શોધખોળ કરો
મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના સવાલનો વિરાટ કોહલીએ આ અંદાજમાં આપ્યો જવાબ
1/3

ઉલ્લેખનીય છે કે, ભારતીય કેપ્ટન વન-ડે અને ટી-20 બાદ હવે ટેસ્ટમાં પણ પોતાના બેટથી કમાલ કરી રહ્યો છે. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં સદી અને બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી. તેણે 50 ઈન્ટરનેશનલ સેન્ચુરીનો રેકોર્ડ પણ બનાવી લીધો છે અને હવે ટેસ્ટમાં પાંચ હજાર રન બનાવવાથી પણ માત્ર 25 રન જ દૂર છે. તે ત્રણેય ફોર્મેટમાં 50થી વધુની સરેરાશ ધરાવતો વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે.
2/3

માનુષી વિરાટના હાથે એવોર્ડ મેળવ્યા બાદ તેને એક સવાલ કર્યો કે, ‘તમે એક પ્રેરણાસ્ત્રોત છો અને તમે સમાજને ઘણું બધું આપ્યું છે, ઘણા યુવા ક્રિકેટર્સ તમારામાંથી પ્રેરણા લે છે, તેમને શું સંદેશ આપવા માગો છો?’ આના જવાબમાં વિરાટે કહ્યું કે, તેણે ક્યારેય કોઈના જેવા બનવાનો પ્રયત્ન કર્યો નથી અને બીજા કોઈના માટે પોતાની જાતને બદલી નથી. વિરાટના આ જવાબથી ત્યાં બેઠેલા તમામ લોકોએ ખૂબ તાળીઓ પાડી.
Published at : 02 Dec 2017 07:21 AM (IST)
View More























