂ થઇ રહી છે. 

ટી20 વર્લ્ડકપ 2021માં ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં એકદમ ખરાબ પ્રદર્શન કરીને સળંગ બે મેચો હારી જતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આવામાં મીડિયાના અહેવાલો પ્રમાણે BCCI લિમિટેડ ઓવર ક્રિકેટમાં એક જ કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે. જેથી T-20 બાદ રોહિત શર્માને વનડેની કેપ્ટનશિપ મળી શકે એવી સંભાવના છે. વનડે અને ટી20માં રોહિતનુ ફોર્મ પણ સારુ છે, જેને લઇને બીસીસીઆઇ રોહિતને કેપ્ટનશીપ આપી શકે છે. રોહિત શર્માની વાત કરીએ તો તે વ્હાઈટ બોલ ક્રિકેટનો સારો ખેલાડી અને ચાલાક કેપ્ટન છે.


વનડેમાંથી પણ કોહલીને હટાવીને રોહિતને બનાવશે કેપ્ટન? બીસીસીઆઇએ શું તૈયાર કર્યો પ્લાન, જાણો વિગતે

ટી20માં હવે કોને કેપ્ટન બનાવવો તે અંગે કોહલીએ કરી ચોખવટ, જાણો શું કહ્યું
આ બધાની વચ્ચે કોહલીએ ટૉસ દરમિયાન સંકેત આપીને ખુલાસો કરી દીધો હતો કે, આગામી સમયમાં ટીમ ઇન્ડિયાનો ટી20 કેપ્ટન કોન હોવો જોઇએ. કોહલીએ આ દરમિયાન જ કહી દીધુ હતુ કે રોહિત શર્મા આગામી કેપ્ટન હશે. હાલમાં રોહિત શર્મા ભારતીય ટીમના ઉપકેપ્ટન છે, અને તેને કેપ્ટનશીપનો ખાસ્સો એવો અનુભવ છે. રોહિતના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વાર આઇપીએલ પર કબજો જમાવ્યો છે. 

નામિબિયા સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી તેના માટે ગર્વની વાત છે, મને જે જવાબદારી સોંપવામાં આવી, મે તેને પુરી કરવાનુ કામ કર્યુ અને આ મારા માટે ગર્વની વાત રહી. હવે સમય છે કે હું આગળ માટે જગ્યા બનાવુ. ટીમ ઇન્ડિયાએ જે રીતે કામ કર્યુ છે તે તેના પર ગર્વ કરે છે. 

કોહલીએ કહ્યું કે, હવે સમય છે કે આવનારા ગૃપની જવાબદારી છે કે ટીમને આગળ લઇ જાય. રોહિત શર્મા પણ અહીં છે, તે કેટલાક સમયથી તમામ વસ્તુઓને જોઇ રહ્યો છે. સાથે ટીમમાં કેટલાય લીડર્સ છે, આવામાં આગળનો સમય ભારતીય ક્રિકેટ માટે સારો છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB vs GT: ક્વોલિફાયર-1 માં ગુજરાતે ટોસ જીત્યો, RCB ની બેટિંગ, પ્લેઈંગ ઈલેવનમાં મોટા બદલાવ
RCB vs GT: ક્વોલિફાયર-1 માં ગુજરાતે ટોસ જીત્યો, RCB ની બેટિંગ, પ્લેઈંગ ઈલેવનમાં મોટા બદલાવ
IPL 2026: પૂર્વ ક્રિકેટરે પસંદ કર્યા સિઝનના સર્વશ્રેષ્ઠ 12 ખેલાડીઓ, કોહલી બહાર આ યુવા ખેલાડીને આપ્યું સ્થાન
IPL 2026: પૂર્વ ક્રિકેટરે પસંદ કર્યા સિઝનના સર્વશ્રેષ્ઠ 12 ખેલાડીઓ, કોહલી બહાર આ યુવા ખેલાડીને આપ્યું સ્થાન
આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
RCB vs GT ક્વાલિફાયર-1 મેચમાં આજે કોણ જીતશે, શું છે બન્ને ટીમોનો હેડ ટૂ હેડ રેકોર્ડ, વાંચો ડિટેલ્સ
RCB vs GT ક્વાલિફાયર-1 મેચમાં આજે કોણ જીતશે, શું છે બન્ને ટીમોનો હેડ ટૂ હેડ રેકોર્ડ, વાંચો ડિટેલ્સ

વિડિઓઝ

Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
Ahmedabad Mayor News : અમદાવાદના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની જાહેરાત
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે
1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
Embed widget