શોધખોળ કરો

હાર પર સવાલો પુછાયા તો કેન વિલિયમસને ભારતને ટાંકીને શું કહ્યું કે બધા ચુપ થઇ ગયા, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ સળંગ ત્રણ આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનો સામનો કરી ચૂકી છે,

નવી દિલ્હીઃ ગઇકાલે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાઇ, મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જીત મેળવી અને પ્રથમવખત ટ્રૉફી પર કબજો જમાવી ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે હાર થયા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં એક ખાસ ઘટના ઘટી, જે લોકોના મનમાં વસી ગઇ. ખરેખરમાં બન્યુ એવુ કે આઇસીસી ઇવેન્ટમાં સળંગ ફાઇનલમાં હાર મળી તેને લઇને કેન વિલિયમસનને પત્રકારોએ ઘેરી લીધો હતો. આ દરમિયન કેન વિલિયમસને હોંશિયારી બતાવીને બધાને ચુપ કરી દીધી હતી. 

ફાઇનલમાં હાર બાદ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ કેન વિલિયમસનને ઘેરી લીધો, અને પત્રકારો પુછવા લાગ્યા હતા કે એક પછી એક સળંગ ફાઇનલમાં હાર કેમ મળી રહી છે કિવી ટીમને. ફાઇનલમાં હારને રેકોર્ડ પર પુછાયેલા આવા સવાલોથી કેન વિલિયમસન ભડકી જવાના બદલે સરળતાથી જવાબો આપવાનુ શરૂ કર્યુ. કેન વિલિયમસને પત્રકારોને જવાબ આપ્યો કે તમે હાર પર સવાલો કરી રહ્યાં છો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલને કેમ યાદ નથી રાખતા, આ ફાઇનલ મેચમાં અમે જીત્યા હતા, ભારતને હરાવીને અમે ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો. કેન વિલિયમસનના આ જવાબથી પત્રકારો ચુપ થઇ ગયા હતા. 

કેન વિલિયમસને કહ્યું - ફાઇનલ મેચમાં તમારી સાથે કંઇપણ થઇ શકે છે, તમે 2019ના વર્લ્ડકપનો ઉલ્લેખ કર્યો, જેના વિશે કદાચ વધારે ચર્ચા કરવામાં આવે છે. જો અમે આ મેચ જીતતા તો સારુ થતુ પરંતુ ઓસ્ટ્રેલિયાએ બહુજ સારી રમત રમી અને તમે તેના સેલિબ્રેશનનો અવાજ અહીં સુધી સાંભળી શકો છો. તેમની ટીમ જબરદસ્ત છે. 

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ સળંગ ત્રણ આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનો સામનો કરી ચૂકી છે, સૌથી પહેલા વનડે વર્લ્ડકપ 2015ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે, આ પછી 2019ની વનડે વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે અને હવે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, એકમાત્ર આઇસીસી ટ્રૉફી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ જીતીને કેન વિલિયિમસને ઉઠાવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્રાઈમ કેપિટલ સુરત?
Hun To Bolish : હું તો બોલીશ : ડિગ્રી છે નોકરી ક્યાં?
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓ કોણ?
Harsh Sanghavi hold Meeting: વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ગૃહરાજ્યમંત્રી એકશનમાં
Surat news : સુરતના મહુવાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી અંધારપટ્ટ હોવાનો સ્થાનિકોનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ
રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
Embed widget