શોધખોળ કરો

.... તો વર્લ્ડકપમાં વધુ એક વખત ભારત-પાકિસ્તાનની થઈ શકે ટક્કર, જાણો કેવી રીતે

બંને દેશો વચ્ચે રાજકીય તણાવ વધવાના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ઓછી રમાય છે. આ બંને ટીમો માત્ર આઈસીસીની ટુર્નામેન્ટમાં જ આમને-સામને થતી હોવાથી ક્રિકેટ વિશ્વના તમામ ફેન્સની નજર હોય છે.

નવી દિલ્હીઃ ક્રિકેટની કોઇ પણ ટુર્નામેન્ટમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હોય ત્યારે તેનાથી મોટો મુકાબલો કોઈ જ ન હોઈ શકે. આ મુકાબલમાં રમત ઉપરાંત અન્ય ચીજો જોડાયેલી હોય છે તેથી મહામુકાબલો કહેવાય છે. બંને દેશો વચ્ચે રાજકીય તણાવ વધવાના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ઓછી રમાય છે. આ બંને ટીમો માત્ર આઈસીસીની ટુર્નામેન્ટમાં જ આમને-સામને થતી હોવાથી ક્રિકેટ વિશ્વના તમામ ફેન્સની નજર હોય છે. વર્તમાન વર્લ્ડકપમાં બંને ટીમો એકવાર સામ-સામે થઈ ચૂકી છે, જેમાં ભારતે 89 રનથી એકતરફી જીત મેળવી છે. પરંતુ બંને ટીમો ફરી એકવાર ટકરાઈ શકે છે. વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થઈ શકે છે.  સાઉથ આફ્રિકાની વિરુદ્ધ પાકિસ્તાને જે રીતે પ્રદર્શન કર્યુ, તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટીમમાં ઘણું બદલાઈ ગયું છે. જો પાકિસ્તાન પોતાની બાકીની મેચો પણ આ જ રીતે જીતી લે છે તો તે ગ્રુપ સ્ટેજમાં ચોથા નંબરે આવી જશે. જ્યારે ભારતે પોતાની તમામ મેચ જીતીને ગ્રુપ ટોપર તરીકે સેમીફાઇનલમાં પ્રવેશ કરવો પડશે. જો આમ થાય તો બંને ટીમોની ફરી એક વખત વર્લ્ડકપમાં ટક્કર થઈ શકે છે. નિયમ મુજબ પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપરની ટીમ ચોથા નંબરની ટીમ સામે સેમીફાઇનલ રમશે. એવી જ રીતે, બીજા નંબરની ટીમ ત્રીજા નંબરની ટીમ સામે રમશે. જો એવું થશે તો બંને ટીમો ફરી એકવાર માનચેસ્ટરમાં જ ટકરાશે. વર્તમાન વર્લ્ડકપમાં આ મેદાન પર ભારતને પાકિસ્તાનને 16 જૂને હરાવ્યું હતું. પાકિસ્તાનને પોતાની બાકી ત્રણેય મેચ જીતવા ઉપરાંત ન્યૂઝીલેન્ડ ઉપર પણ નિર્ભર રહેવું પડશે. ન્યૂઝીલેન્ડના 6 મેચોમાં 11 પોઇન્ટ છે, જ્યારે પાકિસ્તાનના 6 મેચોમાં 5 પોઇન્ટ છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાં હાલ અજેય છે. કીવી ટીમનો હવે સામનો પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મુકાબલો વરસાદના કારણે નહોતો થઈ શક્યો. તેના કારણે બંને ટીમોને એક-એક પોઇન્ટ મળ્યો હતો. પાકિસ્તાનને આગામી ત્રણેય મેચ ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની વિરુદ્ધ રમવાની છે. ન્યૂઝીલેન્ડની તુલનામાં પાકિસ્તાનનો માર્ગ થોડો સરળ છે. ગ્રુપ સ્ટેજમાં જો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના પોઇન્ટ સરખા રહે તો સેમીફાઇનલની ચોથી ટીમ નેટ રન રેટના આધારે નક્કી થશે. બીજેપીમાં સામેલ થયા  વિદેશ મંત્રી એસ જયશંકર, જેપી નડ્ડાની હાજરીમાં લીધું સભ્યપદ આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં થશે વરસાદ? ક્યાં કરાઈ ભારે વરસાદની આગાહી? જુઓ વીડિયો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget