શોધખોળ કરો

રણજી ટ્રોફી ફાઈનલઃ LIVE મેચમાંથી અમ્પાયર શમસુદ્દીન થયા ગાયબ, એક જ અમ્પાયરે કરી અમ્પાયરિંગ

થર્ડ અમ્પાયર સુંદરમ રવિ એટલા માટે મેદાનમાં ના ઉતર્યા કારણ કે તેમને ડીઆરએસના નિર્ણયની જવાબદારી આપવામાં આવી હતી.

નવી દિલ્હીઃ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ સોમવારથી શરુ થઈ ગઈ છે. બંને ટીમો આ પ્રતિષ્ઠિત ટ્રોફી પર કબજો મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. આ મુકાબલામાં સૌરાષ્ટ્રએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બીજા દિવસે અંતિમ અહેવાલ મળ્યા ત્યારે સૌરાષ્ટ્રએ 7 વિકેટે 358 રન બનાવી લીધા છે. અર્પિત વસાવડાએ 106 રન અને ચેતેશ્વર પૂજારાએ 66 રન બનાવ્યા હતા. આ ફાઇનલ દરમિયાન એક અજીબ ઘટના બની હતી. ક્રિકટ્રેકરના રિપોર્ટ પ્રમાણે રણજી ટ્રોફીની ફાઇનલનો પ્રથમ દિવસ અન્ય એક કારણોસર ચર્ચામાં રહ્યો હતો. ફાઇનલમાં અમ્પાયર સી શમ્સુદીનને મેદાન બહાર જવું પડ્યુ હતું. સૌરાષ્ટ્રની વિકેટ પડ્યા પછી અમ્પાયર તરફ ઉછાળવામાં આવેલ બોલથી શમ્સુદદીન ઇજાગ્રસ્ત થયા હતા. ફાઈનલ મેચનાં પ્રથમ દિવસે સોમવારે પેટનાં નિચેનાં ભાગવાં બોલ વાગ્યો હતો, તેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. બીસીસીઆઈ એ ટ્વિટ કરીને તેમને સાજા થઈ જવાની શુભેચ્છા પાઠવી હતી. ત્યાર પછી બીજા દિવસે એટલે કે મંગળાવારે એમ્પાયરીંગ કરવા મેદાન પર ઉતર્યા નહોતા, અને તેમને ચેકઅપ માટે એક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. શમસુદ્દીની જગ્યાએ હવે યશવંત બર્ડે બીજા અમ્પાયર તરીકે મેદાનમાં ઉતરશે મેચનાં ત્રીજા દિવસે અનંત પદ્યનાભન સાથે જોડાશે. શમસુદ્દીનનાં ઈજાગ્રસ્ત થવાના કારણે તેમને મેદાની સાથી અમ્પાયર અનંત પદમનાભનને એકાલ પ્રથમ સેશનમાં અમ્પાયરીંગ કરવી પડી હતી. થર્ડ અમ્પાયર સુંદરમ રવિ એટલા માટે મેદાનમાં ના ઉતર્યા કારણ કે તેમને ડીઆરએસના નિર્ણયની જવાબદારી આપવામાં આવી હતી. આવામાં જ્યારે મેદાન પરના અમ્પાયર ઇજાગ્રસ્ત હતા તો પીયુષ કક્કડને મેદાનમાં ઉતારવામાં આવ્યા. જોકે પીયુષ સ્થાનીય અમ્પાયર હતા તેથી તેમને ફક્ત સ્કેવયર લેગ અમ્પાયરની જવાબદારી આપવામાં આવી હતી. આવું એટલા માટે કારણ કે મુખ્ય અમ્પાયર માટે તટસ્થ અમ્પાયર હોવું જરુરી છે. સામાન્ય રીતે રણજી ટ્રોફીના મુકાબલામાં મેચ રેફરી સિવાય બે અમ્પાયર હોય છે. રેફરી જ થર્ડ અમ્પાયરની ભૂમિકા ભજવે છે. જોકે આ વખતે અમ્પાયરિંગ ટીમમાં થર્ડ અમ્પાયરને સામેલ કરવામાં આવ્યા હતા. રણજીટ્રોફીની ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે યોજાઈ રહી છે, સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ બેટીંગ કરી રહી છે. ટીમે પ્રથમ ઈનિંગમાં 157 ઓવર સુધી 8 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા છે. આ દરમ્યાન અર્પિતે શાનદાર ઈનિંગ રમી છે. તેણે 11 ચોગ્ગાની મદદથી 106 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વિશ્વરાજે 54 રન અને દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પુજારાએ 5 ચોગ્ગાની મદદથી 66 રનની ઈનિંગ રમી હતી.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget